વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ યશોભૂમિ અધિવેશન કેન્દ્રમાં જી 20ના સભ્ય દેશોની સાંસદના સભાપતિઓના 9માં સમમેલ્લનું ઉદઘાટન કર્યુ. આ દરમ્યાન તેમણે કહ્યું કે, આ સમિટ એક પ્રકારથી દુનિયાભરની અલગ-અલગ સંસદીય પ્રથાઓનો મહાકુંભ છે. બધા પ્રતિનિધિઓ અલગ-અલગ સંસદીય કાર્યશૈલીથી અનુભવી છે. તમારા આટલા સમુદ્ધ લોકતાંત્રિક અનુભવોની સાથે ભારત આવવું એ એક સુખદ ઘટના છે.
#WATCH | Speakers and Heads of legislatures of G20 member countries welcomed by Lok Sabha Speaker Om Birla at India International Convention and Expo Center (IICC), Yashobhoomi in Delhi for the 9th G20 Parliamentary Speakers' Summit (P20) pic.twitter.com/pHJqGjeHX0
- Advertisement -
— ANI (@ANI) October 13, 2023
વડાપ્રધાન મોદીએ ઇઝરાયલમાં આવેલા સંકટનું નામ લીધા વગર જણાવ્યું કે, દુનિયાના અલગ-અલગ વિસ્તારમાં જે ઘટનાઓ બની રહી છે, જેનાથી કોઇ એવું નથી જે પ્રભાવિત ના થયું હોય. સંઘર્ષના કારણે આજે દુનિયા સંકટોથી લડી રહી છે. જે કોઇના હિતમાં નથી. માનવતાની સામે સૌથી મોટી કસોટી છે. જે કોઇના હિતમાં નથી. આ સંઘર્ષનું સમાધાન વિખૂટી પડી ગયેલી દુનિયાની વ્યવસ્થા આપી શકે નહીં. આ શાંતિ અને ભાઇચારાનો સમય છે. સાથે આગળ વધવાનો સમય છે. આ સૌની વિકાસ અને કલ્યાણનો સમય છે. અમે વૈશ્વિક વિશ્વાસના સંકટને નાબૂદ કરવું પડશે અને માનવ કેન્દ્રિત વિચાર પર આગળ વધવું પડશે. અમે વિશ્વને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની સાથે આગળ વધવું પડશે.
- Advertisement -
#WATCH | PM Modi at the ninth P20 Summit in Delhi, says "India has been facing cross-border terrorism for many years now. Around 20 years ago, terrorists targeted our Parliament at the time when the session was on. The world is also realising how big a challenge terrorism is for… pic.twitter.com/itDjZn3uQ8
— ANI (@ANI) October 13, 2023
તેમણે વધુમાં જણાવ્યું કે, લગભગ 20 વર્ષ પહેલા આતંકવાદીઓએ અમારી સંસદને નિશાન બનાવી હતી. તે સમયે સંસદનું સત્ર ચાલું હતું. અને આતંકવાદીઓની ઇચ્છા સંસદને બંદી અને તેનો નાશ કરવાની હતી. દુનિયાને પણ અહેસાસ થઇ રહ્યો છે કે આતંકવાદ દુનિયા માટે સૌથી મોટી સમસ્યા છે. આતંકવાદ જ્યાં પણ છે, કોઇ પણ કારણ હોય, કોઇ પણ રૂપમાં હોય તેઓ માનવતાની વિરૂદ્ધમાં હોય છે. એવામાં આતંકવાદને લઇને અમે બધા કડક પગલા લઇ રહ્યા છીએ. આતંકવાદની પરિભાષાને લઇને સરખી સહમતી ના બનવી એ દુખદ ઘટના છે. આજે પણ UN તેની રાહ જોઇ રહી છે. દુનિયાનો આ જ તર્કનો ફાયદો આતંકવાદ ઉઠાવી રહ્યો છે. દુનિયાભરના પ્રતિનિધિઓએ વિચારવું જોઇએ કે આતંકવાદની સામે અમે આ રીતે કામ કરી શકીએ છીએ.
#WATCH | PM Narendra Modi addresses the ninth P20 Summit in Delhi, says, "This summit is the 'mahakumbh' of parliamentary practices of the world." pic.twitter.com/KreRyPnXRv
— ANI (@ANI) October 13, 2023
તમે બધા પ્રતિનિધિ આવતા વર્ષ યોજાનાર સામાન્ય ચુંટણી જુઓ
આવતા વર્ષ ભારતમાં ફરી એક વાર સામાન્ય ચુંટણી થવા જઇ રહી છે. જેમાં P 20 શિખર સંમેલ્લનમાં આવેલા તમે બધા પ્રતિનિધિઓ આવતા વર્ષ યોજાનારા સામાન્ય ચુંટણીને જોવા માટે આમંત્રિત કરૂ છું. ભારતમાં ફરી એક વખત તમારી મહેમાનગતિ કરવાથી બહુ ખુશી મળશે. ભારત દુનિયાની સૌથી મોટી ચુંટણી નથી કરતું, પરંતુ તેમાં લોકોની ભાગીદારી વધી રહી છે. વર્ષ 2019ની સામાન્ય ચુંટણી ઇતિહાસની સૌથી મોટી કવાયત હતી. જેમાં 60 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. આ જ દેખાડે છે કે લોકો ભારતની સંસદીય પ્રક્રિયાઓમાં કેટલો વિશ્વાસ રાખે છે.
#WATCH | At the 9th G20 Parliamentary Speakers' Summit (P20), Lok Sabha Speaker Om Birla says "The theme of the P20 Summit is One Earth, One Family, One Future. We consider the world as a family…The vision of Mission Life put forward by PM Modi was discussed in the pre-summit… pic.twitter.com/MTlo0g7Cqe
— ANI (@ANI) October 13, 2023
ઓમ બિરલાએ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યુ
આ પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 9માં જી-20 સંસદીય અધ્યક્ષ શિખર સંમેલ્લનમાં પ્રતિનિધિઓનું સ્વાગત કર્યુ. ત્યાર પછી તેમણે સંમ્મેલનને સંબોધિત કર્યુ. તેમણે કહ્યું કે, આ અત્યંત ગૌરવનો વિષય છે. ભારતની અધ્યક્ષતામાં જી-20 લીડર સમિટમાં નવી દિલ્લી ડિકલેરેશનને સર્વસમ્મતિ સાથે સ્વીકાર કર્યો છે. ભારતના નરેન્દ્ર મોદીએ પ્રભાવશાળી નેતૃત્વ અને વૈશ્વિક દષ્ટિકોણને દર્શાવે છે. આ વૈશ્વિક પડકારો પર જી-20 દેશોની એક સંમતિ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. પી-20 સંમ્મેલન લોકતાંત્રિક મુલ્યો આતંરરાષ્ટ્રીય સંયોગ તથા વૈશ્વિક મહત્વના વિષયો તેમજ સમકાલીન ચુંટણીઓનું સમાધાનથી સંસદીય પ્રયાસો માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. લોકતંત્ર અમારી સૌથી મોટી વિરાસત છે. લોકતંત્ર અમારી જીવનશૈલી, આચરણ, વિચાર અને વ્યવહારમાં છે. એક તરફથી જોઇએ તો આ અમારી સંસ્કૃતિ અને
સંસ્કારમાં આત્મસાત છે.
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, ભારતની જી-20ની અધ્યક્ષતાની વ્યાપક રૂપરેખા હેઠળ સંસદ દ્વારા સંમ્મેલનની મહેમાનગતિ કરી રહ્યા છે. ભારતની જી-20ની અધ્યક્ષતાની તરફથી નોર્વે પી-20 સંમ્મેલનની થીમ ‘એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય માટે સંસદ’ છે.