આગામી તા. 10 ને શનિવારના સાંજે 6-00 વાગ્યે ભારત સેવક સમાજ પરિસર, રાજકોટમાં સુપ્રસિદ્ધ હિંદી સાહિત્યકાર હજારીપ્રસાદ દ્વિવેદી- વ્યક્તિત્વ અને કૃતિત્વ પર હિંદી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ડો. ગીરીશ ત્રિવેદીજી વક્તવ્ય આપશે. ડો. ગીરીશ ત્રિવેદીજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હિન્દી ભવનના સિનિયર પ્રોફેસર રહી ચૂક્યા છે અને અનન્ય હિંદી સેવાધર્મ દાખવતા રહ્યા છે. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા અને હિન્દી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તરફથી રાજકોટના સર્વ સાહિત્યપ્રેમીઓને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિચારાત્મક નિબંધો બે શ્રેણીઓમાં પ્રથમ શ્રેણી કે નિબંધોમાં દાર્શનિક તત્ત્વોની પ્રધાનતા રહી છે. દ્વિતીય શ્રેણીના નિબંધ સામાજિક જીવન સંબંધી રહ્યા છે.
આલોચનાત્મક નિબંધ પણ બે શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. જેમાં પ્રથમ શ્રેણીમાં એવા નિબંધો છે જેમાં સાહિત્ય કે વિભિન્ન શાસ્ત્રીય દૃષ્ટિએ વિવેચન કર્યું છે અને દ્વિતીય શ્રેણીમાં એ નિબંધો આવે છે જેમાં સાહિત્યકારોની કૃતિઓ પર આલોચનાત્મક દૃષ્ટિથી વિચાર રજૂ કર્યા છે. દ્વિવેદીજીના આ નિબંધોમાં વિચારોની ગહનતા, નિરીક્ષણની નવીનતા અને વિશ્ર્લેષણની સૂક્ષ્મતા જોવા મળી શકે છે. દેશની ઘણી યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવી છે. તેમના કાર્યો પર ઘણા સંશોધન પત્રો લખાયા છે તે જ સમયે ઘણા સંશોધકોએ તેમના સાહિત્ય પર પીએચ.ડી.ની ડીગ્રી મેળવી છે. આ સાથે હિંદી વિષયમાં યુ.જી.સી., એન.ઈ.ટી. પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે નિર્મલ વર્માના જીવનચરિત્ર અને તેમના કાર્યોનો અભ્યાસ કરવો પણ જરૂરી છે.