ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ : શુલ્ક સોમનાથ મહાદેવના દર્શનનું એક દિવસીય સુંદર આયોજન તા. 22 રવિવારના રોજ 60 વર્ષ અથવા તેથી વધુ ઉમરનાં વડીલો માટે કરવામાં આવ્યું છે. જાત્રામાં શ્રદ્ધાળુ વહેલા તે પેહલાના ધોરણે નોંધણી કરી લઈ જવામાં આવશે.
જાત્રાળુને આરામદાયક મુસાફરી માટે ખાસ એ.સી.કોચ (બસ) કરવામાં આવી છે, ઉપરાંત સમયબદ્ધ ભોજન સહ ચા-પાણીની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. શ્રદ્ધાળુને કોઈ પણ તકલીફના પડે તે માટે ખાસ સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટના કૂલ 20 સ્વયંસેવક સભ્યો સેવા માટે તત્પર હાજર રહેશે.
- Advertisement -
સવારે 06:00 કલાકથી લઈને રાત્રે 11 : 00 કલાક સુધીની જાત્રા સમયસર પૂર્ણ થાય તેવી જેહમત સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાર્થરાજસિંહ ચૌહાણ, હાર્દિક ડોડીયા, રવિ પંચોટિયા, હાર્દિક ગજેરા, જલાધી ઝવેરી દ્વારા ઉઠાવવામાં આવી છે. વધુ વિગત માટે 90198 99999 નંબર પર સંપર્ક કરી શકાશે.