By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    19 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    2 days ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    17 hours ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    17 hours ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    17 hours ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    17 hours ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    19 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    3 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વરસાદ, સાદ, સંવાદ અને સંવેદના !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વરસાદ, સાદ, સંવાદ અને સંવેદના !
Author

વરસાદ, સાદ, સંવાદ અને સંવેદના !

Khaskhabar Editor
Last updated: 2024/08/31 at 5:27 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

નીતા દવે

આભ સરીખું હદય આજ બન્યું એકાકાર
વાદળની વેદના વરસી, વહી અનરાધાર
અકળ વિકળ જગત સર્વે આજે હતું સજળ
ગોરંભાયેલું ગગન પછી, વરસ્યું અનરાધાર

- Advertisement -

ચોમાસું એટલે વ્હાલનો અવસર. રંગ વગરનું પાણી જગતને રંગીન કરી જાય છે. ઝરમર વરસતો વરસાદ માત્ર શરીરને જ નહીં પણ મનને પણ તરબતર કરી દેતો હોય છે. પ્રકૃતિથી લઈ અને સમગ્ર જીવસૃષ્ટિ ઉપર ચારે બાજુ જાણે પ્રણય તત્વનો જાદુ છવાયો હોય તેવું રંગીન વાતાવરણ થઈ જાય છે. વરસાદ પહેલો કે છેલ્લો એવું કંઈ ન હોય એ તો બસ મન મૂકીને વરસેજો જીલી શકો તો તમારો થઈને રહે અને અવગણો તો એ ભીનાશનો અવસર આંતર મન સુધી કોરપ મૂકીને જતો રહે.
ઋતુચક્રની ત્રણેય ઋતુમાં વર્ષાઋતુને પરિવર્તનનાં સમય તરીકે ઓળખવામાં આવે છે. આ પરિવર્તન માત્ર બાહ્ય જ હોતું નથી. વરસાદ આવવાથી માત્ર ધરા જ ભીની નથી થતી,પરંતુ યૌવનના આંગણે ઉભેલી એક યુવાન સ્ત્રી પણ કાચી માટી ની જેમ પલળી અને મનનાં મેધધનુષમાં પ્રેમની રંગોળી ચીતરી લેતી હોય છે. એક દિવસના ચોમાસાને મળવા આખું વર્ષ રાહ જોતી તરસતીએ ચાતક સરીખીએ પ્રેમિકાની બે આંખો પ્રિયવર સમાન વરસાદનાં બે છાંટા ને ઝીલતા જ મોરની જેમ કળા કરી ખીલી ઊઠે છે.વરસાદમાં મળતા પ્રેમીજનનું એ મિલન વરસાદ ને પણ યાદગાર બનાવી બની જતું હોય છે.

હવે તો ચોમાસાની ઋતુનો ઉત્તરાર્ધ કહી શકાય. પરંતુ વરસાદ અને વ્હાલ ને ક્યાં કોઈ ઋતુનાં બંધન નડે છે.! કે,તેને ક્યાં કોઈ ગ્રહ નક્ષત્ર નું નડતર છે?
જેમ ધરતી ની તરસે વાદળ વરસેએ તરસ, એ મિલન અવિરત હોય. જાણે કે જન્માંત્તર સુધી વિરહના અવસાદને વેઠી ને બેઠેલી કોઈ મુગ્ધા..! જેમ ઉનાળાનાં ધખ ધખતા તાપમાં કાળી જમીન પર માટીનાં કોરાકટ થઈ ગયેલા ઢેફાની જેમ અંતરમાં સાવ સુકાઈ ગયેલી સંવેદનાને, ભીતર સુધીની કોરપને ભીનાશમાં પરિવર્તિત કરવા વરસાદ એક અવસર સમાન બની રહેતો હોય છે. ધરતી નાં સાતેય પડ ને ભેદીને પાતાળ સુધી ભીનાશને પ્રસરાતો આ ધીંગો વરસાદ મિલનનું એક ઉત્કૃષ્ટ સંભારણું બની રહેતો હોય છે.વરસાદી વાતાવરણ હોય અને પ્રિયજનનો સંગાથ હોય..!એક મેક માં ખોવાયેલા બે વિખુટા પડેલા હૈયા નિજાનંદ માં એકાંત ને માણતાં હોય..
હું, તું અને વરસાદ, પ્રસંગ જો આવો મળે,

જીંદગીને જીંદગી કહેવાનો લ્હાવો મળે
આથી આગળ સુખ ની વ્યાખ્યા માટે કદાચ કવિ પાસે શબ્દો પણ ઘટી પડે..!
વરસાદ એ અનેક સંભારણાંનો સાથી છે.બાળપણ હોય યુવાની કે વૃદ્ધત્વ ના અનુભવે બેઠેલી એક સમજણ..! બાળપણમાં શેરી મિત્રો સાથે વહેતા જળમાં વહાવેલા કાગળના વહાણો હોય કે પછી યુવાવસ્થામાં વરસતા વરસાદમાં પોતાની પ્રિયાને એક નજર જોવા માટે માઈલોની સફર કાપી અને તેને દુનિયા ની નજરથી છુપાવીને જોવાની કળા શીખેલો એક યુવાન હોયકે પછી સંબંધોની, સમજણની, અને દુનિયાદારીની અનુભવી આંખો પર વરસાદ નાં પડતાં બે ચાર છાંટા પર ગુસ્સે થઇ પોતના ચશ્માં નાં કાચ સાફ કરતું વૃદ્ધત્વ હોય..! વરસાદ અનેક સ્મરણોનો સંગાથી હોય છે. ક્યાંક સુખદ તો ક્યાંક દુ:ખદ..! કોઈને વરસાદમાં પ્રિયજન ને મળ્યાં નું સંભારણું હોય તો કોઈ એકાદ જણ એવું પણ હોય કે જેને વરસતા વરસાદમાં તૂટેલી ઝૂંપડીમાં બે બાળકો અને પત્નીનાં ફાટેલા કપડાં અને જમવાની ખાલી થાળી જોઈ વરસાદ વરસાવતા ઈશ્વર પર ચડી આવતો ગુસ્સો હોયઠીક એવી જ રીતે વરસાદ ક્યાંક અવસર હોય તો ક્યાંક વરસાદ જ એક અવસાદ પણ બની રહેતો હોય છે. સમગ્ર સૃષ્ટિ માટે વરસાદ એક એક જીવા દોરી સમાન છે. જીવ માત્ર નું જીવન જળ વગર શક્ય નથી.ઋતુઓ દરમિયાન દરિયાનાં ખારા પાણીનું બાષ્પીભવન અને મીઠા પાણીનો વરસાદ. આ સત્ય જીવનના તથ્યને પણ સમજાવી જાય છે. પાણી સમગ્ર જળ તત્વ માંથી પોતાના અસ્તિત્વનો લોપ કરી અને વરાળ સ્વરૂપે અવકાશમાં ગતિમાન થાય છે અને ત્યાં નવાં સ્વરૂપે વાદળ માં બંધાય છેત્યાંથી ફરી પાછું નવ અવતરણ કરી અને પૃથ્વી પર આવે છે.આવું જ ચક્ર જીવ માત્રનું છે.આ આવાગમનની પ્રક્રિયા જ જીવનનો પર્યાય પણ કહી શકાય.વરસાદનું આવવું એ પ્રકૃતિનું તમામ જીવ સાથેનું સમાન તત્વ ગણી શકાય.વરસતો આ વરસાદ તેના દરેક ટીંપા દ્વારા સમગ્ર સૃષ્ટિને એક સંદેશો આપે છે કે, છલકાશે તે ઢોળાઈ જશે અને ખાલી થશે તે ભરાઈ જશે..!બસ ક્યાં કેટલું ભરાવું અને કેટલું છલકાવવું એ વિવેક માનવ સ્વભાવમાં હોવો જોઈએ.દરેક સમય વીતી જવાનો છે. અવકાશમાંથી પડતો છાંટો પૃથ્વી પર આવી અને ફરી જમીનદોસ્ત થઈ જવાનો છે.તેવી જ રીતે ઊંચાઈના અભિમાન પર રહેતા લોકોએ જીવનમાં એક વાર જમીનનો સામનો ચોક્કસ કરવો પડે છે. જીવનની સુખદ ક્ષણો બહુ ટૂંકી હોય છે.

- Advertisement -

તેને જીવી જાણવી જોઈએ સંભાળી રાખશો તો સરકી જશે પણ જીવી લેશો તો અમરત્વને વરેલું સુખદ સંભારણું બની જશે.
કહેવાય છે કે જે પ્રેમી યુગલ નું પ્રથમ મિલન વરસાદમાં થાય છે તે ક્યારેય છૂટા પડતા નથી.તેનું મિલન શાશ્વત બની જતું હોય છે..! આ ઉક્તિનું કોઈ તાર્કિક કારણ તો મળતું નથી. પરંતુ સંવેદનાત્મક કારણ ચોક્કસ એ કહી શકાય કે વરસાદ એ પવિત્રતાની પારાશીશી સમાન હોય છે,અને પ્રેમની પહેલી શરત એટલે જ પવિત્રતા..! વરસાદ શીખવે છે, પ્રેમ ને પામતા પહેલા પ્રિયપાત્ર ને સમર્પિત થઈ જવું પડે છે. પ્રણય ની ઝંખના રાખતા પહેલા પોતાના અસ્તિત્વને પ્રિયપાત્ર પર ઓળ ધોળ કરવું પડે અને ત્યારે જ પ્રણેય સંબંધની શીતળતાને પામી શકાય.કોરા ધાકોર બનેલા હૃદયને પ્રીત નાં રંગે રંગવા માટે પહેલા પરસ્પરનાં આંતર ઉજાશ ને પામવો પડે અને એટલે જ તો કદાચ મેધ નાં ખૂબ વરસ્યા પછી ખાલી થઈ ગયેલું શ્વેતવર્ણી આકાશ પણ મેધધનુષી સપ્ત રંગો ની ચૂંદડી ઓઢે છે..! અને એ દરેક રંગીન સૂર્ય કિરણ જાણે એવું કહેતું હોય કે વરસાદ થી ખીલેલા પ્રણય રંગો અમિટ હોય છે શાશ્વત હોય છે.

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

TAGGED: dialogue, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જ્યોતિ CNCના પરાક્રમસિંહ જાડેજા રાજકોટનાં નંબર 1 ધનકુબેર!
Next Article જામનગર સિંધી સમાજમાં ‘ઝુલેલાલ ચાલીસા’ મહોત્સવ સંપન્ન : પૂજ્ય ભહેરાણાયાત્રા નીકળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?