શહેરના મુખ્ય માર્ગો પરથી રેંકડી સહિત ના નડતરરૂપ દબાણ દૂર કરવા માટે મેયર ડવ એ પણ દબાણ શાખા ને આદેશ કર્યા હતા પરંતુ મેયર ના આદેશ નું પાલન ન કરતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવ્યું છે.શહેર માં ઠેર ઠેર દબાણ કરીને રેંકડી ધારકો, શાકભાજીના ધંધાર્થીઓ એક આમ વેપારી આખો દિવસ ન કમાણી કરે તેટલું રોજ નો વકરો કરી લે છે. આવા લોકો સરકારી જમીન,મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને પેશકદમી કરીને રોડપતિમાંથી કરોડપતિ થયાના દાખલા ઘણા છે.ત્યારે આવા લોકો સામે કડક હાથે કામગીરી કરવાને બદલે માત્ર નામ પૂરતી જ કાર્યવાહી કરવામાં આવે છે.
ત્યારે શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
રસ્તા પર નડતર રૂપ 13 રેકડી જે ઢેબર રોડ,જ્યુબેલી,નંદનવન રાણી રોડ,ધરાર માર્કેટ,એસ.કે.ચોક,પરથીજપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્ય 27 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી જે ઢેબર રોડ, ગાયત્રીનગર, ભક્તિનગર સર્કલ ગિતામંદિર પાસે,ધર્મેંદ્ર રોડ, એસ.કે.ચોક,રામનાથ પરા,રેસકોર્ષ ગ્રાઉન્ડ, સાધુવાસવાણી રોડ, પારેવડી રોડ, સંતકબીર રોડ, જીવરાજ પાર્ક પરથી જપ્ત કરવામાં આવી હતી, 328કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને રેલ્વે જંકશન રોડ,કોર્ટ ચોક,પુષ્કરધામ, પારવેડી રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.43,000/-વહીવટી બહુમાળીભવન, ઢેબર રોડ, એસ.કે.ચોક, લાખાજીરાજ રોડ,મોરબી રોડ, યુનિ.રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.50,655/- મંડપ ચાર્જ જે મોરબી રોડ,યુનિ.રોડ પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને 284 બોર્ડ-બેનર તે ઢેબર રોડ, ભાવનગર રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.