ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકા મામલતદાર કચેરી ખાતે નવીનીકરણ પામેલા અદ્યતન જનસેવા કેન્દ્રનો જીલ્લા કલેકટર અજય દહિયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. અને જનસેવા કેન્દ્રનુ નિરિક્ષણ કલેકટરે કર્યું હતું. આ જનસેવા અરજદારોને ગરમીથી રાહત મળે તે માટે નવીનીકરણ પામેલા જનસેવા કેન્દ્રમાં વાતાનુકૂલિતની પણ સુવિધા પણ ઉમેરવામાં આવી છે. સિનિયર સિટિઝન્સ ઓછી તકલીફ રહે તે માટે તેમને વિશેષ પ્રાથમિકતા મળી રહે તે હેતુસર અલગથી બારી અને લાઇન થઇ શકે તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. તૌકતે વાવાઝોડાને લીધે થયેલી સ્થિતિને કારણે આ જનસેવા કેન્દ્રના નવીનીકરણની આવશ્યકતા વર્તાતી હતી. અને મહેસુલ વિભાગના અનુદાનમાંથી જનસેવા કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.