રાજકોટમાં જૂની અદાવતમાં મનપા કર્મીની નિર્મમ હત્યા
રાજકોટમાં 80 ફુટ રોડ ઉપર આંબેડકરનગર વિસ્તારમાં રહેતા અને મનપાની ઢોર પકડ પાર્ટીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા નામના 26 વર્ષીય યુવાનની સરાજાહેર છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અગાઉના ઝઘડાના મુદ્દે યુવાનની હત્યા કરવામાં આવી છે. તેવું પોલીસે મીડિયાક્ષને જણાવ્યુ હતું. હાલ થોરાળા પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નવા થોરાળા મેઈન રોડ પર સ્વામી નારાયણ સ્કૂલ સામે રહેતો અને મનપાની ઢોર પકડ પાર્ટીમાંકોન્ટ્રાક્ટ બેઈઝથી કામ કરતો સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા ગત મોડી રાત્રે 80 ફુટ રોડ નજીક આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં.1 નજીક હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે ઘાતક હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. 108ને જાણ કરાતા સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો.
આરોપીઓ આ અંગે થોરાળા પોલીસે જણાવ્યું હતું કે, કુલ 8 શખ્સો રાત્રિના હુમલો કરવા આવ્યા હતા. જેમાં થોડા આરોપીઓ શ-20 કારમાં અને અન્ય આરોપીઓ એક્સેસમાં આવ્યા હતા. મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. એ જૂની અદાવતનો ખાર રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે. જે ઝઘડો ચાલતો હતો. એ સમયે પણ બંને પક્ષોએ સામસામે ફરિયાદ દાખલ કરેલી હતી અને એ જ વાતનો બદલો લેવાના આશયથી યુવકની હત્યા કરવામાં આવી છે જેમાં કુલ આઠ આરોપીઓ સામેલ હતા એ પૈકી બે આરોપીઓની હાલ અટકાયત કરવામાં આવી છે અને અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.