PI સહિત 6 થી વધુ પોલીસકર્મી સામે આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આરોપીના કસ્ટોડિયલ ડેથ મામલે અંતે પોલીસ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે આરોપીના પરિવારજનોનો આક્ષેપ હતો કે પોલીસના શારીરિક માનસિક ત્રાસ થી યુવક આત્મહત્યા કરવા મજબુર બન્યો હતો. અને જેના પગલે તાલાલા સીપીઆઈ, સુત્રાપાડા પીએસઆઇ સહિત છ પોલીસ કર્મચારીઓ ઉપરાંત 7 અજાણ્યા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ મરવા માટે મજબૂર કર્યા તેમજ કાવતરું રચ્યા સહિત ની શાભ ની કલમ 120 બી 34 114 143 166 એ 3231 અને 306 મુજબ ગુનો નોંધવામાં આવતા પોલીસ બેડામાં હદકંપ મચ્યો છે.
- Advertisement -
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પુષ્પો સહિતના ગુનાના કામે મદદગારીમાં જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના નરેશભાઈ જીવાભાઈ જોડિયા નામના યુવકની સુત્રાપાડા પોલીસે ધરપકડ કરી હતી અને આ યુવકે પોલીસ લોકઅપમાં જેલ ના સળિયા સાથે માથું અથડાવતા ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડવામાં આવેલ અને જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયેલ હતું. મૃતક યુવકે સારવાર દરમિયાન પોતાને પોલીસે માર માર્યા હોવાનો વિડિયોમાં કેફિયત રજૂ કરી હતી જે વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ પણ થયેલ.
આ મામલે મૃતક યુવકના પરિવારજનો દ્વારા પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે લેખિત ફરિયાદ પણ આપવામાં આવેલી હતી જોકે ઘટનાના પાંચ દિવસ વીતી જવા છતાં પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ ન થતા મૃતકના પરિવારજનો અને કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી સહિત કોળી સમાજના આગેવાનો આ મામલે મેદાને આવ્યા હતા અને ઉચ્ચકક્ષાએ ન્યાયિક તપાસ સાથે પોલીસ વિરુદ્ધ ગુનો નોંધવા માટેની રજૂઆત કરી હતી.
બીજી તરફ મૃતક ના પરિવાર દ્વારા જ્યાં સુધી જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા માટે અડગ રહ્યો હતો આખરે મૃતક નરેશભાઈ ના પિતા જીવાભાઇ જોડિયાની ફરિયાદ આધારે આજરોજ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં તાલાળા સીપીઆઈ આર એન જાડેજા સુત્રાપાડા પીએસઆઇ નાનજીભાઈ વાઘેલા મહિલા પોલીસ કર્મચારી ઈલાબેન કામળિયા તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત અજાણ્યા પાંચ થી છ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
- Advertisement -
પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા મુજબ આરોપીનાઓએ ગેર કાયદેસર મંડળી રચી અમો ફરીયાદીના દીકરા નરેશભાઈનો કોઈ વાંક ગુનો ન હોય તેમ છતાં અમોના દીકરાને આરોપીઓ વિરૂદ્ધ અરજીઓ અને રજુઆતો કરેલ હોય આથી આ કામના આરોપીઓ તેની દાઝ રાખી અમોના દીકરાને ગેર કાયદેસર રીતે પોલીસ કસ્ટડીમાં રાખી ન સાંભળી શકાય તેવી ગાળો આપી ખોટી રીતે લોકઅપમાં રાખી છ વર્ષે સુધી જામીન ન થવા દેવાની ધમકીઓ આપી શારીરીક માનસીક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરી દીધેલ હોય આથી અમોના દીકરા નરેશભાઈ નાઓએ તા.24/05/2024ના રોજ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ના લોકઅપના આવેલ ગ્રીલ સાથે પોતાનું માથુ અથડાવી આત્મહત્યા કરી લીધેલ હોય આથી આ કામના આ કામના આરો પીઓ વિરૂધ્ધ ઈંઙઈ-33, 33, 114, 120(બી), 143, 166(એ), 323, 331, 306, તથા લાગુ તમામ કલમો મુજબ ફરીયાદ દાખલ કરી આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવા અરજ કરી છે. હાલ આ ગુન્હા ની તાપસ ઉના ઉઢજઙ ચૌધરી ને સોંપવામાં આવી છે.