રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી તેમજ યુવા એડવોકેટ કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ.
આવતીકાલે તેમના જન્મદિવસ નિમિતે બપોરે ૧૨ વાગ્યે ગોંડલ રોડ પર આવેલ રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે વડીલોને મીઠાઈ સાથે ભોજન કરાવવામાં આવશે.
કડવા પટેલ જ્ઞાતિના યુવા એડવોકેટ અને યુવા નીડર નેતા કિશન ટીલવાનો આવતીકાલે જન્મદિવસ છે.તેમનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૯૮૯ના રોજ જન્માષ્ટમીના શુભ દિવસે જુનાગઢ જીલ્લાના માણાવદર ગામ ખાતે થયેલ હતો.આવતીકાલે તેઓ ૩૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે.
વર્ષોથી ભાજપની વિચારધારા સાથે સંકડાયેલા કિશન ટીલવા જેમના પિતા જયસુખભાઈ ગોરધનભાઈ ટીલવા અને માતા રસીલાબેનના વારસા માંથી મળેલ સેવા અને સંસ્કાર થકી આજે તેઓ રાજકોટ શહેર યુવા ભાજપ મહામંત્રી તેમજ ઉમિયા માતાજી મંદિર સિદસરની પ્રોફેસનલ સમિતિના સૌરાષ્ટ્રના પ્રમુખ તરીકેની સેવાઓ આપી રહયા છે.
કોરોના વાયરસની મહામારી શરૂ થતા જ પહેલા જ લોકડાઉનથી જરૂરિયાતમંદ 1250 લોકોને દરરોજ સ્વામિનારાયણ ખીચડી રોટલી શાક આપી ને ગરીબોની આંતરડી ઠારવાનું પુણ્ય કાર્ય તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.
ઉપરાંત છેલ્લા 11 વર્ષથી રાજકોટ શહેર યુવા ભાજપમાં અને પાટીદાર સમાજમાં નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી રહયા છે. 2010 થી 2013 – હાલમા વોર્ડ નં 12 (જુનો વોર્ડ નં 21) ઉપપ્રમુખ યુવા ભાજપ 2013 થી 2016 – કારોબારી સભ્ય રાજકોટ શહેર યુવા ભાજપ 2016 થી હાલ માં – મંત્રી રાજકોટ શહેર યુવા ભાજપ. છેલ્લા 11 વર્ષોથી સૌરાષ્ટ્ર ના ખ્યાતનામ વકિલ,રાજયસભાના સભ્ય સ્વ.અભયભાઈ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ વકિલાતનો વ્યવસાય કરી રહયા છે તેમજ સૌરાષ્ટ્રના અનેક સીનીયર-જુનીયર વકીલોનું બહોળુ મિત્ર મંડળ પણ ધરાવી રહયા છે.
- Advertisement -
2015 થી 2018 – મંત્રી ઉમિયા સંગઠન સમિતિ રાજકોટ શહેર ( ઉમિયા માતાજી મંદિર સીદસર સંચાલીત) પ્રભારી – વોર્ડ નં.12 ઉમિયા સંગઠન સમિતિ રાજકોટ 2019 થી 2021 – પ્રમુખ ઉમિયા યુવા સંગઠન સમિતિ રાજકોટ શહેર ( ઉમિયા માતાજી મંદિર સીદસર સંચાલીત) 2019 થી 2021 – પ્રમુખ શ્યામલ સીટી સોસાયટી,150 ફુટ રીંગ રોડ મવડી પ્લોટ રાજકોટ. (સર્વાનુમતે બીન હરીફ) 2021 થી રનીંગ – પ્રમુખ પ્રોફેશનલ સમિતિ સૌરાષ્ટ્ર ઝોન ( ઉમિયા માતાજી મંદિર સીદસર સંચાલીત)ભુતકાળમા આશરે 13 વર્ષ પહેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે તેને સ્વાઈનફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારે શનિવાર હતો અને તે જ દિવસે ત્યારે મોદી સાહેબ ની તબીયત સારી થઈ જાય તે માટે કિશન ટીલવા એ અન્ન નો ત્યાગ કરી ફકત લીકવીડ ઉપર એક અઠીવાડીયું રહયા અને બીજા શનિવારે રીપોર્ટ નેગેટીવ આવતા રાજકોટ ખાતે કાલાવાડ રોડ પર આવેલ સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિર થી વહેલી સવાર ના વાગ્યા થી દંડવટ કરી રાત્રીના કુવાડવા ખાતે આવેલ સાત હનુમાનજી ના મંદીર ખાતે પહોચી તેની માનતા પુર્ણ કરેલ હતી. કિશન ટીલવા સોમનાથ મહાદેવ કષ્ટભંજન દેવ સ્વામિનારાયણ ભગવાન અને ઉમિયા માતાજીના પરમ ઉપાસક છે. આ ઉપરાંત ભુતકાળ માં યુથ ઓફ ગુજરાત નરેન્દ્ર મોદી ફેન કલબ સ્વામી વિવેકાનંદ મંડળ જેવી અનેક સંસ્થાઓ મા રહી સેવાઓ કરેલી છે. કિશન ટીલવાએ એલ.એલ.બી.(ઈન્ટીગ્રેટેડ) એલ.એલ.એમ. બી.જે.એમ.સી. એમ.જે.એમ.સી.નો અભ્યાસ પૂર્ણ કરેલ છે.અને હાલમાં પી.એચ.ડી. શરુ છે.
સેવાના સારથી કિશન ટીલવાને તેમના જન્મદિવસ નિમિતે સાંસદ મોહનભાઈ કુંડારીયા પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ ગુજરાત મ્યુ.ફા.બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ રૈયાણી લાખાભાઈ સાગઠીયા ભાનુબેન બાબરીયા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી રાજકોટના મેયર ડૉ.પ્રદીપભાઈ ડવ યુવા એડવોકેટ અંશ અભયભાઈ ભારદ્વાજ તેમજ અનેક રાજકીય સામાજીક આગેવાનો સાધુસંતો વડીલો અને વકીલ મિત્રો દ્વારા તેમના મો. ૯૯૭૪૦૦૧૦૧૦ પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
વિશેષ માં આવતીકાલે તેમના જન્મદિવસ નિમિતે બપોરે ૧૨ વાગ્યે ગોંડલ રોડ પર આવેલ રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે વડીલોને મીઠાઈ સાથે ભોજન કરાવવામાં આવશે. તે ઉપરાંત આવતીકાલે સાંજે ૬.૦૦ વાગ્યે વોર્ડ નં.૧૨ માં આવેલ સરદાર ચોક ૪૦ ફુટ રોડ મારવેલ હોસ્પિટલ પાસે રાજકોટ ખાતે કુમકુમ ગૃપ દ્વારા ૫૦૧ તુલશીના રોપા બીલીના રોપા પાણીના કુંડા ચકલીના માળા તેમજ માસ્ક વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ તકે નીતીનભાઈ ભારદ્વાજ ગુજરાત મ્યુ.ફા.બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ રૈયાણી લાખાભાઈ સાગઠીયા ભાનુબેન બાબરીયા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી રાજકોટના મેયર ડૉ.પ્રદીપભાઈ ડવ યુવા એડવોકેટ અંશ અભયભાઈ ભારદ્વાજ સહિતના આગેવાનો હાજર રહેશે.


