સાહસ અને રોમાંચ ભરી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા
કડકડતી ઠંડીમાં 1175 સ્પર્ધકો વેહલી સવારે દોટ મુકશે : રાજ્ય કક્ષાની સ્પર્ધામાં 20 જિલ્લાના સ્પર્ધકો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સાહસિક અને રોમાંચ થી ભરપૂર ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલે ફૂલ ગુલાબી ઠંડીમાં વેહલી સવારે ભવનાથ તળેટીથી દોટ મુકશે આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં 20 જિલ્લાના 1175 સ્પર્ધકોએ ભાગ લીધો છે જેમાં ચાર કેટેગરી માં સ્પર્ધા યોજાય છે સિનિયર અને જુનિયર ભાઈઓ તેમજ સિનિયર અને જુનિયર બેહનોની સ્પર્ધા યોજવામાં આવે છે.ભાઈ માટે અંબાજી મંદિર સુધી 5500 સીડી ચડી પરત ભવનાથ આવવું પડે છે અને બેહનો માટે માળીપરબ સુધી 2200 સીડી ચડીને પરત ભવનાથ આવે છે.
આ સ્પર્ધા અતિ સાહસિક છે જેમાં સ્પર્ધકોએ વિજેતા બનવા સતત ગિરનાર સીડી પર દોડવું પડતું હોય છે અને પ્રથમ,દિત્ય અને ત્રિતય નંબર મેળવા માટે કઠિન પરિશ્રમ કરવો પડે છે જેના લીધે સ્પર્ધકો શ્વાસની સાથે શરીરમાં અતિ થાક લાગે છે ત્યારે હાલ જે રીતે યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે.તેને ધ્યાને લઈને તંત્ર દ્વારા સ્પર્ધામાં જોડાયેલ તમામ સ્ટાફને સીપીઆર તાલીમ આપવામાં આવી છે.
કોઈ સ્પર્ધકને હાર્ટને લગતી તકલીફ પડે તો તાત્કાલિક સારવાર આપી શકાય તેની સાથે અંબાજી મંદિર સુધી આરોગ્ય લક્ષી ટિમ અને ભવનાથ તળેટી ખાતે 108 એમ્બ્યુલન્સ સાથે સજ્જ રેહશે તેવું તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં
આવ્યું છે.
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને આપવામાં આવતા સર્ટિફિકેટ અન્ય ભરતીમાં માન્ય રાખવામાં આવતા નથી જેના લીધે સ્પર્ધકોમાં ઘણા વર્ષો થી નિરાશ જોવા મળે છે.છેલ્લા ઘણા વર્ષોથી સ્પર્ધકોનો માંગણી છે કે ગિરનાર સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર યુવક યુવતીઓને જે સર્ટિફિકેટ આપવામાં આવેછે તે સરકારી નોકરીમાં ઉપયોગી થાય તેવું તંત્ર દ્વારા આયોજન કરવું જોઈએ તેવો ગણગણાટ સ્પર્ધકો માંથી ઉઠવા પામ્યો છે.
તંત્ર દ્વારા બારીકાઇથી નજર રાખશે
જૂનાગઢ ગિરનાર સ્પર્ધા આવતીકાલે યોજાવાની છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બારીકાય થી નજર રાખવા સીસીટીવી કેમરા તેમજ વાઇફાઇ સિસ્ટમ દ્વારા એલઇડી સ્ક્રીન સાથે અંબાજી મંદિર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે તેની સાથે ગિરનાર સીડી પર સ્પર્ધકો માટે તંત્ર દ્વારા અલગ અલગ ટુકડી નજર રાખવામાં આવશે.