પ્રવાસીઓને માત્ર જાવક ટિકીટ સાથે રોપ-વે શરૂ કરાયો: અશક્ત અને વૃદ્ધ લોકોને હાલાકી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
- Advertisement -
જૂનાગઢ ગિરનાર રોપ-વે અવાર નવાર ભારે પવનના કારણે બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા કરવામાં આવે છે.ત્યારે છેલ્લા દોઢ સપ્તાહથી ગિરનાર પર્વત પર 80 કિમિથી વધારે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ રહેતા ગિરનાર યાત્રા કરવા આવતા યાત્રિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.અને દૂર દૂર થી આવતા ભાવિકો ના છૂટકે ગિરનાર સીડી ચડીને યાત્રા કરી રહ્યા છે.જેમાં ખાસ અશક્ત અને વૃદ્ધ લોકોને વધારે તકલીફ પડી રહી છે.
જયારે આજે રોપ-વે કંપનીએ પવનની ગતિ ધીમી પડતા રોપ-વે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ગિરનાર પર જવા માટે માત્ર જાવકની જ ટિકીટ સાથે પ્રવાસીઓ જઇ શકશે. જો કે, રિટર્ન માટે જો રોપ-વે શરૂ હશે તો પરત ટિકીટ સાથે લઇ જવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. છેલ્લા દોઢ સપ્તાહથી ગિરનાર પર્વત પર ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો એવા સમયે રોપ-વે કંપની દ્વારા રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે.સામાન્ય રીતે નીચે પવનની ગતિ ધીમી હોઈ છે જયારે પર્વત પર વધુ તીવ્રતાથી પવન ફુંકાવાના કારણે યાત્રિકોની સલામતી માટે રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે.અને જો પવનની ગતિ ધીમી પડશે તો ફરી રોપ-વે કાર્યરત કરવામાં આવશે તેમ રોપ-વે કંપની દ્વારા જણાવ્યું હતું.જોકે અવાર નવાર પવન ગતિ વધતા રોપ-વે બંધ થવાથી અશક્ત અને વૃદ્ધ લોકો ગિરનાર યાત્રા કરવા આવતા ભાવિકોને પરત ફરવું પડે છે.જયારે યુવાનો રોપ-વે બંધ હોવાના લીધે તેઓ ગિરનાર સીડી ચડીને યાત્રા કરે છે.