ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ જિલ્લામાં ઘણા ગંભીર ગુનાઓમાં ઘરઘાટીની સંડોવણી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. કેટલાંક કિસ્સાઓમાં વયોવૃદ્ધ નાગરિકો મકાનમાં એકલા રહેતા હોય છે. તેમને ત્યાં ઘરકામ અર્થે રાખેલ ઘરઘાટીઓ પૈકી અમુક ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા હોય, તેમની એકલતાનો લાભ ઉઠાવી નાણાની અથવા અન્ય લાલચમાં આવી જઇ શરીર સંબંધિત કે મિલકત સંબંધિત ગુનાઓ આચરી ફરાર થઈ જતા હોય છે. આ ઉપરાંત આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ ઈસમો પણ આ રીતે છુપા વેશમાં રહે તેવી શક્યતા નકારી શકાય નહીં. ઘરઘાટીઓ જૂનાગઢ જિલ્લાની બહારના હોય છે અને તેઓ ગુનો આચરીને બહાર જતા રહેતા હોય છે. તેમની માહિતી મકાન માલિક કે પોલીસ પાસે હોતી નથી. પરિણામે તેમને પકડવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જેથી આવા બનાવો બનતા અટકાવવા તથા જૂનાગઢ જિલ્લા વિસ્તારની જાહેર જનતાની સલામતી અને શાંતિ જાળવવા આવા ઘરઘાટીઓના પુરા નામ, સરનામા, ફોટોગ્રાફ્સ, ધંધાકીય પ્રવૃત્તિની વિગત વગેરેની માહિતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં ઘરઘાટીની તમામ માહિતીની સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે
