By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયન વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલની શંકા, તેમાં સવાર તમામ 49 લોકોના મોત
    15 hours ago
    કંબોડિયનમાં મોટા પાયે કાર્યવાહી: સાયબર કૌભાંડમાં 105 ભારતીયો સહિત 3075થી લોકોની ધરપકડ
    17 hours ago
    થાઈલેન્ડ F-16 જેટ દ્વારા કંબોડિયા પર બોમ્બમારો, સરહદી અથડામણમાં 2 લોકોના મોત, હજારો લોકોનું સ્થળાંતર
    17 hours ago
    ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરમાં ‘ધૃણાસ્પદ વંશીય અપશબ્દો’ સાથે તોડફોડ
    17 hours ago
    પૂર્વી અમુર ક્ષેત્રમાં 50 મુસાફરોને લઈને જતું રશિયન વિમાન ગુમ થયું
    18 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ UAE, ભારત 67મા નંબરે
    13 hours ago
    સંસદ કાલ સુધી સ્થગિત
    13 hours ago
    માલદીવ ભારતનું આભારી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નશીદે કહ્યું “ભારત ન હોત તો અમારું અર્થતંત્ર ડૂબી ગયું હોત”
    14 hours ago
    ભારત-યુકે વચ્ચે FTA પર હસ્તાક્ષર, PM સ્ટાર્મરે ‘સૌથી મહત્વપૂર્ણ’ કરાર ગણાવ્યો
    15 hours ago
    2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    16 hours ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    2 days ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    4 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    1 week ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    2 days ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    3 days ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    4 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    4 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    19 hours ago
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    6 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    6 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    7 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: CM રૂપાણીને લેખક-પત્રકાર કિન્નર આચાર્યનો ખૂલ્લો પત્ર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > CM રૂપાણીને લેખક-પત્રકાર કિન્નર આચાર્યનો ખૂલ્લો પત્ર
AuthorKinnar Acharya

CM રૂપાણીને લેખક-પત્રકાર કિન્નર આચાર્યનો ખૂલ્લો પત્ર

Khaskhabar Editor
Last updated: 2022/01/22 at 2:30 PM
Khaskhabar Editor 4 years ago
Share
13 Min Read
SHARE

પરમ આદરણીય વિજયભાઈ,

ગોદી મીડિયાનાં પત્રકાર કિન્નર આચાર્યનાં સાદર નમસ્કાર!

Contents
પરમ આદરણીય વિજયભાઈ,તમે લૉકડાઉન આપશો તો કહેશે કે, “ટંકે ટંકનું ખાનારનું શું થશે?” લૉકડાઉન નહીં આપો તો કહેશે, “સરકારને ધંધા-ઉદ્યોગની ફિકર છે, માનવ જિંદગીની નથી!” તમે વચલો રસ્તો કાઢી નાઈટ કરફ્યૂ આપશો તો લઘરાઓ ખીખિયાટા કરતા કહેશે કે, “કોરોના માત્ર રાત્રે જ નીકળે છે!” માની લો કે, તમે કોઈ જાદુઈ છડી વડે કોરોના ગાયબ કરી દેશો તો આ લોકો છાતી કુટી ને રૂ દાલી જેવું હૈયાફાટ રૂ દન કરશે અને કહેશે, “મહામારી હતી તો કેટલી હોસ્પિટલો અને તેનો સ્ટાફ નભતો હતો, લેબોરેટરી, કેમિસ્ટ્સ, ફ્રુટવાળાનાં ધંધા બંબાટ દોડતા હતા, બાળકોને ઘેરબેઠા ભણવાની લક્ઝરી હતી અને પરિવારો સહજપણે રાત્રે એકઠાં થતા… 

કુશળ હશો, તેવું કહેવું અસ્થાને છે. કારણ કે ગુજરાત કુશળ નથી- એટલે તમે પણ કુશળ ન જ હોવ. સ્વાભાવિક છે.
ગુજરાત પર ઘેરું સંકટ છે, કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આવા સમયે મેં જોયું કે, કેટલાંક લોકો કોરોનાને ટાર્ગેટ કરવાને બદલે તમને અને તમારી સરકારને ટાર્ગેટ કરી રહ્યાં છે. તેમનું નિશાન કોરોના નથી, તમે છો. આ વાઈરસ જાણે ચીનનાં વુહાનની વાયરોલોજી લેબમાંથી ન આવ્યો અને ગાંધીનગર સ્થિર સી.એમ. બંગલોમાંથી આવ્યો હોય એવી તેમની હરકતો છે. એક મિત્રએ લખ્યું કે, વિરોધીઓ તો એવી રીતે તૂટી પડયા છે- જાણે કોરોના કંઈ ચામાચિડિયામાંથી નહીં પણ કમળનાં ફુલમાંથી પેદા થયો હોય!

- Advertisement -

– કિન્નર આચાર્ય

લાગે છે, કેટલાંક લોકોએ કોરોના સંક્રમણ વધે તે માટે માનતાઓ માની છે, જેથી એ બહાને તમને વધુ ને વધુ ભાંડી શકાય. ગુજરાતની સ્થિતિ જાણે અપવાદ હોય તેમ ઘણાં લોકો રાસડાં લઈ રહ્યાં છે. આ કોઈ સરકારસર્જીત આપદા નથી. આટલી કોમન સેન્સ ક્યાંક વેંચાતી મળતી હોય તો હમણાં ખરીદીને એમને આપી આવું. આખા જગત પર આભ ફાટ્યું છે. કમનસીબે માણસજાત પાસે એવડી સોઈ અને એટલાં દોરાં નથી કે આસમાન સાંધી શકે. શું આપની પાસે એટલી સામાન્ય સમજ નથી કે, દુનિયાની ભલભલી મહાસત્તાઓ પણ આ મહામારી સામે લાચાર પુરવાર થઈ છે! જગતનું સર્વોત્તમ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતા દેશો પણ આ મહામારી સામે લાચાર અને હતપ્રભ છે.

વિશ્ર્વની સર્વોત્તમ સ્વાસ્થ્ય- સારવાર વ્યવસ્થા ધરાવતું બ્રિટન ત્રણ-ત્રણ મહિનાનાં લૉકડાઉનમાંથી હજુ હમણાં બહાર આવ્યું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે જ્યાંની માળખાગત સુવિધાઓનાં ડંકા વાગે છે એ સ્પેન, નેધરલેન્ડ, જર્મની અને સ્વીડન પણ કોરોનાની જીવલેણ થપાટો ખાઈ ચૂક્યા છે. જેને આપણે જગતની મહાસત્તા માનીએ છીએ તે અમેરિકાએ પ્રતિદિન બે લાખ કેસનો આંકડો પણ જોયો છે. યુરોપનાં સુખી-સંપન્ન, માળખાગત સુવિધાઓથી છલોછલ દેશોમાં પણ લોકો રસ્તા પર દમ તોડી રહ્યાં હોય તેવાં વિઝ્યુઅલ્સ આપણે નિહાળી ચૂક્યાં છીએ. ઈટલીમાં તો કબ્રસ્તાન ખૂટી પડ્યા હતા અને ડોકટર્સ પાસે બે જ ચોઈસ હતી: યુવાઓને બચાવવા કે સિનિયર સિટિઝન્સને. આવી દારૂણ સ્થિતિ સદનસીબે આપણે હજુ જોઈ નથી.

- Advertisement -

દુનિયા આખીનાં મોટાભાગનાં દેશો હોસ્પિટલ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓની અછતમાંથી પસાર થઈ ચૂક્યા છે અથવા થઈ રહ્યાં છે. ગુજરાતમાં કશું એવું ભયાનક બની રહ્યું નથી- જે બીજે ન બન્યું હોય. બેશક, સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. પરંતુ એ માટે કોઈ શાસક, સરકાર કે પ્રજાને દોષ આપી શકાય તેમ નથી. તમારા નેતૃત્વમાં સરકારે શક્ય એટલાં પ્રયત્નો કર્યા છે, હજુ અવિરત અને અથાક કરી રહ્યાં છો. પણ, આ સ્થિતિ આપણાં હાથમાં નથી. આ આપદાથી આપણે કોઈ પરિચિત નથી, ટેવાયેલા નથી. આ કોઈ અતિવૃષ્ટિ કે દુષ્કાળ નથી. જેની આપણને આદત હોય. એક નવી આફત છે, વિકરાળ, રૌદ્ર અને જીવલેણ છે. તેનો પ્રતિકાર તો ત્યારે થાય જ્યારે આપણે બધાં સ્તબ્ધ મટીને સ્વસ્થ થઈએ, સ્થિતિને સમજીએ.

વાઇરસ આગોતરી જાણ કરી ને કે ખત-ખબર લખી ને નથી આવ્યો, બીજી તરફ એની સાયકલ જગતનો કોઈ વૈજ્ઞાનિક પારખી શક્યો નથી. આ વાઇરસ વિશે આપણે જેટલું જાણીએ છીએ તેનાંથી અનેકગણી વાતો તેનાં વિશેની હજુ રહસ્ય છે

લાગે છે, કેટલાંક લોકોએ કોરોના સંક્રમણ વધે તે માટે માનતાઓ માની છે, જેથી એ બહાને તમને વધુ ને વધુ ભાંડી શકાય. ગુજરાતની સ્થિતિ જાણે અપવાદ હોય તેમ ઘણાં લોકો રાસડાં લઈ રહ્યાં છે, આ કોઈ સરકારસર્જીત આપદા નથી… આટલી કોમન સેન્સ ક્યાંક વેંચાતી મળતી હોય તો હમણાં ખરીદીને એમને આપી આવું

જગત આખાનાં સાયન્ટિસ્ટ્સ, ડોક્ટર્સ, શાસકો આ મહા કોયડાને ઉકેલવા ગોથા ખાઈ રહ્યા છે, લૉકડાઉન કે અનલોક કે કરફ્યૂ કે બધું મુક્ત… શું સૌથી બહેતર અને સૌથી અસરકારક છે, એ અંગે કોઈ જ છાતી ઠોકી ને દાવો કરી શકે એમ નથી

વિજયભાઈ, હું પણ જાણું છું કે, આ સહેલું નથી. કાળોતરો વાઈરસ રોજ સવાર પડે ને લખ્ખણ બદલી રહ્યો છે. આપણે ઊંદરડાં પકડવા પિંજરું ગોઠવીએ તો એ સસલું બનીને આવે છે અને સસલાનાં કદનું પાંજરૂ રાખીએ તો એ નાગ બની ફુંફાડા મારે છે. આસાન નથી. જ્યાં આજથી એક વર્ષ પહેલાં એન-95 માસ્ક કે પી.પી.ઈ. કિટ પણ બનતી નહોતી અને નેવું ટકા પ્રજાએ વેન્ટિલેટરનું નામ પણ સાંભળ્યું નહોતું- ત્યાં રાતોરાત હજારો બેડ, ઓક્સિજનવાળા બેડ અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી- એ કેટલું કપરૂં કામ છે- એ સામાન્ય તથ્ય સમજવા આઈન્સ્ટાઈન કે ન્યૂટન જેવાં જિનિયસ દિમાગની જરૂર નથી.

સો-બસ્સો વર્ષે આવી ભીષણ આપદા, આવી મહાવ્યાધિ આવે છે. આ વાઇરસ ઝડપથી ફેલાય છે, દર્દીને ઝાઝી તકલીફો આપે છે, વધુ જીવલેણ છે. તેને આપણો રિસ્પોન્સ પણ એકદમ સ્પેશિયલ હોવો જોઈએ. અને એ માટે તૈયારીઓ જોઈએ. વાઇરસ આગોતરી જાણ કરી ને કે ખત-ખબર લખી ને નથી આવ્યો. બીજી તરફ એની સાયકલ જગતનો કોઈ વૈજ્ઞાનિક પારખી શક્યો નથી. આ વાઇરસ વિશે આપણે જેટલું જાણીએ છીએ તેનાંથી અનેકગણી વાતો તેનાં વિશેની હજુ રહસ્ય છે. જગત આખાનાં સાયન્ટિસ્ટ્સ, ડોક્ટર્સ, શાસકો આ મહા કોયડાને ઉકેલવા ગોથા ખાઈ રહ્યા છે. લૉકડાઉન કે અનલોક કે કરફ્યૂ કે બધું મુક્ત… શું સૌથી બહેતર અને સૌથી અસરકારક છે, એ અંગે કોઈ જ છાતી ઠોકી ને દાવો કરી શકે એમ નથી.

ગુજરાતમાં ગયા વર્ષે કેટલીક ભૂતાવળોએ એવું ધુપ્પલ ચલાવ્યું હતું કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લીધે ગુજરાતમાં કોરોના ફેલાયો. વાસ્તવિકતા એ છે કે, ગુજરાતનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો અને એ ભાઈ ઉમરા કરવા ગયા હતા, સાઉદીથી વાઇરસ લાવ્યા હતા! આ વર્ષે હવે ઇલેક્શનનાં નામે આ બધાએ ઉપાડો લીધો છે. સત્ય એ છે કે, જ્યાં ચૂંટણીઓ નહોતી એવા મહારાષ્ટ્રમાં રોજ 55 હજાર કરતા વધુ કેઇસ નોંધાઇ રહ્યા છે અને ઇલેક્શન નહીં હોવા છતાં દોઢ કરોડની વસ્તી ધરાવતા દિલ્હીમાં રોજ સાત હજાર કેઇસ આવી રહ્યા છે. અગત્યની વાત: ચૂંટણીઓ પણ ગુજરાતમાં કોર્ટના નિર્દેશથી જ યોજાઈ હતી. નિશ્ચિત તારીખ પહેલા ઇલેક્શન યોજવા કોર્ટે જ ડેડલાઈન આપી હતી. પણ, મેં કહ્યું એમ, આ ગિધ પ્રજાતિનું નિશાન કોરોના નથી, તમે છો. તેઓ આડકતરી રીતે કહે છે કે, દરેક હોસ્પિટલની અને કેમિસ્ટ શોપની બહાર ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રેમડેસિવિરનો થડો લગાવી ને બેસે, તેઓ ઈચ્છે છે કે, ઘેર-ઘેર જઈ ને તમે જાતે એન્ટિજન ટેસ્ટ કરો, બધાંને વેક્સિન આપો અને ઘરદીઠ વેન્ટિલેટર પહોંચાડો.

લાશો ભાળી ને ગિધડાં હવે આકાશમાં ચકરાવા લઇ રહ્યા છે. મહારાષ્ટ્રની ભયાવહ સ્થિતિ વિશે બે લીટી કહેતા જેમનાં મોતિયા મરી જાય છે એવા તકલાદી અને તકવાદી શૂરવીરો ગુજરાતની વાત આવે ત્યાં સાવજ બની જાય છે. સગવડિયા ધર્મની જેમ હવે સગવડિયું શૌર્ય પણ ઇન-થિંગ છે. રોજ એક પ્રજાતિ કકળાટ કરે છે કે, “રેમડેસિવિર નથી… રેમડેસિવિર નથી…” આ ઇન્જેક્શનનો કુંભ શું દેવ-દાનવોએ કરેલા સમુદ્રમંથનમાંથી નીકળ્યો હતો? હાઇકોર્ટે કરેલી ઘણી વાતો હસી કાઢીએ તો પણ એ વાત તો સાચી જ છે કે, રેમડેસિવિર કોઈ અમૃત નથી, બધાં પેશન્ટ માટે એ જરૂરી નથી અને જેમને જરૂર નથી એવા લોકો એ લે તો નુકસાન થાય છે. બધી બાબતોએ સરકારને ભાંડતી પોસ્ટ્સ અને લેખો લખતા લોકો આ તથ્ય અંગે કેમ કશું લખતાં નથી? વિચારવા જેવું છે.

દુનિયા આખીનાં મોટાભાગનાં દેશો હોસ્પિટલ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને દવાઓની અછતમાંથી પસાર થઈ ચૂક્યા છે અથવા થઈ રહ્યાં છે, ગુજરાતમાં કશું એવું ભયાનક બની રહ્યું નથી- જે બીજે ન બન્યું હોય. બેશક, સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. પરંતુ એ માટે કોઈ શાસક, સરકાર કે પ્રજાને દોષ આપી શકાય તેમ નથી

હું એવું હરગીઝ નથી કહેતો કે, ચોતરફ બધું ગુલાબી ગુલાબી છે અને લોકોને કોઈ તકલીફ નથી. એવું પણ નથી કહેવું કે, શાસકોથી કોઈ ભૂલ થઈ જ નથી. બ્યુરોક્રસીમાં ગોખણપટ્ટીથી ઘુસી ગયેલા ઉપલાં માળ વગરનાં કેટલાક અધિકારીઓએ પણ બહુ ભાંગરા વાટયા છે. પણ, તમારા નેતૃત્વમાં અનુભવે આ ભૂલો સુધારવામાં પણ આવી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે છૂટ અપાઈ કે થોડાં દિવસોમાં જ હોસ્પિટલો દ્વારા બેફામ લૂંટની ફરિયાદો આવી. તમે રૂમથી લઇ ને આઈ.સી.યુ. સુધીનાં પ્રતિદિન પેકેજનું ભાવ બાંધણું કર્યું, બેડ ઘટ્યા તો રાતોરાત નવી હોસ્પિટલો ઉભી કરી, રેમડેસિવિરનાં વિતરણમાં જ્યાં-જ્યાં છીંડા છે, ત્યાં તમે ગાબડાં પૂરતા જાઓ છો અને ડિસ્ટ્રીબ્યુશન વધુ પારદર્શક બનાવતા જાઓ છો. ઓક્સિજનની અછત જલ્દી દુર થાય એ માટે ભરપૂર પ્રયત્નો થઈ રહ્યા છે, રસિકરણમાં આજે ગુજરાત દેશમાં ટોચનાં ત્રણ રાજ્યોમાં સામેલ છે. ધન્વંતરિ રથનાં યુનિક આઈડિયાની પ્રશંસા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ ચૂકી છે. અત્યારે પણ નવા બેડ, નવી હોસ્પિટલો, નવા કામચલાઉ કોવિડ સેન્ટર્સ તમે ઉભા કરી રહ્યા છો. આટઆટલું થઈ રહ્યું છે ત્યારે સમજવું રહ્યું કે, આ વ્યાધિ-ઉપાધિ બહુ વિકરાળ છે. તેને નાથવાનું સરળ નથી.

જગત આખું સ્તબ્ધ અને જખ્મી છે. હાલ હયાત હોય એવી એકપણ પેઢીનાં કોઈ જ લોકોએ આવું સંકટ અગાઉ જોયું નથી. દુનિયાની મેડિકલ સિસ્ટમ ઘ્વસ્ત છે, ઇકોનોમી ઠપ્પ. કહેવાય છે કે, ભુખ્યાજનોની સંખ્યા આ મહામારીને લીધે 70 કરોડથી વધી એક અબજ લગી પહોંચી ચૂકી છે, સ્મોલ બિઝનેસ ખતમ થવા લાગ્યા છે અને મહાકાય ઉદ્યોગોમાં શ્રમ માટે માનવ કલાકો પર્યાપ્ત મળતા નથી. આપણે આ પૃથ્વી પર જ રહીએ છીએ, ગુજરાત કોઈ અલગ ગ્રહ કે નોખું બ્રહ્માંડ નથી. વત્તાઓછા અંશે આ બધાની અસર આપણને પણ થવાની. આવનારા દિવસો કદાચ બહેતર હોય અને હાલનાં કરતા બદતર પણ હોઈ શકે.

વિજયભાઈ, આ સ્થિતિને બહેતર બનાવવા, આ સંકટમાંથી ગુજરાતને બહાર કાઢવા યથાશક્તિ, યથાસંભવ કાર્યો કર્યે જાઓ, એવી એક સામાન્યજન તરીકે અપીલ છે. બોલનારા બોલવાનાં જ છે. તમે લૉકડાઉન આપશો તો કહેશે કે, “ટંકે ટંકનું ખાનારનું શું થશે?” લૉકડાઉન નહીં આપો તો કહેશે, “સરકારને ધંધા-ઉદ્યોગની ફિકર છે, માનવ જિંદગીની નથી!” તમે વચલો રસ્તો કાઢી નાઈટ કરફ્યૂ આપશો તો લઘરાઓ ખીખિયાટા કરતા કહેશે કે, “કોરોના માત્ર રાત્રે જ નીકળે છે!” માની લો કે, તમે કોઈ જાદુઈ છડી વડે કોરોના ગાયબ કરી દેશો તો આ લોકો છાતી ફૂટી ને રુદાલી જેવું હૈયાફાટ રુદન કરશે અને કહેશે, “મહામારી હતી તો કેટલી હોસ્પિટલો અને તેનો સ્ટાફ નભતો હતો, લેબોરેટરી, કેમિસ્ટ્સ, ફ્રુટવાળાનાં ધંધા બંબાટ દોડતા હતા, બાળકોને ઘેરબેઠા ભણવાની લક્ઝરી હતી અને પરિવારો સહજપણે રાત્રે એકઠાં થતા… વિજયભાઈએ આ બધું છીનવી લીધું!”

બોલવા દો. એટેન્શન સિકિંગ એક મનોરોગ છે. ક્રિકેટનાં ચાલું મેચે ભરચક સ્ટેડિયમ વચ્ચે ગ્રાઉન્ડમાં નિર્વસ્ત્ર થઈ ને હડી મૂકતા લોકો વાસ્તવમાં સ્ટ્રીકર હોય છે, એમનું ધ્યેય ઉટપટાંગ હરકતો થકી લોકોનું ધ્યાન ખેંચવાનું હોય છે. હું મોટો પંડિત નથી. પણ, એટલું સમજુ છું કે, સરકાર કે શાસક કામ ન કરતા હોય ત્યારે તેની આકરી ટીકા થવી જોઈએ. પણ, શાસક અને તંત્ર જ્યારે સદીઓમાં એકાદ વખત જ આવે તેવા કુદરતી મહા સંકટ સામે ઝઝૂમતાં હોય ત્યારે એનો દાવ લેવામાં કોઈ જ બહાદુરી નથી. સમજદારી પણ નથી. આવા વાંકદેખાઓને એમનું કામ કરવા દો. આપ આપની વિશિષ્ટ શૈલીમાં અર્ધી પિચે આવી ફટકાબાજી કરતા રહો. અગાઉ ગુજરાતને ક્યારેય આપની દુરંદેશી, વિઝન, પ્રતિબદ્ધતા અને કાર્યદક્ષતાની જેટલી જરૂર નહોતી, એટલી આજે છે. ભૂતકાળની તમામ કસોટીઓ તમે જેમ ડિસ્ટીંક્શન સાથે પાસ કરી તેમ આ પણ કરશો તેવી શ્રદ્ધા પણ છે અને શુભેચ્છાઓ પણ હોય જ.

-કિન્નર આચાર્ય (ગોદી મીડિયા)

તમે લૉકડાઉન આપશો તો કહેશે કે, “ટંકે ટંકનું ખાનારનું શું થશે?” લૉકડાઉન નહીં આપો તો કહેશે, “સરકારને ધંધા-ઉદ્યોગની ફિકર છે, માનવ જિંદગીની નથી!” તમે વચલો રસ્તો કાઢી નાઈટ કરફ્યૂ આપશો તો લઘરાઓ ખીખિયાટા કરતા કહેશે કે, “કોરોના માત્ર રાત્રે જ નીકળે છે!” માની લો કે, તમે કોઈ જાદુઈ છડી વડે કોરોના ગાયબ કરી દેશો તો આ લોકો છાતી કુટી ને રૂ દાલી જેવું હૈયાફાટ રૂ દન કરશે અને કહેશે, “મહામારી હતી તો કેટલી હોસ્પિટલો અને તેનો સ્ટાફ નભતો હતો, લેબોરેટરી, કેમિસ્ટ્સ, ફ્રુટવાળાનાં ધંધા બંબાટ દોડતા હતા, બાળકોને ઘેરબેઠા ભણવાની લક્ઝરી હતી અને પરિવારો સહજપણે રાત્રે એકઠાં થતા… 

You Might Also Like

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

મુંબઈ ઇતિહાસ અને વર્તમાન

વ્હાય સો સિરિયસ?

કામ કરવાનો દૃષ્ટિકોણ

છ અવગુણોને સમૂળગા નષ્ટ કરવા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને કોરોના અંગે આપી આ અગત્યની સલાહ, જાણો અહીંયા
Next Article સ્વજન મૃત્યુના સપનાં અને સપનાંઓનું સત્ય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સસ્તું સોનું આપવાના બહાને છેતરપિંડી કરતી ‘બાવરી ગેંગ’ના 3 સભ્યો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટની વિદ્યાર્થિનીઓએ સૈનિકો માટે 1111 રાખડી અને પત્રો બનાવ્યા : સાત વર્ષથી ચાલતી અનોખી પરંપરા
ઈટોદા ગામમાં મા. શાળા સાથે ધો. 9થી 11ના વર્ગોની મંજૂરી આપવા શિક્ષણમંત્રીને રજૂઆત
વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગોરધન ધામેલીયાની AMULના વાઈસ ચેરમેનપદે પસંદગી
વિશ્ર્વ માંગલ્ય સભા રાજકોટ મહાનગર દ્વારા બહેનો માટે આરતી શણગાર સ્પર્ધા યોજાઈ
રાજકોટ એઈમ્સ હૉસ્પિટલમાં પ્રમુખ સહિતની ખાલી પડેલી જગ્યાઓ ભરવા રાજ્યસભાના સાંસદની રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બમ બમ બોલે..બર્ફાની બાબાની અમરનાથ યાત્રા એટલે શ્રદ્ધા, સાહસ અને ધીરજનો પવિત્ર સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

મુંબઈ ઇતિહાસ અને વર્તમાન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વ્હાય સો સિરિયસ?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?