By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    21 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    22 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    19 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    2 days ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    2 days ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    2 days ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    17 hours ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    18 hours ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    7 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    20 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    17 hours ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    17 hours ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    20 hours ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    21 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!
Hemadri Acharya Dave

ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!

Khaskhabar Editor
Last updated: 2025/10/29 at 4:32 PM
Khaskhabar Editor 8 months ago
Share
5 Min Read
SHARE

છઠ્ઠ પૂજાની દુર્ઘટનાઓએ ફરી માનવજીવના મૂલ્યનો પ્રશ્ર્ન ઉઠાવ્યો

ભારતીય સંસ્કૃતિના અમૂર્ત રત્નોમાં ગણાતા ઉત્સવો માત્ર આનંદના પ્રસંગો નથી, પરંતુ શ્રદ્ધા, સામૂહિક જોડાણ અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક છે. છઠ્ઠ મહાપર્વ – સૂર્યદેવ અને છઠ્ઠી માયાની અર્ચના કરતો ચાર દિવસીય વ્રતપર્વ – બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા વિસ્તારોમાં આસ્થાનું કેન્દ્ર બને છે.

- Advertisement -

25થી 28 ઓક્ટોબર 2025 દરમિયાન ઉજવાયેલા આ પર્વમાં નદીઓ-તળાવોના કાંઠે ભેગી થયેલ લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે આનંદની લહેર મૃત્યુની કાળી છાયામાં બદલાઈ ગઈ. અવ્યવસ્થા, અપૂરતી સુરક્ષા, લાઈટિંગનો અભાવ અને માનવીય ઉદાસીનતાને કારણે ઝારખંડમાં 27 અને બિહારમાં 106 – કુલ 130થી વધુ મોતો થયાં, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા મોટી છે.

છઠ્ઠ પૂજાના ઉજાસમાં મૃત્યુની કાળી છાયા
છઠ્ઠ પૂજાના અર્ઘ્ય અને સ્નાન દરમ્યાન બનેલી દુર્ઘટનાઓને લઈને ઝારખંડ અને બિહારમાં થયેલા મોતોના સત્તાવાર આંકડાઓ, ઝારખંડમાં હઝારીબાગ, પલામુ, ગઢવા અને સિમડેગા સહિતના જિલ્લાઓમાં કુલ 14 લોકો ડૂબી ગયા, જ્યારે બે લોકોનાં અન્ય દુર્ઘટનામાં જીવ ગયાં બિહારમાં 23 લોકોનાં મોત થયા, જેમાં મોટા ભાગે બાળકો અને યુવાનો હતાં. નાલંદા, પટણા, મુંગેર અને નૌગછિયા જેવા વિસ્તારોમાં આ દુર્ઘટનાઓ નોંધાઈ. આ રીતે, બે રાજ્યોમાં મળી કુલ 37 લોકોનાં મોતોની સત્તાવાર પુષ્ટિ થઈ છે. તમામ કિસ્સાઓ છઠ્ઠ પૂજાના અર્ઘ્ય-સ્નાન દરમિયાન બનેલા છે, જ્યાં અતિભીડ, ઊંડા પાણી અને સલામતીનાં અભાવને કારણે દુર્ઘટનાઓ સર્જાઈ હતી.

જ્યાં ભક્તિ અને ભાવનાના ઉછાળા વચ્ચે અનેક જીવ અણધાર્યા રીતે પાણીમાં સમાઈ ગયા. હજારો શ્રદ્ધાળુઓની ભીડ, ઘાટો પર અંધારું, લાઈટિંગનો અભાવ, ઘાટની માટી ધસી જવી, પાણીની ઊંડાઈ વિશે અજ્ઞાન વગેરે પરિબળોએ વિપત્તિને બળ આપ્યું. રેસ્ક્યુ

- Advertisement -

ટીમો અને એનડીઆરએફની ટુકડીઓ સ્થળ પર ઘણી મોડી પહોંચી બચાવકાર્ય હાથ ધર્યું, પરંતુ ઘણા કિસ્સાઓમાં સમયસર સહાય ન મળતાં જાનહાનિ વધી ગઈ. કેટલાક વિસ્તારોમાં સ્થાનિક ડાઇવર અને ગ્રામજનોએ પહેલ કરીને લોકોને બહાર કાઢ્યા, જ્યારે પ્રશાસન દ્વારા સતત સર્ચ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું.

જ્યારે આસ્થા કરતાં વ્યવસ્થા નબળી પડે ત્યારે દુર્ઘટનાનો સર્જાવાની જ છે. દર વર્ષે પુનરાવર્તિત ત્રાસદીઓ છતાં બેરિકેડિંગ, લાઈફગાર્ડ, લાઈટિંગ, ડાયવર્સ, જાહેર જાગૃતિનો અભાવ. બોટ-એમ્બ્યુલન્સ વિલંબ… આ દુર્ઘટનાઓ માનવીય બેદરકારી: સરકારી નિષ્ક્રિયતા અને વ્યક્તિગત અવગણનાનાં અનેક પ્રશ્ન ઉઠાવે છે:

સરકારો કરોડો ખર્ચે ઘાટો સજાવે, પરંતુ ત્યાં જ જીવરક્ષક સાધનો-તાલીમપ્રાપ્ત લાઈફગાર્ડનો અભાવ!આ ત્રાસદીઓ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ માનવીય બેદરકારીનું પણ પરિણામ છે. શ્રદ્ધાળુઓ નાના બાળકોને પાણીની ધારે એકલા છોડે, ભીડમાં સુરક્ષા અવગણે અને પછી ’ભાગ્ય’ના નામે જવાબદારી ટાળશે અને પછી ‘તપાસ ચાલુ’ના નિવેદનો રિપોર્ટ બનીને જ્યારે બહાર આવશે ત્યારે જનતાની સ્મૃતિમાંથી આ દુ:ખદ ઘટના લુપ્ત થઈ ગઈ હશે. અને નવી કોઈ આવી જ દુર્ઘટના વિશે ચર્ચાઓ ગરમ હશે.

ગત વર્ષ – 2024 માં પણ છઠ્ઠ પૂજાના અવસર એ આ જ દુર્ઘટનાત્મક પેટર્ન જોવા મળી હતી. બિહારમાં તે વેળા 60થી પણ અધિક મૃત્યુ નોંધાયા હતા, જેમાં માત્ર સમસ્તીપુર જિલ્લામાં જ દસ લોકોના મોતો થયા હતા. ઝારખંડમાં પણ 14 થી વધુ લોકોના જીવ ગયા, જે બધા

છઠ્ઠ પૂજાના અર્ઘ્ય અથવા સ્નાન દરમિયાન ની ઘટનાઓ હતી. દર વર્ષે આ ધાર્મિક ઉત્સવ હજારો ભક્તોને નદીકાંઠે એકત્ર કરે છે, પરંતુ સલામતી વ્યવસ્થાની અપૂરતા, સ્થાનિક પ્રશાસનની બેદરકારી અને જનમેળામાં માત્ર આસ્થા પર આધારિત વ્યવહાર – આ બધું મળી ને દર વર્ષે આવી જ દુર્ઘટનાઓ દોહરાય છે. આ ઘટનાઓ પ્રશ્ન ઉભો કરે છે કે ધાર્મિક આસ્થાની આડમાં સુરક્ષા અને જીવન રક્ષાની વ્યવસ્થા સતત કેવી રીતે અવગણાઈ રહે છે?

આસ્થા અને જીવનરક્ષાની વચ્ચેનું સંતુલન વર્ષોથી ખોરવાયેલું છે – અને એનું સૌથી કરુણ ઉદાહરણ દર વર્ષની છઠ્ઠ પૂજા જેવી ધાર્મિક ઉજવણીઓમાં થતી ડૂબી જવાની ઘટનાઓ છે. હજારો લોકો અર્ઘ્ય અર્પણ કરવા નદીકાંઠે ભેગા થાય છે, પરંતુ સરકાર માટે એ માત્ર ધાર્મિક તહેવાર ફોટો-અવસર બની રહે છે. ડ્રોન મોનિટરિંગ, એપ આધારિત ચેતવણી પ્રણાલી, ગામડા સ્તરે જાગૃતિ અભિયાન, લાઈફગાર્ડ તાલીમ જેવી આધુનિક વ્યવસ્થાઓની ચર્ચા તો થાય છે, પરંતુ અમલ ક્યાંય નથી દેખાતો.

જે સરકારો ધર્મ, હિન્દુત્વ અને ભક્તિના નામે મતની રાજનીતિ કરે છે, એ જ સરકારો એ ધર્મના ઉત્સવોમાં જીવ બચાવવાની લઘુત્તમ જવાબદારી પણ લેતી નથી. માણસનો જીવ એમના રાજકીય હિસાબમાં કદાચ કોઈ આંકડો માત્ર બની ગયો છે – ન કે જીવંત સત્ય. નદીનાં કિનારે લાશો તણાતી રહે, તળાવમાં બાળકીઓ ડૂબતી રહે, પરંતુ સત્તા માટે ધર્મના નારા ગાજતાં રહે – આ જ આજની સૌથી મોટી નિષ્ઠુરતા છે. શ્રદ્ધાને ઢાલ બનાવી, સંવેદનહીનતાની રાજનીતિ ચલાવનારા શાસકોને મન માનવીની જિંદગી બહુ સસ્તી છે!

છઠ્ઠ મહાપર્વની આ કડવી વાસ્તવિકતા પ્રશ્ન ઉઠાવે છે કે આપણે ઉત્સવો ઉજવીએ છીએ કે અસુરક્ષાને આમંત્રણ આપીએ? જે પર્વ આનંદ કરતાં વધુ આંસુ લાવે, ત્યારે સમાજ માટે આત્મપરીક્ષણ જરુરી છે. શ્રદ્ધા જો માનવીય સંવેદનાથી વિહીન થાય, તો તે દુર્ઘટનાનું બીજ બને.

 

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

TAGGED: Celebration of festivals
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી: નિશાંત જાનીની BCCI વેસ્ટ ઝોન ટીમ માટે હેડ કોચ તરીકે નિમણૂક
Next Article બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સૌથી મોટું પોલીસ ઓપરેશન: રેડ કમાન્ડ ગેંગ સામે અથડામણમાં 64 લોકોના મોત, ચાર પોલીસકર્મીઓ શહીદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?