RFC કલબ ખાતે ગરબાં યોજાઇ ગયાં, સરાઝા હોટલમાં પણ આજે પાવર ગરબાનાં નામથી આયોજન
ગરબા આયોજકો સામે પગલાં શા માટે લેવાતા નથી? તેમને મંજૂરી કેવી રીતે મળી જાય છે ?
કાલથી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં નવરાત્રિ પહેલાં જ કોરોનાના બે કેસ નોંધાતા ચિંતાનો વિષય બન્યો છે. નવરાત્રિને હવે માત્ર 24 કલાક પણ નથી રહ્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. કાલથી શરૂ થતી નવરાત્રિની નવ દિવસ ઉજવણી સોસાયટી, ફ્લેટસ અને હોટલ સરાઝા (આજે) સહિત અન્ય જીમમાં પણ પાવર ગરબાના નામથી ડાંડીયાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે અહીં રમવા આવતા ખેલૈયાઓએ વેક્સિનના બે ડોઝ લીધા છે કે નહીં? અહીં શું માત્ર 400 જ વ્યક્તિ રમશે? આ અંગે તંત્ર કેવી રીતે કામગીરી કરશે અને અહીં આવતાંની તમામ માહિતી કેમ મેળવશે તે અંગે હજુ સુધી કોઈ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી નથી તેમજ વન ડે ગરબાનું પણ અનેક જગ્યાએ આયોજન થવાનું છે તો તંત્ર દ્વારા બે જાતનું વલણ અપનાવવામાં આવી રહ્યું હોય તેવી લોકચર્ચા થવા પામી છે. આ ઉપરાંત ગયા શનિવારના રોજ રાજહંસ પાર્ટી પ્લોટ અને આર.એફ.સી. કલબ ખાતે વનડે ડાંડીયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 400ની મંજૂરી લઈ 600 ખેલૈયાઓ ઝૂમ્યા હતા તેવી લોકોમાં ચર્ચાઓ થવા પામી છે ત્યારે હવે પણ રાજકોટમાં આવતીકાલથી અનેક જગ્યાએ વન-ડે ડાંડીયાનું આયોજન થશે ત્યારે તંત્રના અધિકારીઓ આ અંગે શું પગલાં લેશે તે જોવું રહ્યું. રાજકોટમાં ઘણા લોકો એવા છે કે જેને કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા નથી ત્યારે શું હવે આયોજકો પણ આ અંગે સાવચેતી રાખશે? તે એક મોટો પ્રશ્ર્ન છે.
- Advertisement -

કોરોના VS કમાણી
- અમે ગરબે ઘૂમવા ગ્યાતા..
કોરોના ઘરે લેતા આવ્યા..! - કમાણી માટે આયોજકોએ કોરોના ગાઈનલાઈન્સ ઊલાળી
- અનેક પાર્ટીપ્લોટ-રિસોર્ટમાં વનડે ડાંડિયાનું આયોજન
- ડિસ્કોડાંડિયા રમવા બે રસી લીધી છે તે નહીં, પાસ છે કે નહીં તે મહત્વનું
- કોરોના ફેલાય તો કોણ જવાબદાર? તંત્ર કે આયોજકો?
- તંત્ર દ્વારા વનડે ડિસ્કોડાંડિયા આયોજક અંગે હજુ સુધી કોઈ નિયમ જાહેર કરાયા નથી
- સ્થળ પર બે રસી લીધાનું સર્ટિફિકેટ કે વધુ લોકો ભેગા ન થાય તે કોણ અને કઈ રીતે તપાસશે?
- માસ્ક પહેરી ડાંડિયા કેમ રમી શકાય?
- નવરાત્રી પાછળ ક્યાંક દિવાળી ન બગડે તે જોવું રહ્યું,
- માતા-પિતા પોતાના સંતાનોને બચાવજો.. ખેલૈયા ચેતજો..



