કેપિટલ બનાવવામાં 25,000 કરોડનો ખર્ચ; 2014માં જાહેરાત થઈ, પણ જગને કામ બંધ કરી દીધું હતું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
આંધ્ર પ્રદેશ 2 જૂનથી સત્તાવાર રાજધાની વિના છે, પરંતુ 12 જૂનથી રાજ્યને તેની પ્રથમ સત્તાવાર રાજધાની મળશે. હૈદરાબાદથી લગભગ 510 કિમી દૂર સ્થિત અમરાવતી આંધ્રની નવી રાજધાની બનશે.
અહીં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ચીફ ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેને રાજધાની બનાવવા માટે અત્યાર સુધીમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 2034 સુધીમાં કુલ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે. ઝઉઙના રાષ્ટ્રીય પ્રવક્તા જ્યોત્સના અનુસાર, આ કાર્યક્રમ સાથે અમરાવતી રાજધાની તરીકે કામ કરવાનું શરૂ કરશે. જ્યોત્સના અનુસાર, અમરાવતીમાં શપથ લેવા પાછળનો સંદેશ એ છે કે હવેથી સરકાર અમરાવતીથી જ ચાલશે. સૌથી પહેલા સરકારી કર્મચારીઓ, ધારાસભ્યો, ખકઈના ઘર બનાવવામાં આવશે. અમરાવતીને સત્તાવાર રાજધાની બનાવવાની જાહેરાત ચંદ્રબાબુ નાયડુની સરકાર દરમિયાન 2014માં કરવામાં આવી હતી, પરંતુ 2019માં જગન સીએમ બન્યા પછી અહીં કામ બંધ થઈ ગયું હતું.
હકીકતમાં, 2014થી અત્યાર સુધી હૈદરાબાદ તેલંગાણા અને આંધ્રની સંયુક્ત રાજધાની હતી, પરંતુ 2 જૂનની સમયમર્યાદા પછી, હૈદરાબાદ તેલંગાણાની રાજધાની બની ગયું.
- Advertisement -
જો કે કેન્દ્ર સરકારે 2014માં અમરાવતીને આંધ્રની સંપૂર્ણ રાજધાનીનો દરજ્જો આપી દીધો હતો, પરંતુ અહીં કોઈ સચિવાલય, હાઈકોર્ટ, એસેમ્બલી ન હતી, તેથી હૈદરાબાદથી જ કામ ચાલી રહ્યું હતું.