– નિએન્ડરથલ આદિમાનવમાં એક વર્ગ વેજીટેરિયન હતો!
વૈજ્ઞાનિકોને એ પુરાવા મળ્યા છે કે પૃથ્વી પર છેલ્લા 70 હજાર વર્ષથી દાલ-રોટી માનવ દ્વારા આપવામાં આવી રહી છે. ઈરાકની રાજધાની બગદાદથી લગભગ 804 કિલોમીટર ઉતરની તરફ શાનદાર નામની એક ગુફામાં સૌથી જુનુ શાકાહારી ભોજન મળ્યું છે. બળી ગયેલા આ ભોજનમાં દાળ-રોટલીના અંશ મળ્યા છે. વૈજ્ઞાનિકોના અનુસાર ભોજનનું આ જીવાશ્મ 40 હજારથી 70 હજાર વર્ષ જુનુ જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
દરેક પ્રકારની વસ્તુઓ ખાતા હતા નિએડરથલ આદિ માનવ: આ બળી ગયેલા ભોજનમાં અનેક પ્રકારની બીજ, જંગલી દાળ, જંગલી સરસવ, જંગલી ફળો અને જંગલી ઘાસનું મિશ્રણ મળ્યું છે.
જેને જોઈને વૈજ્ઞાનિકોએ સંભાવના દર્શાવી હતી કે આમાંથી દાલ-રોટી બનાવવામાં આવતી હશે. માનવામાં આવે છે કે કોઈ જમાનામાં શનિદાર ગુફા નિએન્ડરથલ માનવોની આધુનિક વસ્તી હતી. અત્યાર સુધી એવી માન્યતા રહી છે કે તે સમયે આદિ માનવ માત્ર માંસ ખાતા હતા. પરંતુ આ પુરાવા મળ્યા પછી એ વાત મજબૂત બની છે કે તેમના ખાન-પાનમાં ભિન્નતા હતી, તેઓ દરેક પ્રકારની વસ્તુઓ ખાતા હતા.
‘જર્નલ એન્ટીકવીટી’માં પ્રકાશિત થઈ શોધ: વૈજ્ઞાનિકોએ બગદાદની શનિદાર ગુફા અને ગ્રીસના ફ્રાંરથી ગુફાથી 9 સેમ્પલ જમા કર્યા હતા.
- Advertisement -
યુરોપમાંથી મળ્યું હતું 12 હજારથી 13 હજાર વર્ષ જૂનુ ભોજન: ફ્રાંરથીથી મળેલા ચાર ભોજનના બળેલા અવશેષ યુરોપથી મળ્યા હતા. જે સૌથી જૂનું ભોજન મનાતુ હતું. આ બળેલા ભોજનના માધ્યમથી વૈજ્ઞાનિકોએ એ વાત જાણી હતી કે નિએન્ડરથલ આદિ માનવ ભોજન કેવી રીતે પકાવતા હતા.