By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    17 hours ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    17 hours ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    17 hours ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    2 days ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    17 hours ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અભયભાઈ ભારદ્વાજના જન્મદિન નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અભયભાઈ ભારદ્વાજના જન્મદિન નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન
રાજકોટ

અભયભાઈ ભારદ્વાજના જન્મદિન નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન

Khaskhabar Editor
Last updated: 2025/03/28 at 5:28 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2025નું આયોજન વ્યસનમુક્તિના સંદેશથી પ્રેરિત કરવાવાળી થીમથી કરાશે

પાંચ બ્રહ્મરત્નોને પુરસ્કારીત કરવા સાથે વ્યસનમુક્તિની થીમ ઉપર કાર્યક્રમ યોજી સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાની પહેલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

શ્રી પરશુરામ યુવા સંસ્થાન- રાજકોટ દ્વારા સંસ્થાનના સ્થાપક, રાજ્યસભાના સાંસદ, પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના જન્મદિન નિમિત્તે પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનું કામ સંસ્થાન દ્વારા કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 2-4-2025ના અભયભાઈના જન્મદિવસ નિમિત્તે પરશુરામ યુવા સંસ્થાન- રાજકોટ દ્વારા પાંચ બ્રહ્મરત્નોને ‘પરશુરામ એવોર્ડ’ અર્પણ કરવામાં આવશે. પાંચ બ્રહ્મપ્રતિભા કે જેમણે સમાજ માટે અને પોતાના વિધ-વિધ ક્ષેત્રે વિશેષ યોગદાન પ્રદાન કરી રાષ્ટ્ર અને સમાજનું નામ આગળ ધપાવ્યું છે તેવા પાંચ બ્રાહ્મણોને પૂજનીય સંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિવિધ સ્તરના અગ્રણીઓ અને બ્રહ્મપરિવારોની હાજરીમાં તેમનું પરશુરામ એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવશે. આ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2025 અભયભાઈના સ્નેહી એવા ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાશે. સમારોહનું ઉદ્ઘાટન હિંદુ ધર્મ આચાર્ય સભાના સંયોજક તેમજ આર્ષ વિદ્યામંદિર, રાજકોટના પરમાત્માનંદ સરસ્વતીજીના શુભ હસ્તે કરવામાં આવશે.

સમારોહનું દિપ પ્રાગટ્ય સ્વામી બ્રહ્મતીર્થ સ્વામી તથા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડો. લંકેશબાપુના વરદ્હસ્તેથી કરવામાં આવશે. સાથે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટના અપૂર્વમુનિ સ્વામીજી સમારોહમાં આશીર્વચન પાઠવશે. ઉપરાંતમાં સમારોહમાં જે સંતોનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થવાનું છે તેમાં ઘનશ્યામજી મહારાજ, જૈન્તિરામ બાપા અને રમેશભાઈ શુક્લની પાવન ઉપસ્થિતિમાં સંપૂર્ણ સમારોહ યોજાશે.

- Advertisement -

પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહના પ્રારંભ પહેલાં હાસ્ય કલાકાર કપીલભાઈ જોષી દ્વારા હાસ્યરસ પીરસવામાં આવશે. ત્યારબાદ બ્રાહ્મણોના ઈષ્ટદેવ એવા દેવાધિદેવ મહાદેવની સ્તુતિઓ તેમજ ભજનોની પ્રસ્તુતિ પ્રસિદ્ધ લોકગાયકો ઉર્વશીબેન પંડ્યા, તેજસભાઈ ત્રિવેદી, ભાસ્કરભાઈ શુક્લ અને મ્યુઝિકમાં રાજુભાઈ ત્રિવેદી, તબલામાં દિલીપભાઈ ત્રિવેદી તેમજ સાજિંદા ગ્રુપ દ્વારા કરવામાં આવશે. પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2025નું આયોજન વ્યસનમુક્તિના સંદેશથી પ્રેરિત કરવાવાળી થીમથી કરવામાં આવશે. જે મહાનુભાવોને પરશુરામ એવોર્ડ 2025 અર્પણ થવાનો છે તેમાં ધાર્મિક- વૈદિક ક્ષેત્રે પુષ્કરરાય કલ્યાણજી જાનીનું નામ ખૂબ જ સન્માનપૂર્વક લેવામાં આવે છે.

આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે અંશભાઈ ભારદ્વાજ, નિરંજનભાઈ દવે, જયેશભાઈ ભટ્ટ, સૌરભભાઈ જોષી, કુણાલભાઈ દવે, અતુલભાઈ જોષી, મિહિરભાઈ શુક્લ, મંથનભાઈ જોષી, અમિતભાઈ જોષી, પંકજભાઈ દવે આવ્યા હતા.

પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ સંસ્થાનના સ્થાપક અભયભાઈના પુત્ર અંશ અભયભાઈ ભારદ્વાજ તેમજ તેમની ઓફીસ ટીમ અને નિરંજનભાઈ દવે તેમજ પરશુરામ યુવા સંસ્થાનની ટીમ સમારોહને સફળ બનાવવા કમર કસી છે.

પુષ્કરરાય કલ્યાણજી જાની – એક કર્મકાંડી બ્રાહ્મણ તરીકે શૂન્યમાંથી સર્જન કરનાર છે. તેમની શૈક્ષણિક યાત્રા ઈ.સ. 1966થી શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળા બેટદ્વારકાથી શરૂ કરી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય- પેટલાદથી બનારસ હિંદુ વિશ્ર્વવિદ્યાલય અને ત્યાંથી બંગીય સંસ્કત ભવન- કલકત્તા સુધી પહોંચી. જ્યાં તેમણે સંસ્કૃત, વ્યાકરણ અને વૈદિક શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેમણે ઈ.સ. 1978માં પોતાના નિવાસસ્થાને ચાર ઋષિકુમારોથી સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ કર્યો અને આગળ જતાં તે પાઠશાળાને સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળા તરીકે ઓળખવામાં આવી. આજે આ જ પાઠશાળામાંથી દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર શાસ્ત્રીઓ નીકળ્યા છે. અત્યાર સુધીમાં અસંખ્ય વિદ્યાર્થીઓ આ પાઠશાળામાંથી વૈદિક શાસ્ત્રો અને સંસ્કૃતનું જ્ઞાન મેળવી આજે વિશ્ર્વભરમાં કર્મકાંડી બ્રાહ્મણ તરીકે સંસ્કૃતિને અને સંસ્કૃતને જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે.

ડો. જગદીશભાઈ ત્રિવેદી-સેવા ક્ષેત્ર, હાસ્ય અને લોકસાહિત્ય ક્ષેત્રે ડો. જગદીશભાઈ ત્રિવેદીનું નામ ખૂબ જ સન્માનપૂર્વક લેવાય છે. તેઓ અત્યંત લોકપ્રિય કલાકાર છે. તેમણે બ્રાહ્મણ પરિવારો અને સમાજની ઉન્નતિ માટે તથા શૈક્ષણિક વિકાસ માટે પોતાનું આર્થિક પ્રદાન આપ્યું છે. અત્યાર સુધીમાં તેઓએ વિવિધ રચનાત્મક, કેળવણીલક્ષી પ્રવૃત્તિઓમાં અને સામાજિક કાર્યોમાં રૂપિયા 13 કરોડનું માતબર દાન તેઓ આપી ચૂક્યા છે. ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમી- દિલ્હીએ તેમને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર અર્પણ કર્યો છે. તેઓએ ત્રણ પ્રતિજ્ઞાઓ- આજીવન સફેદ વસ્ત્રો જ પહેરીશ, વાળ કાળા નહીં કરું અને પુરસ્કારની રકમ અંગત ઉપયોગમાં નહીં લઉં-ને આજસુધી તેઓ ચુસ્ત રીતે પાડી રહ્યા છે.

રાજેન્દ્રભાઈ રાવલ- ઉદ્યોગ ક્ષેત્ર, બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈ રાજેન્દ્રભાઈ રાવલએ સૌરાષ્ટ્રમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા તેમણે ગોંડલ તાલુકાના બંધીયા ગામથી લઈને મુંબઈ સુધીની સફર પૂર્ણ કરી છે. તેમના અગ્રજ પુષ્કરભાઈ રાવલ દ્વારા સંચાલિત રાજકોટની તપોવન સ્કૂલને તેમની ટ્રસ્ટી તરીકેની કુનેહભરી સેવા પ્રાપ્ત થઈ છે. જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય તે કોલેજના ટ્રસ્ટી બનવાનું ગૌરવ પણ તેમને પ્રાપ્ત થયું છે કેમ કે તેઓ રાજકોટની પી.ડી.એમ. કોલેજમાં ભણ્યા અને એ જ કોલેજમાં આજે તરવરાટ સાથે તેઓ ટ્રસ્ટી તરીકે સેવારત છે. તેમણે ડબલ ડિજિટમાં રહેલ ઉદ્યોગ ધંધા, વ્યવસાય અને સેવાકીય ફલક પર પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડેલું છે.

ડો. જે. જે. રાવલ- વિજ્ઞાન ક્ષેત્ર, ડો. જે. જે. રાવલ એક એવું બ્રાહ્મણ નામ છે કે જેને કોઈ પ્રસિદ્ધિની જરૂર નથી. તેઓનું વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહેલું છે. ડો. જે. જે. રાવલ એપ્લાઈડ મેથેમેટિક્સ અને પ્યોર મેથેમેટિક્સની પદવી મુંબઈ યુનિવર્સિટીમાંથી મેળવી છે. કલકત્તા યુનિવર્સિટીમાંથી એસ્ટ્રોફિજીક્સમાં પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેમણે નહેરુ પ્લેનેટોરિયમના ડિરેકટર અને ડિરેકટર રિસર્ચ તરીકે સેવા બજાવી છે. ડો. રાવલે કુલ 40 સંશોધનપત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંશોધન સામયિકમાં પ્રસિદ્ધ કર્યા છે. ડો. રાવલે છેલ્લા 43 વર્ષથી રવિવારની સાપ્તાહિક આવૃત્તિમાં ખગોળ વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક તરીકે લેખો લખતા આવ્યા છે. તેમણે વિખ્યાત પત્રકાર મનુભાઈ મહેતા એવોર્ડ, મરાઠી વિજ્ઞાન પરિષદનો પ્રતિષ્ઠિત રમાબાઈ આપ્ટે પુરસ્કાર, ભારત સરકારના વિજ્ઞાન અને તંત્ર-વિજ્ઞાન મંત્રાલય તરફથી એવોર્ડ વિદ્વાન પત્રકાર માટેનો ગુજરાત સરકારનો એવોર્ડ, ગુજરાતરત્ન એવોર્ડ, હળવદ રત્ન એવોર્ડ વગેરે એવા અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
ભરતભાઈ યાજ્ઞિક- કળાક્ષેત્ર, બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈ ભરતભાઈ યાજ્ઞિકે સૌરાષ્ટ્રમાં એક નાટ્યકાર લેખક, નાટ્ય નિર્દેશક, અભિનેતા અને રેડીયો-મંચ સંચાલક તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી તે સમગ્ર બ્રહ્મસમાજ માટે ગૌરવપ્રદ બાબત છે. તેઓએ નાટ્ય પ્રશિક્ષણ કાર્યશાળાઓ તથા રાજ્ય અને કેન્દ્રીય સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સેવાઓ આપી છે. તેઓ રંગમંચની આજીવન સેવા માટે ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર તથા નટરાજ હનુમંત પુરસ્કારથી સન્માનિત થયા છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મહારાષ્ટ્રના તત્કાલીન સાંસ્કૃતિક મંત્રી પ્રમોદ નવલકરજીના હસ્તે સન્માનિત થવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ પ્રકારના વિવિધ કલા તથા નાટ્ય ક્ષેત્રના પુરસ્કારોથી તેઓ સન્માનિત થયા છે.

અભયભાઈના જન્મદિવસ નિમિત્તે અનેક નામી અગ્રણીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના નેતાઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત રહેવાના છે. આ સમારોહને સફળ બનાવવા આયોજનનો દોર શરૂ થઈ ગયો છે. બ્રહ્મસમાજના વિવિધ તડગોળના પ્રમુખો, હોદ્દેદારો, બ્રહ્મસમાજના વિવિધ સંસ્થાના અગ્રણીઓની બેઠકો યોજાઈ ગઈ. જેમાં તમામ બ્રહ્મઅગ્રણીઓએ તા. 2-4-2025 પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહને સફળ બનાવવા સંકલ્પ લીધો છે.

પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2025 સંસ્થાનના સ્થાપક અભયભાઈના પુત્ર અંશ અભયભાઈ ભારદ્વાજ તેમજ તેમની ઓફીસ ટીમ અને નિરંજનભાઈ દવે તેમજ પરશુરામ યુવા સંસ્થાનની ટીમ સમારોહને સફળ બનાવવા કમર કસી છે. પરશુરામ યુવા સંસ્થાનને બ્રાહ્મણ જ્ઞાતિના પરિવારોને બહોળી સંખ્યામાં સમારોહમાં પધારવા આમંત્રણ આપેલું છે. કાર્યક્રમના સમાપન બાદ બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

You Might Also Like

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર

રાજકોટ સિવિલમાં દવાનો સ્ટોક ખૂટ્યો, 300થી વધુ ઓર્થોપેડિકના દર્દીઓએ બહારથી દવા ખરીદવી પડી

TAGGED: Parashuram Award, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રીના હસ્તે રાવળદેવ સમાજના 174 પરિવારોને સનદ વિતરણ કરાયા
Next Article રોલેકસ કપ ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટનું દબદબાભેર સમાપન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?