ગુજરાતની ક્ષમાબિંદુએ આખરે વાયદો પૂર્ણ કર્યો. તે લગ્નબંધનમાં બંધાઇ ગઇ છે. તેણે જેમ કહ્યું હતુ તેમ તેણે આત્મલગ્ન કર્યા. ક્ષમાએ 11 જૂનના રોજ લગ્ન કરવાનું એલાન કર્યુ હતું પરંતુ વિવાદોને કારણે તેણે 3 દિવસ અગાઉ જ આત્મ લગ્ન કરી લીધા.
- Advertisement -
રીત રિવાજ મુજબ કર્યા લગ્ન
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ક્ષમાએ રીતિ રિવાજો સાથે ઘરમાં જ લગ્ન કરી લીધા. જો કે લગ્નમાં કોઇ વરરાજા ન હતા કે ન હતા પંડિત. આ લગ્નમાં કેટલાક ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા. જો કે લગ્નમાં પીઠી ચોળી અને મહેંદી ફંક્શન પણ રાખવામાં આવ્યું હતું. ક્ષમાએ સાત ફેરા પણ લીધા. કહેવામાં આવી રહ્યું છે ભારતમાં આ પ્રકારના પહેલા લગ્ન છે.
- Advertisement -
વિવાદોને કારણે વહેલા કર્યા લગ્ન
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ પ્રકારના પ્રથમ લગ્ન છે. ક્ષમાએ અગાઉ 11 જૂને તેના લગ્નની જાહેરાત કરી હતી. ત્યારથી તેના ઘરે લોકોનો સતત ધસારો રહેતો હતો. આ અંગે તેના પડોશીઓએ વિરોધ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. ક્ષમાએ કહ્યું કે તે તેના ખાસ દિવસને બગાડવા માંગતી નથી. આથી તેઓએ બુધવારે જ લગ્ન કરી લીધા હતા.
પંડિત વિના મંત્રોચ્ચાર સાથે લગ્ન
ક્ષમાએ અગાઉ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાજપના નેતા સુનિતા શુક્લના વિરોધ બાદ તેણે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પંડિતે લગ્નની વિધિ કરાવવાની પણ ના પાડી દીધી. આ પછી ક્ષમાએ બ્લૂટૂથ પર મંત્રો વગાડીને મંત્રોચ્ચાર સાથે લગ્ન કર્યા.