ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.18
અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોનું કહેવું છે કે તેઓ ભારત સાથે માનવાધિકારના મુદ્દા ઉઠાવતા રહેશે. જોકેભારત તેના ઉપર કામ કરશે નહીં. અમેરિકામાં ગુરુવારે ’દેશી ડિસાઇડ્સ’ નામની એક સમિટ યોજાઈ. જેમાં અમેરિકન ચૂંટણીમાં ભારતીયોના પ્રભાવ અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન સાંસદ આર ઓ ખન્નાએ કહ્યું કે અમેરિકાએ માનવાધિકાર મુદ્દે ભારતના નેતૃત્વ સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે ભારત પર 100 વર્ષ સુધી વિદેશી શાસન હતું. તેથી જ્યારે તમે ભારતને માનવાધિકાર પર લેક્ચર આપો છો, ત્યારે તેઓ તમારી વાત સાંભળશે નહીં. સમિટમાં ભારતીય મૂળના સાંસદોને પીએમ મોદી અને મુસ્લિમ સમુદાય સાથેના તેમના સંબંધો વિશે સવાલ કરવામાં આવ્યા હતા. આર ઓ ખન્નાએ કહ્યું કે લેક્ચર સાંભળવાને બદલે ભારત પોતાની લોકશાહીની ખામીઓ ત્યારે જ સુધારશે જ્યારે અમેરિકા પણ પોતાની ભૂલો સ્વીકારશે.
- Advertisement -
તેમણે કહ્યું કે ભારત સાથે વાત કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.આના પર ભારતીય મૂળના અન્ય સાંસદ બેરા ખન્ના સાથે સહમત થયા. બેરાએ કહ્યું કે મેં ભારતીય વિદેશ મંત્રી સાથે માનવાધિકાર મુદ્દે પણ વાત કરી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે જો ભારત તેની બિનસાંપ્રદાયિક છબી ગુમાવશે, તો ભારત બાકીના વિશ્ર્વની સામે તેની ઓળખ ગુમાવશે. બેરાએ વધુમાં કહ્યું કે આપણી પાસે હજુ પણ જીવંત લોકશાહી છે. અમારી પાસે વિરોધ પક્ષ છે. અમે પ્રેસની સ્વતંત્રતામાં માનીએ છીએ. આ બધી બાબતો મને ભારત વિશે ચિંતા કરે છે. બેરાએ કહ્યું કે મને આશા છે કે ભારતની લોકશાહી ટકી રહેશે.