તસ્કરો બે બાઇક પણ ઉઠાવી ગયા: પોલીસે ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટમાં તસ્કરોએ ફરી ઉપાડો લીધો હોય તેમ વધુ એક ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેક્યો છે શહેરના કાલાવડ રોડ ઉપર સરિતા વિહાર સોસાયટીમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરો 15 લાખની રોકડ, સોનાના દાગીના, બે બાઇક સહિતની મતા ચોરી ગયાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ સરિતા વિહાર સોસાયટીમાં રહેતા જયરાજસિહ જાડેજાના બંધ મકાનમાં ચોરી થયાની જાણ કંટ્રોલમાં થતાં એસીપી રાધિકા ભારાઈ તથા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાબડતોબ દોડી ગયો હતો
- Advertisement -
પ્રાથમિક તપાસમાં મકાન બંધ હોય તેના તાળા તોડી તસ્કરો 15 લાખ જેટલી રોકડ રકમ, સોનાના દાગીના તેમજ બે બાઇક પણ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી તેમજ ગુનાનો ભેદ ઉકેલવા ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી છે.