– અન્ય બે આરોપી ઇરફાન અને હમીમુદીનને દોષિત માનવામાં આવ્યા
અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ પછી 1993માં કોટા, લખનૌ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઇની ટ્રેનોમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ કેસ મામલે અજમેરની ટાડા કોર્ટે આતંકી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યા છેે, જ્યારે અન્ય આરોપી ઇરફાન અને હમીમુદીનને દોષિત માનવામાં આવ્યા છે. સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં લગભગ 30 વર્ષ પછી કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. અજમેરની ટાડા કોર્ટે જજ મહાવીર પ્રસાદ ગુપ્તાને કેટલાય પુરાવા, સાક્ષી અને દલીલો પછી આતંકી અબ્દુલ કરીમ ટુંડાએ આ નિર્ણય સંભળાવતા નિર્દોષ જાહેર કર્યો છે.
- Advertisement -
#WATCH | Advocate Shafqat Sultani says, "Abdul Karim Tunda is innocent, today the Court gave this judgement. Abdul Karim Tunda has been acquitted in all Sections and all Acts. CBI prosecution could not produce any concrete piece of evidence before the court in TADA, IPC, Railway… https://t.co/1zHBSGON4u pic.twitter.com/9V1k7Z11I0
— ANI (@ANI) February 29, 2024
- Advertisement -
અબ્દુલ કરીમ ટુંડાએ એડવોકેટ શફ્કત સુલ્તાનીએ જણાવ્યું કે, સીબીઆઇ કોર્ટે દ્વારા લગાવાવમાં આવેલા આરોપ કોર્ટે માન્યા રાખ્યો નહોતો અને કરીમને નિર્દોષ જાહેર કરી દીધો છે. જ્યારે, અન્ય બે આરોપી ઇરફાન અને હમીમુદીનને કોર્ટે દોષિત માન્ય રાખ્યા છે, તેમને જન્મટીપની સજા સંભળાવવામાં આવી છે.
જો કે, સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે આવનારા નિર્ણયને લઇને સવારથી જ તંગદીલી વધી હતી. આજે સવારે લગભગ 11 વાગ્યે પોલીસની ટીમ આતંકી કરીમ ટુંડા, હમીદુદીન અને ઇરફાનને લઇને ટાડા કોર્ટે પહોંચ્યા હતા. આતંકીઓની સુરક્ષાને લઇને પણ ટાડા કોર્ટેની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
જાણો સમગ્ર કેસની વિગત
6 ડિસેમ્બર 1993માં અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ પછી કોટા, લખનૌ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઇની ટ્રેનોમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. 28 ફેબ્રુઆરી 2004ના ટાડા કોર્ટેએ આ મામલે 16 આરોપીઓને જન્મટીપની સજા સંભળાવી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે 4 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાને બાકીની સજાને ચાલુ રાખી હતી, જે જયપુર જેલમાં બંધ છે- અબ્દુલ કરીમ ટુંડા, હમીદુદીન અને ઇરફામ અહમદની સામે ટાડા કોર્ટેના જજ મહાવીર પ્રસાદ ગુપ્તાએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં અબ્દુલ કરીમ ટુડાને નિર્દોષ જાહેર કર્યા. હમીમુદીન અને ઇરફાન પર આંધ્રપ્રદેશ, યૂપી, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના શહેરોમાં બમ બ્લાસ્ટ કરવાનો આરોપ લગાવ્યા હતા. જયારે, અબ્દુલ કરીમ ટુંડા પર કેસના માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ હતો.