ખાસ-ખબર ન્યૂઝ સીરિયા, તા.11
સીરિયામાં અસદ સરકારના પતન બાદ વિદેશી દેશો દ્વારા હુમલા તેજ થયા છે. ઇઝરાયલે સીરિયાના દક્ષિણમાં હુમલો કર્યો, અમેરિકનોએ મધ્યમાં હુમલો કર્યો અને તુર્કીના સહયોગી બળવાખોરોએ ઉત્તરીય વિસ્તાર પર હુમલો કર્યો છે. તુર્કીના વિદ્રોહી દળોએ સીરિયાના ઉત્તરીય વિસ્તાર મનબીજ પર કબજો કરી લીધો છે. કુર્દિશ સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસએ 8 વર્ષથી મનબીજ પર કબજો જમાવ્યો હતો. 2016માં, જઉઋએ ઈંજઈંજ ને હરાવીને અહીં કબજો કર્યો હતો, પરંતુ સોમવારે સીરિયન નેશનલ આર્મી દ્વારા તેના પર હુમલો કરીને કબજો લેવામાં આવ્યો હતો.
સીરિયન નેશનલ આર્મીને તુર્કીનું સમર્થન છે. રોયટર્સ અનુસાર, મનબીજમાં જઉઋની હાર બાદ કુર્દિશ લડવૈયાઓને સુરક્ષિત બહાર કાઢવા માટે યુએસ અને તુર્કી વચ્ચે સોમવારે સમજૂતી થઈ હતી. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને આ જીત પર કહ્યું કે તેઓ મનબીજમાંથી ’આતંકવાદીઓ’ના ખાત્માનું સ્વાગત કરે છે. તો બીજી તરફ ઇઝરાયલની વાયુસેનાના ફાઈટર પ્લેને સોમવારે સીરિયામાં 100થી વધુ હવાઈ હુમલા કર્યા. અલ જઝીરાના જણાવ્યા અનુસાર, આ હુમલા રાજધાની દમાસ્ક નજીક બરજાહ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટર પાસે થયા હતા.
- Advertisement -
ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સારે સ્વીકાર્યું છે કે ઇઝરાયલે હથિયારોના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ખરેખરમાં પશ્ર્ચિમી દેશોને ડર છે કે અસદ સરકારે અહીં રાસાયણિક હથિયારો છુપાવ્યા છે. હવે ઇઝરાયલને ડર છે કે આ શસ્ત્રો સીરિયન વિદ્રોહીઓના હાથમાં ન આવવા જોઈએ. સીરિયાના હયાત તહરિર અલ શામ (ઇંઝજ)ના બળવાખોરો, જેમણે રાષ્ટ્રપતિ બશર અસદને હટાવ્યા હતા, તેણે જણાવ્યું હતું કે તેઓ મહિલાઓ પર કોઈ ધાર્મિક ડ્રેસ કોડ લાદશે નહીં. તેમણે સીરિયામાં તમામ સમુદાયોના લોકો માટે વ્યક્તિગત સ્વતંત્રતાની બાંયધરી આપવાની પણ પ્રતિજ્ઞા લીધી છે.
રાજધાની દમાસ્કસ પર કબજો કર્યા પછી, અબુ મોહમ્મદ અલ જુલાનીના નેતૃત્વમાં ઇંઝજ બળવાખોરો સંગઠનની છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જુલાની, જે એક સમયે અલ કાયદાનો સભ્ય હતો, તે હવે સમગ્ર વિશ્ર્વમાં પોતાને એક સુધારાવાદી તરીકે રજૂ કરી રહ્યો છે.
બીજી તરફ બ્રિટને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ ઇંઝજને આતંકવાદી સંગઠનની યાદીમાંથી હટાવવા અંગે નિર્ણય લેશે. બ્રિટિશ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સંભાળતા પેટ મેકફેડને જણાવ્યું હતું કે સરકાર ઇંઝજને બ્લેકલિસ્ટમાંથી દૂર કરવા પર વિચાર કરી રહી છે. વિદ્રોહીઓ દ્વારા સીરિયા પર કબજો કર્યા પછી, રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે. જ્યારે અમેરિકાએ સીરિયામાં અસદ સરકારના પતનનું સ્વાગત કર્યું છે. રશિયાના પ્રેસિડેન્શિયલ પેલેસના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે માહિતી આપી છે કે સીરિયાના રાષ્ટ્રપતિને આશ્રય આપવો એ પુતિનનો વ્યક્તિગત નિર્ણય હતો. પેસ્કોવે કહ્યું કે તેઓ અસદને ક્યાં રાખવામાં આવ્યા છે તેની માહિતી આપશે નહીં. બળવાખોરોએ તુર્કીને છ મહિના પહેલા જ જાણ કરી દીધી હતી કે તેઓ અસદ સરકારને ઉથલાવવાના છે.