આ પત્રમાં કાદરીએ રાહુલ ગાંધીને સોનિયા ગાંધીને આપેલા પત્રો, ફોટો કોપી અને ડિજિટલ કોપી પરત કરવાની અપીલ કરી હતી. આ પહેલા મ્યુઝિયમે સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો.
વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે માંગણી કરી છે કે દેશના પૂર્વ વડાપ્રધાન પંડિત નેહરુના અંગત પત્રો જે સોનિયા ગાંધી દ્વારા લેવામાં આવ્યા હતા તે પરત કરવામાં આવે. આ અંગે મ્યુઝિયમે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રો સોનિયા ગાંધીએ 2008માં યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન મંગાવ્યા હતા. આ પત્ર રાહુલ ગાંધીને 10 ડિસેમ્બરે વડાપ્રધાન મ્યુઝિયમના સભ્ય રિઝવાન કાદરીએ લખ્યો હતો. આ પત્રમાં કાદરીએ રાહુલ ગાંધીને સોનિયા ગાંધીને આપેલા પત્રો, ફોટો કોપી અને ડિજિટલ કોપી પરત કરવાની અપીલ કરી હતી. આ પહેલા મ્યુઝિયમે સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો.
- Advertisement -
પંડિત નેહરુના આ પત્રો ખૂબ જ ઐતિહાસિક છે
પંડિત નેહરુના આ અંગત પત્રોને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવે છે. અગાઉ આ પત્રો જવાહરલાલ નેહરુ મેમોરિયલ પાસે હતા, જે વર્ષ 1971માં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીને આપવામાં આવ્યા હતા. હવે આ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીને પ્રધાનમંત્રી મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે. માંગવામાં આવેલા પત્રો પંડિત નેહરુ અને એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજય લક્ષ્મી પંડિત, અરુણા અસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ વલ્લભ પંત જેવી મહાન હસ્તીઓ વચ્ચેની વાતચીત પર આધારિત છે.
ભાજપનો વળતો પ્રહાર, શું રાહુલ ગાંધી લેશે કોઈ પગલાં?
પત્રો પરત કરવાની માગણી કરતો પત્ર સામે આવ્યા બાદ ભાજપે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઇઉંઙ ઈંઝ સેલના પ્રભારી અમિત માલવિયાએ પૂર્વ ઙખના અંગત પત્રવ્યવહારને રોકવા પાછળના હેતુ પર સવાલ ઉઠાવ્યા હતા. માલવિયાએ કટાક્ષ કર્યો, ‘મને જે ખાસ રસપ્રદ લાગ્યું તે એ છે કે નહેરુજીએ માઉન્ટબેટનને શું લખ્યું હશે જેના માટે આવી સેન્સરશિપની જરૂર પડી? અને શું રાહુલ ગાંધીએ આ પત્રો પાછા લાવવા કાર્યવાહી કરશે?’