ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા ગુજરાતની મુલાકાતે છે. ત્યારે કોલકાતા મુદ્દે તેઓએ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ આવી ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમજ બંગાળ સરકાર આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
કલકત્તાની સરકાર ગુંડાઓને સપોર્ટ કરી રહી છેઃગોપાલ અગ્રવાલ
- Advertisement -
ગોપાલ અગ્રવાલે નિવેદન આપ્યું હતું કે, પશ્રિમ બંગાળમાં ખરાબ ઘટના બની છે. આજે આખા દેશમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પશ્રિમ બંગાળમાં એક પછી એક ઘટનાઓ બની રહી છે. મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે જે ઘટના બની છે એ દુઃખદ છે. પણ ઘટના પર સરકારે કામ કર્યુંએ અતિ દુર્ભાગ્ય પૂર્ણ છે. મમતા બેનરજીનાં નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ આરોપીઓને છાવરે છે. તેમજ મમતા બેનરજીનું નિવેદન આરોપીઓને તરફી છે.
તેમજ પરિવારનાં લોકોને 3 કલાક સુધી બેસાડી રાખ્યા હતા. તેમજ દીકરીનાં મૃતદહે જોવા પણ દીધો ન હતો. પોલીસ હત્યાને નેચરલ ડેથનું કારણ આપે છે. સુદીપ ઘોષ, સંજય રોયનાં ટીએમસી નેતાઓનાં પોલીસ સાથે સારા સબંધ છે. ખુલ્લે આમ આરોપી ગમે ત્યાં ફરતો હતો. તેમજ પશ્ચિમ બંગાળમાં જ આવી કેમ ઘટના બની છે? કારણ કે TMC ગુંડાઓને રક્ષિત કરાઈ રહ્યા છે. કલકત્તાની સરકાર ગુંડાઓને સપોર્ટ કરી રહી છે.
- Advertisement -
મમતા બેનર્જી હિંસક પ્રવૃતિ કરનારને પ્રોત્સાહિત કરી રહી છે
ગોપાલભાઇ અગ્રવાલજીએ વધુમા જણાવ્યું કે, રેપ અને હત્યાના કેસમા સીબીઆઇને તપાસ કેમ ન સોંપી,ફોરેન્સીક એક્સોપોર્ટની ટીમ દ્વારા તપાસ તેમજ ઘટના સ્થળનુ રેકોર્ડિગ તેમજ સબુત મેળવવા પર કાર્યવાહી કરી નહી. આ મુદ્દે હાઇકોર્ટે પણ કડક શબ્દોમા ફટકાર લગાવી છે. મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ચિમ બંગાળમા વધુ થાય છે કારણ કે મમતા બેનર્જી ટીમસીના ગુંડાઓને પ્રોત્સાહીત કરી રહી છે તેને રક્ષણ આપી રહી છે. 2021મા પણ વિરોઘી પાર્ટીના સમર્થક હતા તેમને પણ એક પ્લાનિંગ સાથે કાર્યકર્તાઓ અને ઉમેદવાર મહિલાઓને જાહેરમા નિર્વસ્ત્ર કરવાની ઘટના સામે આવી હતી તેમજ 14 વર્ષની દિકરી પર 2021મા પણ બળત્કારની ઘટના સામે આવી હતી અને આ ઘટનાના આરોપી ટીએમસીના નેતાના દિકરાએ પીડિતાના પરિવારને બંદૂક બતાવી ઘમકાવ્યા હતા. પશ્ચિમ બંગાળમા મમતા બેનર્જી ખૂબ નિદર્ય પુર્વક કામ કરી રહી છે,રાજનીતી થકી દેશને નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે તેમજ ધર્મનિર્પક્ષતાના આઘારે બાંગ્લાદેશીઓને બંગાળમા ઘૂસાડવામા આવે છે. મમતા બેનર્જી બંગાળમા વોટબેંકની રાજનીતી માટે તૃષ્ટીકરણની રાજનીતી અને હિંસક પ્રવૃતિ કરનારને પ્રોત્સાહિત કરી રહી છે.