શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપના બહેનો દ્વારા થશે ઐતિહાસિક શૌર્ય પ્રદર્શન
નિખાર બ્યુટી પાર્લર અને ફેન્સી ડ્રેસ પોપટપરા દ્વારા ભક્તોને શૃંગાર માટે નિશુલ્ક વસ્ત્રો આપવામાં આવશે.
- Advertisement -
રાજકોટમાં યોજાનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 41મી શોભાયાત્રા ભવ્યાથી ભવ્ય બને તેના માટે રાજકોટવાસીઓ ની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર શહેરમાં ભક્તિમય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી કાર્યાલય પર
અનેક લોકો, મંડળ, સંસ્થાઓ, યુવાનો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો સંપર્ક કરી રહ્યા છે અને જન્માષ્ટમી શોભાયાત્રામાં પોતાના વિશેષ યોગદાન માટે પ્રયત્નો કરી રહ્યા છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ ભક્તિ
પ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદથી તથા માર્ગદર્શક માવજીભાઇ ડોડીયા સહિતના મંડળના સભ્યો, સમિતિના અધ્યક્ષ રાજાભાઈ વાવડી, ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તીર્થરાજ સિંહ ગોહિલ, સમિતિના
ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયા ઉપરાંત અનેક કાર્યકર્તાઓ બધા ભેગા મળીને શોભાયાત્રાની તૈયારીઓને અંતિમ રૂપ આપી રહ્યા છે. મંગળવારે રાત્રે સમિતિના હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ રાજકોટ શહેરના અલગ અલગ
મંડળોની મુલાકાતે ગયા હતા. તમામ લતા સુશોભન અને ફ્લોટ સુશોભન કરતા મંડળોને જરૂરી તમામ સાહિત્ય ઉપલબ્ધ કરાવવા તથા તમામ સ્થાનિક કાર્યકર્તાઓએ બધાએ ભેગા મળી આ મહોત્સવમાં સમાજના દરેક વર્ગ
લોકોને સહભાગી બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. નટખટ કાનુડા ના જન્મોત્સવને ભવ્યતા અને ધાર્મિક ભાવના સાથે ઉજવવા માટે રાજકોટના ખૂણે ખૂણામાં કાર્યકર્તાઓ દ્વારા “શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય” ના નારા સાથે ભક્તો
ભાવવિભોર છે. આ વર્ષની શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને શૌર્યપ્રદર્શન ના આકર્ષણો શહેરીજનોને પ્રભાવિત કરશે.
આ ઉપરાંત પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવને ભાવભેર ઉજવવા અને શોભાયાત્રામાં સહભાગી થવા માટે અનેક મંડળો, સંસ્થાઓ, ધાર્મિક, સામાજિક અને વ્યવસાયિક સંગઠનો તથા કૃષ્ણ ઘેલા ભક્તો થનગની રહ્યા છે. જન્માષ્ટમીના
પાવન પર્વે નટખટ કાનુડાના વધામણા માટે રાજકોટવાસીઓમાં જોવા મળતો ઉત્સાહ અને કાર્યકર્તાઓની અથાગ મહેનતથી આ વર્ષની શોભાયાત્રા વધુ ભવ્ય, દિવ્ય અને ઐતિહાસિક બની રહે તે માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં
પહોંચી રહી છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર, ડો. હિરેન વિસાણી, ભુપતભાઇ બોદર ઉપરાંત અનેક કાર્યકર્તાઓ દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ
ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સહભાગી બની ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષ સાથે નટખટ કાનુડાના વધામણા કરવા હાર્દિક આહ્વાન કરવામાં આવ્યું છે.
બહેનો તલવારબાજી સહિતના પરંપરાગત શૌર્યકૌશલ્યનું પ્રદર્શન કરી નારીશક્તિ અને શૌર્ય પરંપરાનો સંદેશ આપશે
શોભાયાત્રામાં શ્રીશક્તિ તલવારબાજી ગ્રુપની બહેનો દ્વારા ઐતિહાસિક શૌર્ય પ્રદર્શન કરવામાં આવશે. શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપ રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી વલ્લભ વાટીકા પબ્લિક ગાર્ડન, બ્રાહ્મણીયા પરા 7, સંત કબીર રોડ
ખાતે કાર્યરત છે. ૨૮ વર્ષ પહેલા સ્વર્ગવાસ થયેલા પુ. જયરાજબાપુ જેમનુ નામ આજે પણ અનેક લોકોના હ્રદયમા સ્થીત છે તેમના નામને હમેશા જીવંત અને ઉજાગર રાખતી તેમની દિકરી અને આ ગ્રુપના સંચાલક પ્રિયંકાબેન
રાઠોડ અને તેમની ટીમ દ્વારા આજ સુધીમાં 7000થી વધુ સનાતન હિન્દુ ધર્મના 5 વર્થ થી 60 વર્ષ સુધીના લોકોને તલવારબાજી અને લાઠી બાજી તથા ઢાલ તલવાર નો અભ્યાસ કરાવી ચુક્યા છે. “શસ્ત્ર શક્તિ અને સાહસ” એ
આ ગ્રુપનું સૂત્ર છે. “શક્તિ રૂપી સ્ત્રી જ્યારે શસ્ત્ર હાથ ધરે ત્યારે તેના સાહસના પરચા આખી દુનિયા જોવે છે.” છેલ્લા 3 વર્ષમા કાંકરીયા કાર્નીવલ ૨૦૨૫ સહીત અનેક શક્તી પ્રદર્શનના શુર્ય રાસ રમીને આ વર્ષે જન્માષ્ટમી
શોભાયાત્રામાં શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપના બહેનો દ્વારા 52 (બાવન) મી વખત તલવારબાજી સહિતના પરંપરાગત શૌર્યકૌશલ્યનું પ્રદર્શન કરી નારીશક્તિ અને ભારતીય શૌર્ય પરંપરાનો સંદેશ આપવામાં આવશે તથા
સનાતન ધર્મની યુવતીઓને ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, ગોંડવાના રાણી દુર્ગાવતી, માલવા ના રાણી અહલ્યાબાઈ હોલકર, ગુજરાતના રાણી નાયકાદેવી ને પોતાના આદર્શ માનીને વર્તમાન સમયના લવ જેહાદ જેવા
અસામાજિક દુષણો સામે હાકલો કરીને તેને ચકનાચૂર કરી દેવાની પ્રેરણા આપવામાં આવશે તેમ પ્રિયંકા બહેને (મો.87805 67767) જણાવ્યું હતું.
- Advertisement -
નિખાર બ્યુટી પાર્લર અને ફેંસી ડ્રેસ, પોપટપરા દ્વારા નિઃશુલ્ક વસ્ત્રો અપાશે
આ ઉપરાંત ભક્તજનો માટે નિખાર બ્યુટી પાર્લર અને ફેન્સી ડ્રેસ, પોપટપરા ના ભાવનાબેન કલોલા (મો. 97376 65386) દ્વારા વિશેષ સેવા કરવામાં આવશે. શોભાયાત્રામાં ભાગ લેનાર ભક્તોને શ્રીકૃષ્ણ જન્મોત્સવની થીમને
અનુરૂપ શૃંગાર અને ફેન્સી ડ્રેસ માટેના વસ્ત્રો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક વિવિધ વેશમાં શોભાયાત્રામાં જોડાઈ શકે. મહાદેવજી, પાર્વતી માતા, ગણેશજી, ભગવાન કાર્તિકેય,
ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી, ગોપીઓ, ગોવાળિયાઓ, યશોદા માતા, વાસુદેવજી, સુદામા તથા ભગવાનના વાહનો જેમકે સર્પરાજ, વાઘ, ઉંદર, મોર વગેરે વેશભૂષાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વિશ્વ હિંદુ પરીષદ દ્વારા રાજકોટમાં પ્રથમ વખત સનાતન કાવડ યાત્રા યોજાશે
શ્રદ્ધા, સેવા, સંસ્કૃતિ અને સનાતન એકતાના પાવન સંદેશ સાથે રાજકોટ શહેરમાં 7 સપ્ટેમ્બર, 2026ના સોમવારે ‘સનાતન કાવડ યાત્રા–2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 7 સપ્ટેમ્બર, સોમવારના રોજ સવારે 7:00
કલાકે ક્યારલી ડેમ ખાતેથી કાવડ યાત્રાનો પ્રારંભ થશે. કાવડ ધારણ કરેલા શિવભક્તો ભક્તિભાવપૂર્વક રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે, જ્યાં યાત્રાનું સમાપન થશે.
યાત્રા ચમત્કારિક હનુમાન મંદિર, પુષ્પરધામ મંદિર, જે.કે. ચોક, આકાશવાણી ચોક, સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સિટી, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, બ્રહ્મ સમાજ ચોક, કનૈયા ચોક, હનુમાન મઢી, આજીપાલી
અંડરપાસ, કિશાનપરા ચોક, સી.પી. કચેરી ચોક, યાત્રિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, બાલાજી મંદિર, સ્વામિનારાયણ મંદિર–ભૂપેન્દ્ર રોડ, ખિજડાવાળા મામાસાહેબનું મંદિર, ગરુડ ગરબી ચોક અને બડા બજરંગ ચોક થઈને
રામનાથ મહાદેવ મંદિર સુધી પહોંચશે. કાવડ યાત્રા દરમિયાન સવારે 9:00 કલાકે ચમત્કારિક હનુમાનજી મંદિર, A.G. ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે મુખ્ય સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીઓ, રાજકીય આગેવાનો, પૂજ્ય સંતો તથા ધાર્મિક ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિ રહેશે.




