By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    1 day ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    1 day ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    2 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    3 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    23 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    23 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    23 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    23 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    1 day ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    4 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    1 day ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    1 day ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    1 day ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેજરીવાલ-અખિલેશ યાદવની PCમાં ભાજપ પર આકરા પ્રહારો, સ્વાતિ માલીવાલના મુદ્દે મુખ્યમંત્રીએ મૌન સાધ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કેજરીવાલ-અખિલેશ યાદવની PCમાં ભાજપ પર આકરા પ્રહારો, સ્વાતિ માલીવાલના મુદ્દે મુખ્યમંત્રીએ મૌન સાધ્યું
ખાસ-ખબરરાષ્ટ્રીય

કેજરીવાલ-અખિલેશ યાદવની PCમાં ભાજપ પર આકરા પ્રહારો, સ્વાતિ માલીવાલના મુદ્દે મુખ્યમંત્રીએ મૌન સાધ્યું

Khaskhabar Editor
Last updated: 2024/05/16 at 2:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે મોટો દાવો

AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને SP ચીફ અખિલેશ યાદવની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનની જીતનો દાવો કર્યો

- Advertisement -

લોકસભા ચૂંટણીના 4 તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પાંચમાં તબક્કાના મતદાનને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ દરમિયાન આજે એટલે કે ગુરુવારે સવારે યુપીની રાજધાની લખનૌમાં સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને SP ચીફ અખિલેશ યાદવે વાત કરી અને લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે મોટો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે ભાજપ જો ચૂંટણી જીતશે તો અમિત શાહને વડાપ્રધાન બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ માટે વોટ માગી રહ્યા છે. ભાજપ બે મહિનાની અંદર યુપીના સીએમ યોગી આદિત્યનાથને તેમના પદ પરથી પણ હટાવવાનું છે. તેમણે કહ્યું કે ભાજપનો ઈરાદો બંધારણને બદલવાનો છે, ત્યારે 400 બેઠકોનો નારો આપવામાં આવી રહ્યો છે. જોકે, ભાજપ પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે તે બંધારણની રક્ષા કરનારી પાર્ટી છે. તેણે એ પણ કહી દીધુ છે કે ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી જ પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહેવાના છે.

Kejriwal silent, Sanjay Singh accuses BJP of "playing political games" on alleged assault on Swati Maliwal

- Advertisement -

Read @ANI Story | https://t.co/QALgOoC80z#ArvindKejriwal #SanjaySingh #BJP pic.twitter.com/1xGRJtVTie

— ANI Digital (@ani_digital) May 16, 2024

આ દરમિયાન જ્યારે રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક અંગે પૂછવામાં આવ્યું ત્યારે અખિલેશ યાદવે વધુ મહત્ત્વના મુદ્દા હોવાનું કહીને વાત ટાળી દીધી હતી. આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સંપૂર્ણપણે મૌન રહ્યા. આ બધાની વચ્ચે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે માઈક હાથમાં લીધું અને ભાજપ પર જ નકારાત્મક સવાલો ઉઠાવ્યા. મણિપુરથી કર્ણાટક સુધી સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના મામલે સંજય સિંહે ભાજપ પાસે જવાબ માંગ્યો છે.

સંજય સિંહે ભાજપ પર કર્યા પ્રહાર

AAP નેતા સંજય સિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે. પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. અમે દેશમાં જે પણ મુદ્દા ઉઠાવ્યા છે તેના પર PM અને ભાજપે જવાબ આપવો જોઈએ. સંજયે કહ્યું સ્વાતિ માલીવાલના મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલ જ્યારે કુસ્તીબાજોને મળવા જંતર-મંતર ગઈ ત્યારે તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. ભાજપે આનો જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દે સંજય સિંહે કહ્યું કે, આ મામલે રાજકીય રમત ન રમવી જોઈએ. મણિપુર મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ.

#WATCH लखनऊ: AAP नेता संजय सिंह ने कहा, "मणिपुर में एक कारगिल योद्धा की पत्नी को निर्वस्त्र करके घुमाया गया… हजारों महिलाओं के साथ प्रज्वल रेवन्ना ने दरिंगदी की… प्रधानमंत्री कहते हैं ये(प्रज्वल रेवन्ना) भारत का भविष्य है… पहलवान बेटियां जब जंतर-मंतर पर लड़ रही थीं तो यही… pic.twitter.com/z2cSTbsrAO

— ANI_HindiNews (@AHindinews) May 16, 2024

મણિપુરમાં જે થયું તે જોઈને આખો દેશ દુઃખી

આ સાથે સંજય સિંહે કહ્યું કે, મણિપુરમાં જે થયું તે જોઈને આખો દેશ દુઃખી છે. પરંતુ PM મોદીએ આ મુદ્દે મૌન સેવ્યું હતું. પ્રજ્વલ રેવન્નાએ હજારો મહિલાઓ પર બળાત્કાર કર્યો, પરંતુ PM મોદી પ્રજ્વલ રેવન્ના માટે વોટ માંગી રહ્યા હતા. જ્યારે અમારા કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા ત્યારે તત્કાલીન DCW ચીફ સ્વાતિ માલીવાલને પોલીસે માર માર્યો હતો. PM મોદી આ મુદ્દાઓ પર મૌન રહ્યા. AAP અમારો પરિવાર છે અને અમે સ્પષ્ટ નિવેદન આપ્યું છે. મારા દ્વારા ઉલ્લેખિત આ તમામ મુદ્દાઓ પર ભાજપ અને PM મોદીએ જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ.

અમિત શાહ અને યોગીનું નામ લઈને કેજરીવાલે જણાવી આ ચાર વાતો

કેજરીવાલે કહ્યું, ‘આજે હુ લખનૌમાં યુપીના વોટર્સથી વિનંતી કરવા આવ્યો છુ કે તેઓ ઈન્ડિયા ગઠબંધનને વોટ કરે. હુ અહીં ચાર મુદ્દા પર વાત કરવા માગુ છુ. પહેલી એ કે આ ચૂંટણીમાં પીએમ મોદી અમિત શાહને પીએમ બનાવવા માટે વોટ માગી રહ્યા છે. બીજી એ કે જો ભાજપ સત્તામાં આવી તો સીએમ યોગી આદિત્યનાથને 2-3 મહિનાની અંદર તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે. ત્રીજી એ કે તેઓ બંધારણ બદલવા જઈ રહ્યા છે એસસી, એસટીની અનામત હટાવવાના છે. ચોથી એ કે 4 જૂને ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવી રહ્યુ છે.’

17 સપ્ટેમ્બર 2025એ નિવૃત્ત થશે પીએમ મોદી: કેજરીવાલનો દાવો

કેજરીવાલે પીએમ મોદીની નિવૃત્તિની ભવિષ્યવાણી પણ કરી દીધી. તેમણે કહ્યુ, પીએમ મોદી 17 સપ્ટેમ્બર 2025એ 75 વર્ષના થઈ જશે. પીએમ મોદીએ અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી બનાવતા 17 સપ્ટેમ્બર 2025એ તેમને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાને અત્યાર સુધી એ નથી કહ્યુ કે તેઓ 75 વર્ષ બાદ નિવૃત્ત નહીં થાય પરંતુ પીએમ મોદીએ એ નિયમ બનાવ્યો છે અને મને પૂર્ણ આશા છે કે તેઓ આ નિયમનું પાલન કરશે.’

ભાજપને 220થી પણ ઓછી સીટ મળશે- અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રીએ ભાજપને મળનારી બેઠકોની સંખ્યા પણ જણાવી. કેજરીવાલે કહ્યુ, ‘રુઝાનથી જાણ થાય છે કે ભાજપને 220થી પણ ઓછી બેઠકો મળી રહી છે. હરિયાણા, દિલ્હી, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં તેમની બેઠકો ઓછી થવાની છે. ભાજપ સરકાર બનાવવા જઈ રહી નથી. ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે.’

You Might Also Like

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ

ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં

TAGGED: Akhilesh Yadav, arvind kejiriwal, Lok Sabha Election 2024, Swati Maliwal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ અફવાએ આખું તંત્રને દોડતું કરી મૂક્યું, મુસાફરોને દોઢ કલાક બેસાડી રખાયા
Next Article હિમાચલ પ્રદેશના આ ગામમાં હેલિકોપ્ટરથી મોકલાશે EVM

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?