થાઈરોઇડ એક નાની ગ્રંથી છે તેનો પતંગિયા જેવો આકાર હોય છે તે ગરદનના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે, તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય દરને અંકુશિત કરવાનું છે.
દુનિયામાં દર વર્ષ 25 મેના રોજ વલ્ડ થાઈરોઈડ દિવસ મનાવવામા આવે છે આ દિવસે થાઈરોડ રોગ વિશે તેમજ તેના લક્ષણો અને ઉપાયો તેમજ સારવાર સંબંધી જાગૃતતા માટે મનાવવામા આવે છે, આ દિવસ ઉજવવાની શરૂઆત પુરોપિયન થાયરોઈડ એસોસિએશને અને અમેરિકાના થાયરોઈડ એસોસિએશન સૌથી પહેલા 25 મે 2008થી શરૂ કરી હતી. થાઈરોઇડ વિશે લોકોને શિક્ષિત કરવા માટે આ દિવસને વાર્ષિક ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ થાઈરોઇડ ગ્રંથિના મહત્વ અને તેની ભૂમિકાને પ્રકાશિત કરવાનો છે.
- Advertisement -
વિશ્વ થાઇરોઇડ દિવસનો ઈતિહાસ
સપ્ટેમ્બર 2007માં યુરોપિયન થાઇરોઇડ એસોસિએશન (ETA)ની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા દરમિયાન 25મે ના રોજ સત્તાવાર રીતે વિશ્વ થાઇરોઇડ દિવસ તરીકે મનાવવામા આવ્યો હતો. 25 મેની તારીખ 1965માં ETAની સ્થાપનાની વર્ષગાંઠને પણ ધ્યાને રખાયો છે. જે દિવસને થાઇરોઇડ વિશે જાગૃતિ લાવવા માટેનો દિવસ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો. થાઈરોઈડના શરૂઆતમાં લક્ષણો ભયજનક દેખાતા નથી, પરંતુ જો કાળજી લેવામાં ન આવે તો તે વધુ ગંભીર પરિણામ લાવી શકે છે. વિશ્વ થાઇરોઇડ દિવસનો ઉદ્દેશ લોકોને સામાન્ય લક્ષણો વિશે શિક્ષિત કરવાનો અને થાઇરોઇડ લક્ષણોને તપાસવાનો છે. આ દિવસ થાઇરોઇડના દર્દીઓ અને વિશ્વભરમાં થાઇરોઇડ રોગોના અભ્યાસ અને સારવાર માટે પ્રતિબદ્ધ અન્ય તમામ લોકોને સમર્પિત છે.3
થાઇરોઇડ શું છે ?
થાઇરોઇડ એક નાની ગ્રંથી છે તેનો પતંગિયા જેવો આકાર હોય છે, તે ગરદનના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય દરને અંકુશિત કરવાનું છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે. યોગ્ય રીતે કામગીરી બજાવતી થાઇરોઇડ ગ્રંથી શરીરની ચયાપચયની કામગીરી સંતોષજનક દરે થાય તે માટે જરૂરી હોર્મોન્સનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાનું કામ કરે છે. રક્તપ્રવાહમાં થાઇરોઇડ હોર્મોન્સના જથ્થા પર પીટ્યુટરી ગ્રંથિ દેખરેખ રાખે છે અને અંકુશિત કરે છે. મગજની નીચે ખોપરીના કેન્દ્રમાં આવેલી પીટ્યુટરી ગ્રંથિને જ્યારે થાઇરોઇડ હોર્મોન્સના અભાવની કે વધુ પડતા થાઇરોઇડ હોર્મોન્સના પ્રમાણની જાણ થાય છે ત્યારે તે તેના પોતાના હોર્મોન્સ (ટીએસએચ)ના પ્રમાણમાં વધઘટ કરે છે અને તેને થાઇરોઇડમાં મોકલે છે, તેમજ થાઈરોડ બે પ્રકારે થાય છે, હાઇપરથાઇરોઇડ અને બીજો હાઇપોથાઇરોડિઝ.
હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો :
1. અત્યંત થાક લગાવો અને નબળાઈ અનુભવવી
2. વજનમાં ઘટાડો
3. ઉચ્ચ તાપમાન અને વધુ ગરમી લાગણી
4. ધબકારામાં વધારો થવો
5. અતિશય પરસેવો
6. ઊંઘનો ન આવવી, ચિંતા, ચીડિયાપણું
7. દ્રષ્ટિમાં ફેરફાર, સામાન્ય આંખો કરતાં મોટી થવી
8. ગળામાં સોજો આવવો વગેરે…