By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    2 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    3 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    3 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    1 day ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    42 minutes ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    1 hour ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    1 hour ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    1 day ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    1 day ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 hour ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 day ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ? કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરી લાલ શર્માને રાયબરેલીના મેદાનમાં ઉતાર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > શા માટે ? કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરી લાલ શર્માને રાયબરેલીના મેદાનમાં ઉતાર્યા
ખાસ-ખબરરાષ્ટ્રીય

શા માટે ? કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરી લાલ શર્માને રાયબરેલીના મેદાનમાં ઉતાર્યા

Khaskhabar Editor
Last updated: 2024/05/03 at 1:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

કોંગ્રેસે આખરે ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના ગઢ ગણાતી રાયબરેલી અને અમેઠી લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધી અને અમેઠી બેઠક પરથી કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે. બંને નેતાઓ આજે ઉમેદવારી પત્ર ભરશે, જેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા માટે અમેઠીને બદલે રાયબરેલી સીટ પસંદ કરવાનું કારણ શું છે?

પરંપરાગત બેઠક મનાય છે કોંગ્રેસની
અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો માનવામાં આવે છે. ગત લોકસભા ચૂંટણીમાં અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને જીત મેળવી હતી. સ્મૃતિ ઈરાની ફરી ચૂંટણી મેદાનમાં છે, જેમની સામે કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી હવે તેમની માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવશે. અમેઠીને બદલે રાયબરેલીમાંથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવું એ કોંગ્રેસની સમજી વિચારેલી વ્યૂહરચનાનો ભાગ છે.

- Advertisement -

#WATCH | Uttar Pradesh | After filing his nomination from Amethi Lok Sabha constituency, Congress candidate KL Sharma says, "Who will win or lose from here, it's in people's hands, we will work hard… Election is just a formality, people make their mood for those who work for… pic.twitter.com/NaH4CW59Yf

— ANI (@ANI) May 3, 2024

- Advertisement -

અમેઠીને આ કારણે પડતું મૂક્યું
અમેઠીની બેઠક છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાનો રાહુલ ગાંધીનો નિર્ણય ચૂંટણી હારવાના ડરને કારણે નથી પરંતુ ભાજપની રણનીતિને નિષ્ફળ કરવાનો ઈરાદો હોવાનું માનવામાં આવે છે. 2024ની ચૂંટણીનો માહોલ સંપૂર્ણપણે મોદી વિરુદ્ધ રાહુલની આસપાસ જ લાગે છે. આવી સ્થિતિમાં જો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા હોત તો આ નેરેટિવ રાહુલ વિરુદ્ધ ઈરાનીમાં બદલાઈ ગયું હોત. આ પ્રકારના કોઈ વિચારો પેદા ન થાય તે માટે કોંગ્રેસે રાહુલ ગાંધીને અમેઠીને બદલે રાયબરેલીથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગે છે.

પ્રિયંકા ગાંધી આ કારણે ચૂંટણી નથી લડી રહ્યાં
જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડ્યા હોત તો પ્રિયંકા ગાંધીને રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર બનવાની ફરજ પડી હોત. પ્રિયંકા ગાંધીને લોકસભાની ચૂંટણી લડવામાં રસ નહોતો. તેની પાછળનું કારણ એ હતું કે જો પ્રિયંકા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોત તો ભાજપને ભાઈ-ભત્રીજાવાદ કે પરિવારવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરવાની તક મળી હોત. એટલું જ નહીં, જો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ચૂંટણી લડ્યા હોત, તો તેઓએ પોતપોતાની બેઠકો પર વ્યસ્ત રહેવું પડત. આવી સ્થિતિમાં દેશના અન્ય ભાગોમાં પણ કોંગ્રેસના ચૂંટણી પ્રચારને અસર થવાની સંભાવના હતી. જો રાહુલ અને પ્રિયંકાએ તેમના વિસ્તાર માટે ઓછો સમય ફાળવ્યો તો વિસ્તાર પ્રત્યે ઉદાસીનતાનો આરોપ લાગ્યો હોત.

રાહુલ ગાંધીને રાયબરેલીમાં જ કેમ ઉતાર્યા?
કોંગ્રેસે એક વ્યૂહરચના હેઠળ રાહુલ ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે જેથી તેમના પર રાજ્યમાંથી ભાગી જવાનો આરોપ ન લગાવી શકાય અને પ્રિયંકા ગાંધીઅન્ય વિસ્તારોમાં પ્રચાર માટે પણ ઉપલબ્ધ રહે. પ્રિયંકા ગાંધી હવે ઉમેદવાર નહીં હોવાથી ભાજપ અને પીએમ મોદી માટે કોંગ્રેસ પર પરિવારવાદના આરોપો વધુ ઘેરા કરવા મુશ્કેલ બનશે. આથી જ ભાજપને ચૂંટણીમાં તક ન મળે તે માટે રાહુલ ગાંધીને અમેઠીની જગ્યાએ રાયબરેલી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

અમેઠીથી ન લડવા અંગે આ મત
જો કે નિષ્ણાતોના મતે જો રાહુલ ગાંધી આ વખતે અમેઠીથી ચૂંટણી લડ્યાં હોત તો તેઓ જીતી પણ શકે તેમ છે પરંતુ તેમના ન લડવા પાછળનું બીજું મોટું કારણ એ છે કે સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી લડીને તેઓ સ્મૃતિને બહુ રાજકીય મહત્ત્વ આપવા માંગતા નથી. સ્મૃતિ ઈરાનીને રાજકીય ઓળખ માત્ર એટલા માટે મળી છે કારણ કે તેમણે અમેઠીની ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવ્યા હતા. જો રાહુલે ફરીથી ચૂંટણી લડી હોત તો સ્મૃતિ ઈરાનીનું આકર્ષણ વધી જાત. જો તે ચૂંટણી જીતવામાં સફળ થાય છે, તો તેમનું રાજકીય કદ ગાંધી પરિવારની સમકક્ષ બની ગયું હોત. આથી જ ગાંધી પરિવારે પોતે લડવાને બદલે હવે તેમના નજીકના સહયોગી કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.

 

You Might Also Like

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી

CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન

ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત

TAGGED: Amethi, CONGRESS, Kishori Lal Sharma, Lok Sabha Election 2024, Rae Bareli, RAHUL GANDHI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માત્ર 20 વર્ષની ઉંમરે આ યુવા ક્રિકેટરે દુનિયાને કહ્યું અલવિદા, એક દિવસ પહેલા જ મેચમાં ખેરવી હતી ત્રણ વિકેટ
Next Article ગૂગલે ૨૫ એપ્રિલના રોજ તેનો પહેલા ક્વાર્ટરનો રિપોર્ટ આપ્યો ત્યારે તેની કોર ટીમમાંથી ૨૦૦ની બરતરફી કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?