By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    5 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    7 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આસમાનના તારાઓ જ આપણાં સાચા વડવાઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > આસમાનના તારાઓ જ આપણાં સાચા વડવાઓ
મનીષ આચાર્ય

આસમાનના તારાઓ જ આપણાં સાચા વડવાઓ

Khaskhabar Editor
Last updated: 2025/08/30 at 4:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
12 Min Read
SHARE

ઉંધા પગલે ચાલો અને અપૂર્વ સ્વાસ્થ્ય પામો

વૈશ્ર્વિક કલાયમેટ ચેન્જની વિપદા ખાળવા સ્વીડિશ ઉદ્યોગપતિ મેદાને

- Advertisement -

અસ્તિત્વના ગહનતમ સ્તરે આપણે સહુ માનવીઓ એ આ ધરતી પર અહી થી તહી દોડ્યા કરતા જીવો નથી. આપણે આ બ્રહ્માંડનો એક “દૃશ્યમાન” જીવંત ભાગ છીએ. દૃશ્યમાન કહેવાનું તાત્પર્ય એ છે કે આ બ્રહ્માંડમાં કાઈ જ મૃત નથી. સઘળું જીવંત છે, સક્રિય છે પણ આ તમામ અસ્તિત્વના જુદા જુદા તબક્કામાં છે. આપણા શરીરનો પ્રત્યેક અંશ એ પરમાણુથી બનેલો છે જે અબજો વર્ષ અગાઉ તારાઓની ભીતર આવિર્ભાવ પામ્યા હતા. આ તારાઓનું એક સમયે ધબકતું જીવન હતું, પછી એક તબક્કે તેમાં વિસ્ફોટ થયો ને તે સળગી ઉઠ્યા, અને પછી તે વિરાટ સુપરનોવામાં વિસ્ફોટીત થયાં અને જંગી પ્રમાણમાં તેના તત્વો આકાશગંગામાં ચોતરફ ફેલાઇ ગયા. આપણા કોષોમાં જે કાર્બન છે, શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ, આપણાં હાડકાંમાં જે કેલ્શિયમ હોય છે અને આપણા લોહીમાં જે આયર્ન એટલે કે લોહતત્વ ફરતું રહે છે તે આપણી આ ધરતી પર ક્યારેય ન્હોતા. આ બધું યુગોના યુગો સુધી જડ તારાઓની ભીતર બની રહ્યું હતું. આપણા શરીરનો ભાગ બન્યા તે પહેલાં અબજો વર્ષ સુધી કોસ્મિક બળો દ્વારા તે આકાર રૂપ ગુણ પામતા રહ્યા. આપણે બ્રહ્માંડથી અલગ નથી. આપણે જીવંત સક્રિય હરતું ફરતું પોતાની જાતે ગંતવ્ય નક્કી કરતું ગતિશીલ બ્રહ્માંડ છીએ. એક રીતે જોઈએ તો આપણી ભીતર બ્રહ્માંડ પોતાના સ્વરૂપની અનુભૂતિ પામી રહ્યું છે. આપણે લઈએ છીએ તે દરેક શ્વાસ, આપણાં હૃદયનો પ્રત્યેક ધબકાર તારાઓની સ્મૃતિ આજ્ઞા અનુસરી રહ્યા છે. આ કોઈ સાહિત્યિક કાવ્યાભાવિક સેતું નથી, બલ્કે તે એક વૈજ્ઞાનિક સત્ય છે. આપણું સમગ્ર અસ્તિત્વ તારાઓનો કાટમાળ છે, તેની રાખ છે! આપણું શરીર પોતાના રોમેરોમમાં કાળ અને અવકાશની કહાનીઓ ધરબી બેઠું છે. આપણે બ્રહ્માંડની અંધાધૂંધી અને સુંદરતાથી રચાયેલ એક ચમત્કાર છીએ. આપણે તેના રહસ્યોના સાક્ષી છીએ. અનંત બ્રહ્માંડનો ચૈતન્ય પુંજ છીએ. તેથી જ હવે રાત્રીના આકાશ તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે એ એક સત્ય યાદ રાખવું કે આપણે આપણું મૂળ નિહાળી રહ્યા છીએ. ઉપર દૂર દૂર જે તારાઓ દેખાઈ રહ્યા છે તેઓ માત્ર ઝળહળતા પ્રકાશ પુંજ નથી બલ્કે આપણાં ખરા ને મૂળ પૂર્વજો છે. આપણે આ આકાશની અનંતતા અને સર્જનની અજાયબી સાથે મૂળભૂત રીતે અતૂટ અવિભાજ્ય સેતું ધરાવીએ છીએ. આ જાગૃતિ આપણી રુગ્ણ રિક્તતને સમૃદ્ધ ગૌરવથી ભરી દેશે. આપણે ક્ષુદ્ર તુચ્છ ક્ષુલ્લક લાચાર જીવ નથી, આપણે કોસ્મિક દિવ્યતના વારસ છીએ!

વૈજ્ઞાનિકોએ માનવ શરીરમાં
ખોળી કાઢ્યું એક નવું અંગ!

વૈજ્ઞાનિકોને તાજેતરમાં જ માનવ શરીરમાં કાર્યરત એવું એક બીલકુલ નવું, અજાણ્યું અંગ ઓળખી કાઢ્યું છે
અત્યાર સુધી આપણે જે એમ માનતા હતા કે સ્થૂળ સ્તરે તો માનવ શરીરની આપણે પૂરી તપાસ કરી જ લીધી છે એ માન્યતા આ સંશોધનના કારણે ખોટી પડી છે. લાગે છે કે શરીરને પૂરેપૂરું સમજવામાં હજુ કદાચ ઘણું બાકી છે. આ ખોજ અંતર્ગત માનવ શરીરરચના વિશેની આપણી સમજને નવો આકાર આપતી શોધમાં વૈજ્ઞાનિકોએ તાજેતરમાં શોધાયેલા આ અંગને મેસેન્ટરીને નવા અંગ તરીકે માન્યતા આપી છે. પેટની પોલાણમાં સ્થિત, આંતરડાને તેના સ્થાને રાખતા આ અંગને એક વખત ખંડિત માળખા તરીકે નકારી કાઢવામાં આવ્યું હતું, પરંતુ તાજા નવા સંશોધન દર્શાવે છે કે મેસેન્ટરી ખરેખર એક સતત કાર્યશીલ અંગ છે જે આંતરડાને તેની સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરે છે. આ શોધને “ગ્રેની એનાટોમી” જેવા અગ્રણી તબીબી પ્રકાશનમાં માન્યતા આપવામાં આવી છે અને હવે તે નિયમિત તબીબી શિક્ષણનો એક ભાગ છે. આયર્લેન્ડના પ્રોફેસર જે. કેલ્વિન કોફેના નેતૃત્વ હેઠળના જે સંશોધનમાં “મેસેન્ટરીને” પુન: વર્ગીકૃત કરવામાં આવ્યું છે તે ખરેખર નવા નામકરણની વીધી નથી બલ્કે તે તબીબી ક્ષેત્રની ગહન સમજ માટેના નવા દ્વાર ખોલી નાખનાર છે. તેની કામગીરીનો સંપૂર્ણ અંદાજ હજુ મેળવાઈ રહ્યો છે. સંશોધનકારો અત્યારે એવું માની રહ્યા છે કે પાચન સમસ્યાઓમાં અનિર્ણાયક રહેતી બાબતોના ક્ષેત્રે આ અંગની ચોક્કસ પ્રકારની ભૂમિકા હોવાની સંભાવનાઓ છે. તેના અભ્યાસ થકી પેટના વિકારની સારવારમાં મોટી સફળતા મળી શકશે.

- Advertisement -

ઇંગ્લેન્ડનો ઉદ્યોગપતિ
પર્યાવરણની વ્હારે

સ્વીડિશ મૂળના ઉદ્યોગપતિએ પર્યાવરણ અને ઇકો સિસ્ટમની રક્ષાના મહાન આશયથી એમેઝોન રેઇનફોરેસ્ટ સ્થિત એક લોગીંગ કંપની ખરીદીને પરોક્ષ રીતે આ પ્રદેશમાં આવેલી તેની 400000 એકર જમીન પર માલિકી મેળવી. ખરેખર જ આ એક અતી વિરલ ઘટના છે. પર્યાવરણ ઇકો સિસ્ટમની રક્ષા થાય તે માટે વ્યક્તિગત રીતે આટલી અધધધ રકમ કાયમ માટે ગુમાવવા તૈયાર થવું જરા પણ આસાન વાત નથી બલ્કે એક ભગીરથ કાર્ય છે. 2006માં સ્વીડનમાં જન્મેલા ઉદ્યોગપતિ જોહાન ઇલિયાસ્કે આ વિરાટ અભિયાન પોતાના હાથમાં લીધું છે. તેઓએ કેવળ આ પ્રદેશની ઇકો સિસ્ટમની રક્ષા માટે

જબરદસ્ત મોટી રકમ ચૂકવી અને પછી આ કંપની જ બંધ કરી દીધી, જેથી ત્યાં કોઈ પ્રદૂષણ ના થાય.
સ્વીડનના મી.જોહન બ્રિટનમાં સ્થાયી થયેલા છે અને તેઓ બ્રિટનના 145માં સહુથી ધનિક માણસ છે.

ચાર લાખ એકર જમીન, અને તે પણ એમેઝોન રેઇનફોરેસ્ટમાં! સમજદાર વ્યક્તિ તેની કિંમત અને વિસ્તારનો થોડો ઘણો અંદાઝ લગાવી શકે. પ્રાપ્ત માહિતી મુજબ રિલાયન્સના અનંત અંબાણીના પ્રાણીઓની રક્ષા માટેના જે વનતારા પ્રોજેક્ટની બહુ ચર્ચા થાય છે તે સાડા ત્રણ હજાર એકરમાં આવેલો છે. તેમના આ વિરાટ કદમના કારણે અહી જંગી પ્રમાણમાં કાર્બનને શોષી લેતા પ્રાચીન જંગલોના સંરક્ષણ દ્વારા કલાઈમેટ ચેંજનો સામનો કરવામાં મોટી મદદ મળશે. તેમનું આ પગલું દક્ષિણ અમેરિકામાં સંરક્ષણ માટે જમીન ખરીદતા શ્રીમંત વ્યક્તિઓના વ્યાપક વલણનો એક ભાગ હતો, ઉત્તર ચહેરો અને ફાઇનાન્સર જ્યોર્જ સોરોસના મ્પક્ધિસ જેવા આંકડા દ્વારા સમાન પ્રયત્નો બાદ. જ્યારે તેમણે રેઇનફોરેસ્ટને “મહત્વની જવાબદારી” ગણાવી ત્યારે તેમની કામગીરી બાબતે પણ વિવાદને વેગ આપ્યો હતો. કારણ કે આ પગલાના પરિણામે કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા.

તેમના અભિગમથી “ગ્રીન કોલોનિયાઝમ” અને વિકાસશીલ દેશોમાં વિશાળ જમીનની ખાનગી માલિકી વૈશ્વિક સંરક્ષણનો યોગ્ય માર્ગ છે કે કેમ તે વિશે ઉગ્ર ચર્ચાઓ પણ ઉભી થઈ. તેમ છતાં, ઇલિયાશે તેની ખરીદીને પ્રથમ પગલા તરીકે જોયો, એવી આશા વ્યક્ત કરી કે અન્ય શ્રીમંત ટેકેદારો ધમકી હેઠળ વરસાદી જંગલોને બચાવવા માટેના પ્રયત્નોને આગળ ધપાવી દેશે.

આશિક દેડકાઓ અને
નાટકબાજ દેડકીઓ

તાજેતરમાં યુરોપના કેટલાક સંશોધનકારોએ સામાન્ય પ્રકારના દેડકાઓ અંગે એક ખુબ રસપ્રદ સંશોધન રજૂ કર્યું છે. આ વાત છે નર દેડકાઓ સામે પોતાનો “મૂડ સાચવી લેવાની, આ વાત છે નર દેડકાઓના જાતીય આક્રમણ સામે દેડકીઓના અસ્તિત્વના સંઘર્ષની! વાત એમ છે કે નર દેડકાઓમાં જાતીય આવેગ ખુબ જ પ્રબળ હોય છે. સંવવનની મોસમમાં તો આ દેડકાઓ જીવવું મુશ્કેલ કરી દેતા હોય છે દેડકીઓનું! એમાં પણ ઘણી વખત એકથી વધુ દેડકાઓ ભેગા થઈ દેડકીને ઘેરી લે ત્યારે દેડકી બીચારી ક્યાં જાય? આવા સંજોગોમાં ક્યારેક ગભરાઈને દેડકી બહુ ઊંડા પાણીમાં ચાલી જાય પછી પાછી ફરી શકતી નથી કે ત્યાં તેને મોટી માછલીઓ સામે ટક્કર લેવી પડે છે! આવી કાયમી સ્થિતિનો તોડ કાઢતા દેડકીઓએ એક ગજબની યુક્તિ ખોળી કાઢી છે. જ્યારે કોઈ અતી ઉત્તેજિત દેડકો કે દેડકાઓ પોતાની પાછળ પડી જાય ત્યારે દેડકી પોતે જાણે મરી ગઈ હોય તેમ લાશની જેમ નિશ્ચેત પડી રહે છે. આ જોઈ દેડકા ગભરાઈને પાછા વળી જાય છે.અંગ્રેજીમાં આ વ્યાહવારને “ડેથ-ફિનાઈંગ” કહેવામાં આવે છે. સમજવાનું એ છે કે પ્રાકૃતિક વિષમતાઓ અને સંઘર્ષ સામે રક્ષણ મેળવી લેવાની આ સૂઝ પણ કેવી ગજબની ગણાય. અને બીજી સહુથી મહત્વની વાત એ છે કે આવા નાના એવા જીવ પાસે પણ એ સમજ કેવી સ્પષ્ટ છે કે મૃત્યુ પછી બધું વ્યર્થ છે, તમે મરી જાવ એટલે તમે છૂટી ગયા! એક દેડકી પણ આ જાણે છે!!

અનિંદ્રા ઉજાગરા આપણાં
મગજને સાચે જ ગળચી જાય છે

આ જ વર્ષના એક આધારભૂત સંશોધનમાં એવી ચોંકાવનારી વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રાત્રે આપણે રાત્રે મોડા સુઈએ છીએ ત્યારે આપણું મગજ ખુદ પોતાનું જ ભક્ષણ કરવા લાગે છે.
સંશોધનો કહે છે કે આપણને પૂરતો આરામ નથી મળતો ત્યારે આપણું મગજ આદમખોરી શરૂ કરી કોષીય સ્તરે સ્વયંને ઓહિયા કરવા લાગે છે. આ પ્રક્રિયા ધીમી હોય છે પણ તે નક્કરપણે થતી રહે છે. ઓછી ઊંઘના સંજોગોમાં માઇક્રોક્લિયા તરીકે ઓળખાતા મગજના કેટલાક કોષો વધુ પડતા સક્રિય બની જાય છે અને “સિનેપ્સને” ગળચી જવાનું શરૂ કરે છે. આ સિનેપ્સ એ બિંદુ છે જ્યાં ચેતા કોષ બીજા કોષને સંદેશ કે સૂચના આપે છે. જેમ કે સ્નાયુ અથવા ગ્રંથિય કોષને તે યા તો વિદ્યુત અથવા તો રાસાયણિક સ્ત્રાવ દ્વારા સંકેતો આપે છે. જેને ન્યુરોટ્રાન્સમીટર કહેવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ સિનેપ્સ જીએપી જંકશન દ્વારા સીધા વર્તમાન પ્રવાહને અવકાશ આપે છે, જ્યારે રાસાયણિક સિનેપ્સમાં ન્યુરોટ્રાન્સમીટરને પ્રેસિનેપ્ટિક ન્યુરોનમાંથી મુક્ત કરવામાં આવે છે. આ મૂળભૂત જોડાણ મગજ અને શરીરના જટિલ કાર્યોને સહુલિયાર આપે છે, જેમાં સિનેપ્ટિક તાકાતમાં ફેરફાર અને સ્મૃતિ બદલાય છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે પૂરતી ઊંઘ લેવા તરફ દુર્લક્ષ મુખ્યત્વે થાક, મૂડ સ્વિંગ્સ અથવા તો એકાગ્રતામાં ઉણપ પેદા કરે છે. આ નવા સંશોધન બતાવે છે કે અપર્યાપ્ત ઊંઘના કારણે મગજની રચનામાં સ્થૂળ રૂપના ફેરફાર થાય છે. પૂરતી ઉંઘ ન લેવાથી મગજની કુદરતી જાળવણી પ્રણાલીઓ નિષ્ફળ જાય છે, આ આક્રમક માઇક્રોગ્લાયિયલ કોષોને તંદુરસ્ત ન્યુરલ જોડાણો પર હુમલો કરવા માટે ઉત્તેજિત કરે છે. સમય જતાં શીખવાની મુશ્કેલીઓ, નિર્ણય લેવામાં ભૂલ, અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરના જોખમમાં વધારો જેવી લાંબા ગાળાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આ પ્રક્રિયાને સમજવાથી મગજના સ્વાસ્થ્ય માટે ઊંઘ કેટલી મહત્વપૂર્ણ છે તે સ્પષ્ટ થાય છે. ઉંઘ એ ફક્ત આરામ લેવાનો સમય નથી, ઊંઘ તે સમય છે જ્યારે મગજ પોતાને સાફ કરે છે, જોડાણોનું સમારકામ કરે છે અને સ્મૃતિઓને એકીકૃત કરે છે. ઉંઘ લેવામાં લાંબા ગાળાની અવ્યવસ્થા આ આવશ્યક પ્રક્રિયાઓને અવરોધે છે. એટલું જ નહી બલ્કે તે સ્થિતિ મગજને પોતાની જ વિરૂદ્ધ કરી નાખે છે. વૈજ્ઞાનિકો હવે એ વાત પર ભાર મૂકે છે કે, મગજને આરામ આપવો તે તેની કામગીરને વારંવાર પુન: સ્થાપિત કરવા આહાર અને વ્યાયામ જેટલું જ જરૂરી છે. તેનાથી ભાવનાત્મક સંતુલન સુધીરે છે, સ્મૃતિ સુગઠિત રહે છે અને નિર્ણયોમાં પુખ્ત તર્ક ઉમેરાય છે.

ઉંધા પગલે ચાલો અને
અપૂર્વ સ્વાસ્થ્ય પામો
વ્યાયામના ભાગરૂપે આજકાલ ઊંધા પગલે, એટલે કે પાછળની દિશામાં ચાલવાનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. કેટલાક લોકો તેને ઘેલછા સમજે છે પણ ખરેખર તે એક વિજ્ઞાન છે, ઘેલછા નથી. આ કસરત આપણાં શરીર અને મગજ વચ્ચે એક આશ્ચર્યજનક સેતું સર્જે છે. વિવિધ સ્નાયુઓને સક્રિય થવા માટે વિવશ કરીને, તે નોંધપાત્ર કેલરી બાળી નાખે છે અને આગળ તરફ ચાલવાના કારણે શરીરના અવગણના પામેલા ભાગોને ક્રિયામાં જોતરી મજબૂત બનાવે છે. અભ્યાસ દર્શાવે છે કે તેનથી ઘૂંટણ પર દબાણ ઘટે છે. તેથી તે પુનર્વસન અને સરેરાશ આરોગ્ય માટે ઉપયોગી બનાવે છે. તે આપણા સંતુલન અને મુદ્રામાં પણ ઉપયોગી બને છે.તે સંકલન અને સ્થિરતામાં સુધારો કરે છે. તેનાથી પણ વધુ રસપ્રદ એ છે કે શરીરને વિપરીત દિશામાં ધકેલવાનો માનસિક પ્રયાસ મગજના કાર્ય, એકાગ્રતા અને સ્મૃતિને ધારદાર બનાવે છે. આ સરળ આદત શારીરિક અને માનસિક તાલીમ માટેની એક ઉત્કૃષ્ઠ પરિણામદાયી કસરત બની શકે છે.

You Might Also Like

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

વેદોના ચિંતન વૈભવને જાણો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

TAGGED: sky, STARS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સફળતાની પૂર્વશરત હકારાત્મક વિચારસરણી
Next Article વિઝા ફી અમેરિકા જવાનું સપનું મોંઘું બનશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Authorમનીષ આચાર્ય

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?