ક્યારેક ઘરમાં એવું બને છે કે કોઈ કારણ વગર મન ભારી લાગે છે અને વાતાવરણ પણ ઉદાસીન જણાય છે. આવી સ્થિતિ નકારાત્મક ઉર્જાનો સંકેત હોઈ શકે છે, જેને દૂર કરવા કપૂર બળાવવો લાભદાયી છે.
ક્યારેક ઘરનું વાતાવરણ એવું બને છે કે કોઈ ખાસ કારણ વગર મન ભારે લાગે છે, કામમાં મન ના લાગે, અને સતત થાક લાગે છે. ઘણીવાર ઘરના સભ્યોને ગુસ્સો આવે છે અથવા ચીડિયાપણું વધી જાય છે. તો આ એક સંકેત હોય છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે, જે આંખે જોવા મળતી નથી પણ જીવનને અસર કરે છે. હિન્દુ ધર્મમાં આવું દૂર કરવા ઘણા ઉપાય છે, જેમાં કપૂર બળાવવાનો ઉપાય ઘણો પ્રચલિત છે.
- Advertisement -
કપૂરનો ઉપયોગ
કપૂર એક સફેદ રંગનો પદાર્થ છે, જેને ઝાડની છાલમાંથી બનાવવામાં આવે છે. તેમાં તીવ્ર અને સુગંધિત ગંધ હોય છે. ખાસ વાત એ છે કે કપૂર બળે ત્યારે તેમાં રાખ જ નથી રહેતી, તે સંપૂર્ણ રીતે વરાળમાં પરિણમી જાય છે. હિન્દુ ધાર્મિક કૃત્યોમાં કપૂરને પવિત્રતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરો અને ઘરોમાં ભગવાન સામે કપૂર પ્રગટાવવાની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.
વિજ્ઞાન દ્વષ્ટીએ શું કહેવામાં આવે ?
જ્યાં એક બાજુ ધર્મ અને પરંપરા કપૂરને મહત્વ આપે છે, ત્યાં વિજ્ઞાન પણ કપૂરના ગુણોને માન્યતા આપે છે. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો કપૂર બળવાથી હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા, ફૂગ અને વાયરસનો નાશ થાય છે. તેની ખુશ્બૂ મનને શાંત કરે છે, તણાવ દૂર કરે છે અને ઊંઘ સુધારે છે. નકારાત્મક ઉર્જા હોવાના કેટલાક મુખ્ય સંકેતો હોય છે જેમ કે કોઈ કારણ વગર થાક લાગવો, ગુસ્સો આવવો, ઘરમાં ખટપટ વધવી અથવા વારંવાર બીમારીઓ થતા રહેવું. આવી સ્થિતિમાં કપૂર બળાવવાનો ઉપાય અજમાવવો જોઈએ જેથી આ ઉર્જાને દૂર કરી શકાય.
- Advertisement -
જાણો કપૂર બળાવવાની ચાચી રીત
કપૂર બળાવવાની સાચી રીત એ છે કે રોજ સવારે અથવા સાંજે એક સ્ટીલની વાટકીમાં બે-ત્રણ ટુકડા કપૂર મુકીને તેને પ્રગટાવવું. પછી તેને ઘરના ખૂણે ખૂણે લઈ જઈ શકાય. આ સમયે તમે મનમાં શાંતિ, સકારાત્મકતા જેવા મંત્રો બોલી શકો છો. ખાસ કરીને બેડરૂમમાં અને જ્યાં તમે વધુ સમય વિતાવતા હો તે સ્થળે ખાસ ધ્યાન આપવું. આ ઉપાયથી ઘરનું વાતાવરણ હળવું થાય છે, ડર અને ચિંતા ઓછી થાય છે, ઊંઘ સારી થાય છે, પરિવારમાં પ્રેમ અને શાંતિ વધે છે અને કામમાં એકાગ્રતા વધે છે.