By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 day ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વરસાદ, સાદ, સંવાદ અને સંવેદના !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વરસાદ, સાદ, સંવાદ અને સંવેદના !
Author

વરસાદ, સાદ, સંવાદ અને સંવેદના !

Khaskhabar Editor
Last updated: 2024/08/31 at 5:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

નીતા દવે

આભ સરીખું હદય આજ બન્યું એકાકાર
વાદળની વેદના વરસી, વહી અનરાધાર
અકળ વિકળ જગત સર્વે આજે હતું સજળ
ગોરંભાયેલું ગગન પછી, વરસ્યું અનરાધાર

- Advertisement -

ચોમાસું એટલે વ્હાલનો અવસર. રંગ વગરનું પાણી જગતને રંગીન કરી જાય છે. ઝરમર વરસતો વરસાદ માત્ર શરીરને જ નહીં પણ મનને પણ તરબતર કરી દેતો હોય છે. પ્રકૃતિથી લઈ અને સમગ્ર જીવસૃષ્ટિ ઉપર ચારે બાજુ જાણે પ્રણય તત્વનો જાદુ છવાયો હોય તેવું રંગીન વાતાવરણ થઈ જાય છે. વરસાદ પહેલો કે છેલ્લો એવું કંઈ ન હોય એ તો બસ મન મૂકીને વરસેજો જીલી શકો તો તમારો થઈને રહે અને અવગણો તો એ ભીનાશનો અવસર આંતર મન સુધી કોરપ મૂકીને જતો રહે.
ઋતુચક્રની ત્રણેય ઋતુમાં વર્ષાઋતુને પરિવર્તનનાં સમય તરીકે ઓળખવામાં આવે છે. આ પરિવર્તન માત્ર બાહ્ય જ હોતું નથી. વરસાદ આવવાથી માત્ર ધરા જ ભીની નથી થતી,પરંતુ યૌવનના આંગણે ઉભેલી એક યુવાન સ્ત્રી પણ કાચી માટી ની જેમ પલળી અને મનનાં મેધધનુષમાં પ્રેમની રંગોળી ચીતરી લેતી હોય છે. એક દિવસના ચોમાસાને મળવા આખું વર્ષ રાહ જોતી તરસતીએ ચાતક સરીખીએ પ્રેમિકાની બે આંખો પ્રિયવર સમાન વરસાદનાં બે છાંટા ને ઝીલતા જ મોરની જેમ કળા કરી ખીલી ઊઠે છે.વરસાદમાં મળતા પ્રેમીજનનું એ મિલન વરસાદ ને પણ યાદગાર બનાવી બની જતું હોય છે.

હવે તો ચોમાસાની ઋતુનો ઉત્તરાર્ધ કહી શકાય. પરંતુ વરસાદ અને વ્હાલ ને ક્યાં કોઈ ઋતુનાં બંધન નડે છે.! કે,તેને ક્યાં કોઈ ગ્રહ નક્ષત્ર નું નડતર છે?
જેમ ધરતી ની તરસે વાદળ વરસેએ તરસ, એ મિલન અવિરત હોય. જાણે કે જન્માંત્તર સુધી વિરહના અવસાદને વેઠી ને બેઠેલી કોઈ મુગ્ધા..! જેમ ઉનાળાનાં ધખ ધખતા તાપમાં કાળી જમીન પર માટીનાં કોરાકટ થઈ ગયેલા ઢેફાની જેમ અંતરમાં સાવ સુકાઈ ગયેલી સંવેદનાને, ભીતર સુધીની કોરપને ભીનાશમાં પરિવર્તિત કરવા વરસાદ એક અવસર સમાન બની રહેતો હોય છે. ધરતી નાં સાતેય પડ ને ભેદીને પાતાળ સુધી ભીનાશને પ્રસરાતો આ ધીંગો વરસાદ મિલનનું એક ઉત્કૃષ્ટ સંભારણું બની રહેતો હોય છે.વરસાદી વાતાવરણ હોય અને પ્રિયજનનો સંગાથ હોય..!એક મેક માં ખોવાયેલા બે વિખુટા પડેલા હૈયા નિજાનંદ માં એકાંત ને માણતાં હોય..
હું, તું અને વરસાદ, પ્રસંગ જો આવો મળે,

જીંદગીને જીંદગી કહેવાનો લ્હાવો મળે
આથી આગળ સુખ ની વ્યાખ્યા માટે કદાચ કવિ પાસે શબ્દો પણ ઘટી પડે..!
વરસાદ એ અનેક સંભારણાંનો સાથી છે.બાળપણ હોય યુવાની કે વૃદ્ધત્વ ના અનુભવે બેઠેલી એક સમજણ..! બાળપણમાં શેરી મિત્રો સાથે વહેતા જળમાં વહાવેલા કાગળના વહાણો હોય કે પછી યુવાવસ્થામાં વરસતા વરસાદમાં પોતાની પ્રિયાને એક નજર જોવા માટે માઈલોની સફર કાપી અને તેને દુનિયા ની નજરથી છુપાવીને જોવાની કળા શીખેલો એક યુવાન હોયકે પછી સંબંધોની, સમજણની, અને દુનિયાદારીની અનુભવી આંખો પર વરસાદ નાં પડતાં બે ચાર છાંટા પર ગુસ્સે થઇ પોતના ચશ્માં નાં કાચ સાફ કરતું વૃદ્ધત્વ હોય..! વરસાદ અનેક સ્મરણોનો સંગાથી હોય છે. ક્યાંક સુખદ તો ક્યાંક દુ:ખદ..! કોઈને વરસાદમાં પ્રિયજન ને મળ્યાં નું સંભારણું હોય તો કોઈ એકાદ જણ એવું પણ હોય કે જેને વરસતા વરસાદમાં તૂટેલી ઝૂંપડીમાં બે બાળકો અને પત્નીનાં ફાટેલા કપડાં અને જમવાની ખાલી થાળી જોઈ વરસાદ વરસાવતા ઈશ્વર પર ચડી આવતો ગુસ્સો હોયઠીક એવી જ રીતે વરસાદ ક્યાંક અવસર હોય તો ક્યાંક વરસાદ જ એક અવસાદ પણ બની રહેતો હોય છે. સમગ્ર સૃષ્ટિ માટે વરસાદ એક એક જીવા દોરી સમાન છે. જીવ માત્ર નું જીવન જળ વગર શક્ય નથી.ઋતુઓ દરમિયાન દરિયાનાં ખારા પાણીનું બાષ્પીભવન અને મીઠા પાણીનો વરસાદ. આ સત્ય જીવનના તથ્યને પણ સમજાવી જાય છે. પાણી સમગ્ર જળ તત્વ માંથી પોતાના અસ્તિત્વનો લોપ કરી અને વરાળ સ્વરૂપે અવકાશમાં ગતિમાન થાય છે અને ત્યાં નવાં સ્વરૂપે વાદળ માં બંધાય છેત્યાંથી ફરી પાછું નવ અવતરણ કરી અને પૃથ્વી પર આવે છે.આવું જ ચક્ર જીવ માત્રનું છે.આ આવાગમનની પ્રક્રિયા જ જીવનનો પર્યાય પણ કહી શકાય.વરસાદનું આવવું એ પ્રકૃતિનું તમામ જીવ સાથેનું સમાન તત્વ ગણી શકાય.વરસતો આ વરસાદ તેના દરેક ટીંપા દ્વારા સમગ્ર સૃષ્ટિને એક સંદેશો આપે છે કે, છલકાશે તે ઢોળાઈ જશે અને ખાલી થશે તે ભરાઈ જશે..!બસ ક્યાં કેટલું ભરાવું અને કેટલું છલકાવવું એ વિવેક માનવ સ્વભાવમાં હોવો જોઈએ.દરેક સમય વીતી જવાનો છે. અવકાશમાંથી પડતો છાંટો પૃથ્વી પર આવી અને ફરી જમીનદોસ્ત થઈ જવાનો છે.તેવી જ રીતે ઊંચાઈના અભિમાન પર રહેતા લોકોએ જીવનમાં એક વાર જમીનનો સામનો ચોક્કસ કરવો પડે છે. જીવનની સુખદ ક્ષણો બહુ ટૂંકી હોય છે.

- Advertisement -

તેને જીવી જાણવી જોઈએ સંભાળી રાખશો તો સરકી જશે પણ જીવી લેશો તો અમરત્વને વરેલું સુખદ સંભારણું બની જશે.
કહેવાય છે કે જે પ્રેમી યુગલ નું પ્રથમ મિલન વરસાદમાં થાય છે તે ક્યારેય છૂટા પડતા નથી.તેનું મિલન શાશ્વત બની જતું હોય છે..! આ ઉક્તિનું કોઈ તાર્કિક કારણ તો મળતું નથી. પરંતુ સંવેદનાત્મક કારણ ચોક્કસ એ કહી શકાય કે વરસાદ એ પવિત્રતાની પારાશીશી સમાન હોય છે,અને પ્રેમની પહેલી શરત એટલે જ પવિત્રતા..! વરસાદ શીખવે છે, પ્રેમ ને પામતા પહેલા પ્રિયપાત્ર ને સમર્પિત થઈ જવું પડે છે. પ્રણય ની ઝંખના રાખતા પહેલા પોતાના અસ્તિત્વને પ્રિયપાત્ર પર ઓળ ધોળ કરવું પડે અને ત્યારે જ પ્રણેય સંબંધની શીતળતાને પામી શકાય.કોરા ધાકોર બનેલા હૃદયને પ્રીત નાં રંગે રંગવા માટે પહેલા પરસ્પરનાં આંતર ઉજાશ ને પામવો પડે અને એટલે જ તો કદાચ મેધ નાં ખૂબ વરસ્યા પછી ખાલી થઈ ગયેલું શ્વેતવર્ણી આકાશ પણ મેધધનુષી સપ્ત રંગો ની ચૂંદડી ઓઢે છે..! અને એ દરેક રંગીન સૂર્ય કિરણ જાણે એવું કહેતું હોય કે વરસાદ થી ખીલેલા પ્રણય રંગો અમિટ હોય છે શાશ્વત હોય છે.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: dialogue, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જ્યોતિ CNCના પરાક્રમસિંહ જાડેજા રાજકોટનાં નંબર 1 ધનકુબેર!
Next Article જામનગર સિંધી સમાજમાં ‘ઝુલેલાલ ચાલીસા’ મહોત્સવ સંપન્ન : પૂજ્ય ભહેરાણાયાત્રા નીકળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?