By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    2 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    2 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    2 days ago
    જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
    2 days ago
    ‘પુરસ્કૃત મુક્ત અને લોકશાહી ભાગીદાર’: નિક્કી હેલીએ ભારતને ચીનનો સામનો કરવા માટે ચાવીરૂપ ગણાવ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા
    11 hours ago
    કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા
    11 hours ago
    હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
    13 hours ago
    મતદાર યાદી સુધારણા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ
    14 hours ago
    ભારતમાં TikTok પાછું આવ્યું? ચીની એપના પાછા ફરવાની ચર્ચા વચ્ચે સરકારે જવાબ આપ્યો
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    1 day ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    4 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    1 week ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    2 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    4 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    5 days ago
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    2 weeks ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    11 hours ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    16 hours ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    2 days ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    1 week ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    2 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    3 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    4 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    1 week ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વરસાદ, સાદ, સંવાદ અને સંવેદના !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વરસાદ, સાદ, સંવાદ અને સંવેદના !
Author

વરસાદ, સાદ, સંવાદ અને સંવેદના !

Khaskhabar Editor
Last updated: 2024/08/31 at 5:27 PM
Khaskhabar Editor 12 months ago
Share
6 Min Read
SHARE

નીતા દવે

આભ સરીખું હદય આજ બન્યું એકાકાર
વાદળની વેદના વરસી, વહી અનરાધાર
અકળ વિકળ જગત સર્વે આજે હતું સજળ
ગોરંભાયેલું ગગન પછી, વરસ્યું અનરાધાર

- Advertisement -

ચોમાસું એટલે વ્હાલનો અવસર. રંગ વગરનું પાણી જગતને રંગીન કરી જાય છે. ઝરમર વરસતો વરસાદ માત્ર શરીરને જ નહીં પણ મનને પણ તરબતર કરી દેતો હોય છે. પ્રકૃતિથી લઈ અને સમગ્ર જીવસૃષ્ટિ ઉપર ચારે બાજુ જાણે પ્રણય તત્વનો જાદુ છવાયો હોય તેવું રંગીન વાતાવરણ થઈ જાય છે. વરસાદ પહેલો કે છેલ્લો એવું કંઈ ન હોય એ તો બસ મન મૂકીને વરસેજો જીલી શકો તો તમારો થઈને રહે અને અવગણો તો એ ભીનાશનો અવસર આંતર મન સુધી કોરપ મૂકીને જતો રહે.
ઋતુચક્રની ત્રણેય ઋતુમાં વર્ષાઋતુને પરિવર્તનનાં સમય તરીકે ઓળખવામાં આવે છે. આ પરિવર્તન માત્ર બાહ્ય જ હોતું નથી. વરસાદ આવવાથી માત્ર ધરા જ ભીની નથી થતી,પરંતુ યૌવનના આંગણે ઉભેલી એક યુવાન સ્ત્રી પણ કાચી માટી ની જેમ પલળી અને મનનાં મેધધનુષમાં પ્રેમની રંગોળી ચીતરી લેતી હોય છે. એક દિવસના ચોમાસાને મળવા આખું વર્ષ રાહ જોતી તરસતીએ ચાતક સરીખીએ પ્રેમિકાની બે આંખો પ્રિયવર સમાન વરસાદનાં બે છાંટા ને ઝીલતા જ મોરની જેમ કળા કરી ખીલી ઊઠે છે.વરસાદમાં મળતા પ્રેમીજનનું એ મિલન વરસાદ ને પણ યાદગાર બનાવી બની જતું હોય છે.

હવે તો ચોમાસાની ઋતુનો ઉત્તરાર્ધ કહી શકાય. પરંતુ વરસાદ અને વ્હાલ ને ક્યાં કોઈ ઋતુનાં બંધન નડે છે.! કે,તેને ક્યાં કોઈ ગ્રહ નક્ષત્ર નું નડતર છે?
જેમ ધરતી ની તરસે વાદળ વરસેએ તરસ, એ મિલન અવિરત હોય. જાણે કે જન્માંત્તર સુધી વિરહના અવસાદને વેઠી ને બેઠેલી કોઈ મુગ્ધા..! જેમ ઉનાળાનાં ધખ ધખતા તાપમાં કાળી જમીન પર માટીનાં કોરાકટ થઈ ગયેલા ઢેફાની જેમ અંતરમાં સાવ સુકાઈ ગયેલી સંવેદનાને, ભીતર સુધીની કોરપને ભીનાશમાં પરિવર્તિત કરવા વરસાદ એક અવસર સમાન બની રહેતો હોય છે. ધરતી નાં સાતેય પડ ને ભેદીને પાતાળ સુધી ભીનાશને પ્રસરાતો આ ધીંગો વરસાદ મિલનનું એક ઉત્કૃષ્ટ સંભારણું બની રહેતો હોય છે.વરસાદી વાતાવરણ હોય અને પ્રિયજનનો સંગાથ હોય..!એક મેક માં ખોવાયેલા બે વિખુટા પડેલા હૈયા નિજાનંદ માં એકાંત ને માણતાં હોય..
હું, તું અને વરસાદ, પ્રસંગ જો આવો મળે,

જીંદગીને જીંદગી કહેવાનો લ્હાવો મળે
આથી આગળ સુખ ની વ્યાખ્યા માટે કદાચ કવિ પાસે શબ્દો પણ ઘટી પડે..!
વરસાદ એ અનેક સંભારણાંનો સાથી છે.બાળપણ હોય યુવાની કે વૃદ્ધત્વ ના અનુભવે બેઠેલી એક સમજણ..! બાળપણમાં શેરી મિત્રો સાથે વહેતા જળમાં વહાવેલા કાગળના વહાણો હોય કે પછી યુવાવસ્થામાં વરસતા વરસાદમાં પોતાની પ્રિયાને એક નજર જોવા માટે માઈલોની સફર કાપી અને તેને દુનિયા ની નજરથી છુપાવીને જોવાની કળા શીખેલો એક યુવાન હોયકે પછી સંબંધોની, સમજણની, અને દુનિયાદારીની અનુભવી આંખો પર વરસાદ નાં પડતાં બે ચાર છાંટા પર ગુસ્સે થઇ પોતના ચશ્માં નાં કાચ સાફ કરતું વૃદ્ધત્વ હોય..! વરસાદ અનેક સ્મરણોનો સંગાથી હોય છે. ક્યાંક સુખદ તો ક્યાંક દુ:ખદ..! કોઈને વરસાદમાં પ્રિયજન ને મળ્યાં નું સંભારણું હોય તો કોઈ એકાદ જણ એવું પણ હોય કે જેને વરસતા વરસાદમાં તૂટેલી ઝૂંપડીમાં બે બાળકો અને પત્નીનાં ફાટેલા કપડાં અને જમવાની ખાલી થાળી જોઈ વરસાદ વરસાવતા ઈશ્વર પર ચડી આવતો ગુસ્સો હોયઠીક એવી જ રીતે વરસાદ ક્યાંક અવસર હોય તો ક્યાંક વરસાદ જ એક અવસાદ પણ બની રહેતો હોય છે. સમગ્ર સૃષ્ટિ માટે વરસાદ એક એક જીવા દોરી સમાન છે. જીવ માત્ર નું જીવન જળ વગર શક્ય નથી.ઋતુઓ દરમિયાન દરિયાનાં ખારા પાણીનું બાષ્પીભવન અને મીઠા પાણીનો વરસાદ. આ સત્ય જીવનના તથ્યને પણ સમજાવી જાય છે. પાણી સમગ્ર જળ તત્વ માંથી પોતાના અસ્તિત્વનો લોપ કરી અને વરાળ સ્વરૂપે અવકાશમાં ગતિમાન થાય છે અને ત્યાં નવાં સ્વરૂપે વાદળ માં બંધાય છેત્યાંથી ફરી પાછું નવ અવતરણ કરી અને પૃથ્વી પર આવે છે.આવું જ ચક્ર જીવ માત્રનું છે.આ આવાગમનની પ્રક્રિયા જ જીવનનો પર્યાય પણ કહી શકાય.વરસાદનું આવવું એ પ્રકૃતિનું તમામ જીવ સાથેનું સમાન તત્વ ગણી શકાય.વરસતો આ વરસાદ તેના દરેક ટીંપા દ્વારા સમગ્ર સૃષ્ટિને એક સંદેશો આપે છે કે, છલકાશે તે ઢોળાઈ જશે અને ખાલી થશે તે ભરાઈ જશે..!બસ ક્યાં કેટલું ભરાવું અને કેટલું છલકાવવું એ વિવેક માનવ સ્વભાવમાં હોવો જોઈએ.દરેક સમય વીતી જવાનો છે. અવકાશમાંથી પડતો છાંટો પૃથ્વી પર આવી અને ફરી જમીનદોસ્ત થઈ જવાનો છે.તેવી જ રીતે ઊંચાઈના અભિમાન પર રહેતા લોકોએ જીવનમાં એક વાર જમીનનો સામનો ચોક્કસ કરવો પડે છે. જીવનની સુખદ ક્ષણો બહુ ટૂંકી હોય છે.

- Advertisement -

તેને જીવી જાણવી જોઈએ સંભાળી રાખશો તો સરકી જશે પણ જીવી લેશો તો અમરત્વને વરેલું સુખદ સંભારણું બની જશે.
કહેવાય છે કે જે પ્રેમી યુગલ નું પ્રથમ મિલન વરસાદમાં થાય છે તે ક્યારેય છૂટા પડતા નથી.તેનું મિલન શાશ્વત બની જતું હોય છે..! આ ઉક્તિનું કોઈ તાર્કિક કારણ તો મળતું નથી. પરંતુ સંવેદનાત્મક કારણ ચોક્કસ એ કહી શકાય કે વરસાદ એ પવિત્રતાની પારાશીશી સમાન હોય છે,અને પ્રેમની પહેલી શરત એટલે જ પવિત્રતા..! વરસાદ શીખવે છે, પ્રેમ ને પામતા પહેલા પ્રિયપાત્ર ને સમર્પિત થઈ જવું પડે છે. પ્રણય ની ઝંખના રાખતા પહેલા પોતાના અસ્તિત્વને પ્રિયપાત્ર પર ઓળ ધોળ કરવું પડે અને ત્યારે જ પ્રણેય સંબંધની શીતળતાને પામી શકાય.કોરા ધાકોર બનેલા હૃદયને પ્રીત નાં રંગે રંગવા માટે પહેલા પરસ્પરનાં આંતર ઉજાશ ને પામવો પડે અને એટલે જ તો કદાચ મેધ નાં ખૂબ વરસ્યા પછી ખાલી થઈ ગયેલું શ્વેતવર્ણી આકાશ પણ મેધધનુષી સપ્ત રંગો ની ચૂંદડી ઓઢે છે..! અને એ દરેક રંગીન સૂર્ય કિરણ જાણે એવું કહેતું હોય કે વરસાદ થી ખીલેલા પ્રણય રંગો અમિટ હોય છે શાશ્વત હોય છે.

You Might Also Like

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન

બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે

બોલો જય દ્વારિકાધીશ

હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ : કાબે અર્જુન લૂંટીયો..

TAGGED: dialogue, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જ્યોતિ CNCના પરાક્રમસિંહ જાડેજા રાજકોટનાં નંબર 1 ધનકુબેર!
Next Article જામનગર સિંધી સમાજમાં ‘ઝુલેલાલ ચાલીસા’ મહોત્સવ સંપન્ન : પૂજ્ય ભહેરાણાયાત્રા નીકળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન
બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે
બોલો જય દ્વારિકાધીશ
હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ : કાબે અર્જુન લૂંટીયો..
કામ પ્રત્યેનું સમર્પણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Hemadri Acharya Dave

કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મનીષ આચાર્ય

બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?