રાજકોટમાં બોઘાણી શેરીમાં એસ. આર. બાલીવાલા નામે ધંધો કરતાં અસરફઅલીને અદાલતમાં હાજર થવા ફરમાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં તરસી પ્લાઝા કોમ્પલેક્ષમાં બીજા માળે જુમા મસ્જિદની બાજુમાં સોની બજારની બોઘાણી શેરીમાં એસ. આર. બાલીવાલા નામે સોનાનો ધંધો કરતાં અસરફઅલી મામીનઅલી ખાન તથા તુલજા જ્વેલર્સના નામથી સોની બજારમાં બોઘાણી શેરીમાં સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરતાં ફરિયાદી ભરતકુમાર કરસનદાસ લોઢીયા બંને મિત્રો હોય મિત્રતાના નાતે આરોપીએ ફરિયાદી પાસેથી લીધેલ રકમ રૂા. 5,00,000 પરત કરવા ઈસ્યુ કરી આપેલ ચેક રિટર્ન થતાં અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા રાજકોટના મહે. એડિ. ચીફ જ્યુડિ. મેજિ.એ આરોપી વિરૂદ્ધ પ્રોસેસ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો તરસી પ્લાઝા કોમ્પલેક્ષમાં બીજા માળે જુમા મસ્જિદની બાજુમાં સોની બજારની બોઘાણી શેરીમાં એસ. આર. બાલીવાલા નામે સોનાનો ધંધો કરતા આરોપી અસરફઅલી મામીનઅલી ખાન તથા તુલજા જ્વેલર્સના નામથી સોની બજારમાં બોઘાણી શેરીમાં સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરતાં ફરિયાદી ભરતકુમાર કરસનદાસ લોઢીયા બંને મિત્રો હોય તહોમતદારને ધંધામાં નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થતાં ફરિયાદી પાસે મિત્રતાના સંબંધના દાવે બે માસ પૂરતી રકમની જરૂરત હોવાનું જણાવી બે માસમાં પરત કરી આપવા આપેલા વચન, વિશ્ર્વાસ અને ખાત્રીના ભરોસે ફરિયાદીએ તહોમતદારને ધંધામાં મદદરૂપ થવાની ભાવનાથી આપેલી રકમ રૂા. 5,00,000 પરત કરવાનો સમય થતાં ફરિયાદીએ આરોપી પાસે રકમની માગણી કરતા આરોપીએ ફરિયાદીનું કાયદેસરનું લેણુ અદા કરવાની નૈતિક ફરજ અને કાનુની જવાબદારી સમજી આરોપીએ તેઓની બેંકનો રકમ રૂા. 5,00,000નો ચેક ફરિયાદી જોગનો એક ઈસ્યુ કરી આપી સહી કરી આપી ચેક પાસ થઈ જવા અને પરત નહીં ફરે અને લેણુ વસુલાઈ જશે તેવા આપેલા વચન શબ્દોના ભરોસે સ્વીકારેલો ચેક ફરિયાદીએ રાજકોટની તેઓની બેંકમાં ચેક રજૂ રાખતાં ચેક પાસ થયેલો નહીં અને ચેક રિટર્ન થતાં તે અન્વયે આરોપીને લેણાની માગણી નોટીસ આપવામાં આવેલી, જે નોટીસ બજી જવા છતાં ફરિયાદીનું કાયદેસરનું લેણુ અદા ન કરી પ્રથમથી જ ફરિયાદીનું લેણુ ડુબાડવાનો બદઆશય ધારણ કરી આરોપીએ ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલો હોવાથી આરોપી વિરૂદ્ધ ચેક રિટર્ન સબંધે અદાલતમાં ફરિયાદ દાખલ કરી રજૂઆત કરવામાં આવેલી કે રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે આરોપીએ ફરિયાદી પાસેથી લીધેલ રકમ અદા કરવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે, જે રજૂઆતો ધ્યાને લઈ અસરફઅલી મામીનઅલી ખાનનાઓને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં ફરિયાદી ભરતકુમાર લોઢીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહ, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.