કોરોના હવે એવા રાજયોમાં પણ ફેલાયો જયાં ગત સપ્તાહે ઓછા કેસો હતા: કોરોનાના કેસની સાથે મોતનો આંકડો પણ વધ્યો: આ વીકમાં કોરોનાથી 68 મોત થયા
દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ કોરોનાને લઈને એલર્ટ મોડ પર છે. નોઈડામાં માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. આ સપ્તાહે દેશમાં કોરોનાના કેસમાં 79 ટકાનો ઉછાળો આવ્યો છે.
- Advertisement -
દરમ્યાન સોમવારે દેશભરમાં કોરોનાના 5880 નવા કેસ બહાર આવ્યા હતા. આ સાથે દેશમા કુલ સંક્રમિતોની સંખ્યા 35199 એ પહોંચી ગઈ છે.આંકડા અનુસાર દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં ચાર ચાર અને ગુજરાત, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં એક એક કોરોના દર્દીનાં મોત થયા છે.
દેશભરમાં કોરોના કેસમાં 79 ટકાનો ઉછાળો
આ સપ્તાહે દેશમાં કોરોનાના કેસમાં 79 ટકા ઉછાળો જોવા મળ્યો છે જે છેલ્લા સાત મહિનામાં સૌથી વધારે છે. હવે કોરોન એ રાજયોમાં ફેલાઈ રહ્યો છે જયાં ગત સપ્તાહે કેસ ઓછા હતા. કોરોનાથી થતા મોતના આંકડામાં પણ વધારો થવા માંડયો છે આ સપ્તાહે કોરોનાથી 68 લોકોનાં મોત થયા છે.જયારે ગત સપ્તાહે 41 લોકોના મોત થયા હતા. બીજી બાજુ દિલ્હીમાં કોરોનાનું એકસબીબી વેરીએન્ટ ડરાવી રહ્યું છે.
દિલ્હીમાં કોરોનાના દર્દીઓની જીનોમ સિકવેન્સીંગ કરાવવા પર 98 ટકા દર્દીઓમાં સબ વેરીએન્ટ એકસબીબીની પુષ્ટિ થઈ છે. બિહારમાં કોરોનાના 42 કેસ સોમવારે બહાર આવ્યા છે. રાજધાની 68 ટકા એકટીવ કેસ છે. મુખ્યમંત્રી નીતિશકુમારે વેકિસનને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર તરફથી બિહારને કોરોના વેકિસન નથી મળી રહી હવે ખૂદ બિહાર સરકાર વેકિસન ખરીદીને લોકોને ઉપલબ્ધ કરાવશે.
- Advertisement -
બીજી બાજુ રાજસ્થાનમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સોમવારે 197 નવા કેસ બહાર આવ્યા હતા ત્રણ લોકોનાં મોત થયા હતા.અહી ચિકિત્સા વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે.