નરસિંહ મહેતા અને સુદામાએ શ્રીકૃષ્ણના વચનો ઉપર શ્રદ્ધા મૂકી હતી, આપણે નથી મૂકતા
શ્રીકૃષ્ણ ભગવાન તો ડંકાની ચોટ ઉપર કહી ગયા છે કે તું પૂર્ણપણે મારા શરણમાં આવી જા, તારા જીવનનો તમામ ભાર હું વહન કરી લઈશ. તારું ભલું અને કુશળ થાય એની જવાબદારી હું ઉઠાવી લઈશ. ભગવાનને તો પોતાની ક્ષમતા અને સામર્થ્યમાં વિશ્વાસ છે જ પણ ભક્તોને વિશ્વાસ છે ખરો? મનુષ્ય જીવનભર પોતાની શક્તિ ઉપર ઝઝૂમતો રહે છે. ક્યારેક જીતે છે, ક્યારેક હારે છે. ક્યારેક ઉપર ચઢે છે, ક્યારેક નીચે પછડાય છે.
- Advertisement -
મનુષ્ય સફળ થાય તો પણ કેટલો થાય? મનુષ્ય ક્યારેય ઈશ્વર જેટલો સામર્થ્યવાન તો થઈ શકતો જ નથી. મુકેશ અંબાણીની દીકરીના મામેરા કરતા કુંવરબાઇનું મામેરૂં હંમેશા વધારે ભવ્ય જ રહેવાનું. જગતના સૌથી ઊંચા અને વિશાળ મકાન અંબાણી પરિવારના એન્ટિલિયા કરતા ભગવાન શ્રીકૃષ્ણે સુદામાને આપેલું ઘર વધારે કિંમતી જ રહેવાનું. નરસિંહ મહેતા અને સુદામાએ ભગવાનના વચનો ઉપર શ્રધ્ધા મૂકી હતી. આપણે નથી મૂકતા. વધારે નહી તો ખાલી એક મહિના પૂરતું નરસૈંયો કે સુદામા બની જુઓ.