By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    8 hours ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    8 hours ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 day ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    1 day ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    8 hours ago
    ઇન્સ્ટાગ્રામ રીલ્સની ‘ક્વીન’ પૂજા જાટવ નીકળી  કિલર
    8 hours ago
    મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા
    8 hours ago
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    1 day ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    7 hours ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    7 hours ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 day ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    1 day ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    8 hours ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    1 day ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમ્રાટ અશોકના સંગઠન પર તેલ્બત મુન્ડી દ્વારા થયેલું નક્કર સંશોધન!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > સમ્રાટ અશોકના સંગઠન પર તેલ્બત મુન્ડી દ્વારા થયેલું નક્કર સંશોધન!
AuthorParakh Bhatt

સમ્રાટ અશોકના સંગઠન પર તેલ્બત મુન્ડી દ્વારા થયેલું નક્કર સંશોધન!

Khaskhabar Editor
Last updated: 2021/10/30 at 1:41 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

(ગતાંકથી ચાલુ) સમ્રાટ અશોકના કથિત રહસ્યમય સંગઠન અંગે ચાલી રહેલી ચર્ચામાં નવમાંથી ચાર પુસ્તકોમાં સમાવિષ્ટ જ્ઞાનની માહિતી મેળવ્યા બાદ હવે વાતનો દોર પાંચમા પુસ્તકથી આજે આગળ ધપાવીએ.

– પરખ ભટ્ટ 

(૫) કમ્યુનિકેશન : આકાશગંગાની અન્ય પૃથ્વીઓ પરના જીવ કે અન્ય બ્રહ્માંડો સાથે સંપર્ક સાધવા માટેના નુસખાઓ વિશે પાંચમા પુસ્તકમાં ઝીણવટપૂર્વકની માહિતી છે. આજથી બે હજાર વર્ષ પહેલા પરગ્રહવાસીઓના અસ્તિત્વ અંગે એ સમયની પ્રજાને જરાસરખી પણ શંકા નહોતી એવું અહીં સ્પષ્ટ જણાઈ આવે છે.

Contents
(ગતાંકથી ચાલુ) સમ્રાટ અશોકના કથિત રહસ્યમય સંગઠન અંગે ચાલી રહેલી ચર્ચામાં નવમાંથી ચાર પુસ્તકોમાં સમાવિષ્ટ જ્ઞાનની માહિતી મેળવ્યા બાદ હવે વાતનો દોર પાંચમા પુસ્તકથી આજે આગળ ધપાવીએ.– પરખ ભટ્ટ 

(૬) ગુરૂત્વાકર્ષણ : ગુરૂત્વાકર્ષણ બળની વિરૂદ્ધ જઈ શકવાના રહસ્ય વિશે છઠ્ઠા પુસ્તકમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. એ સમયમાં પુષ્પક વિમાન સહિતના અન્ય ઉડી શકે એવા ઉડ્ડયનયાનની બનાવટમાં આ પુસ્તકમાંની પદ્ધતિઓનો ઉપયોગ થયો હોવો જોઈએ. ઋષિ ભારદ્વાજના ‘વૈમાનિક શાસ્ત્ર’માં તો કેટલાક એવા વિમાનો અને ઉડ્ડયન-પદ્ધતિઓ વિશે વાત કરવામાં આવી છે, જ્યાં સુધી પહોંચવાનું ગજું આપણા આધુનિક એરોનોટિક્સ પાસે પણ નથી!

- Advertisement -

(૭) વિશ્વ-ઉત્પત્તિ : બ્રહ્માંડના અજ્ઞાત રહસ્યો અને વિશ્વની ઉત્પત્તિ પાછળના કારણોની સમજ સાતમા પુસ્તકમાં અપાઈ છે. તદુપરાંત, પ્રકાશની ગતિ કરતા વધુ ઝડપે કાર્ય કરી શકે એવા રોકેટ્સ, સ્પેસ અને ટાઇમના પરિમાણોને ધાર્યા મુજબ ઉપયોગમાં લેવાની પદ્ધતિ, બે જુદા જુદા પરિમાણ વચ્ચે પ્રવાસ ખેડી શકવાના રહસ્યો અને ટાઇમ-ટ્રાવેલ જેવી આધુનિક વિજ્ઞાનની કલ્પનાઓને વાસ્તવિકતામાં બદલતા સિદ્ધાંતોથી ભરપૂર છે આ પુસ્તક!

(૮) પ્રકાશ : કુદરતી પ્રકાશના સ્વભાવની ઊંડાણપૂર્વક સમજ સમ્રાટ અશોકના આઠમા પુસ્તકમાં સમાવિષ્ટ હોવાની ધારણા છે. પ્રકાશની ગતિ વધારી કે ઘટાડી શકવાના સિદ્ધાંતો તથા વ્યક્તિની ઇચ્છા મુજબ તેને વાળી શકવા માટેના પ્રમેયો અને ત્યારબાદ તેનો ઘાતક લેઝર-લાઇટ તરીકે ઉપયોગમાં લેવાની ટેક્નિક્સનો એમાં સમાવેશ થયો છે.

(૯) સમાજશાસ્ત્ર : સંસ્કૃતિઓના ઉત્થાન અને પતન વિશેની જાણકારી આપતો આ ગ્રંથ, અન્ય પુસ્તકોની સરખામણીમાં મહત્વનો એટલા માટે કહી શકાય કેમકે અહીં સમાજના અલગ અલગ સમુદાયો વિશેની વાત કરવામાં આવી છે. કોઈપણ સંસ્કૃતિનો નાશ પામવાનો અથવા અધઃપતનનો સમય ચોકસાઈપૂર્વક માપી તથા સમયસર રોકી શકાય છે, એ જ્ઞાન છેલ્લા પુસ્તકમાં સમાવિષ્ટ છે.

- Advertisement -

કોઈપણ સંસ્કૃતિનો નાશ પામવાનો અથવા અધ:પતનનો સમય ચોકસાઈપૂર્વક માપી તથા સમયસર રોકી શકાય છે, એ જ્ઞાન સમ્રાટ અશોકના છેલ્લા પુસ્તકમાં સમાવિષ્ટ છે

તમામ પુસ્તકોના જ્ઞાનને રહસ્ય રાખવાના વચન સાથે સંગઠનના નવ અજ્ઞાત સભ્યો સમય-સમયાંતરે જરૂર પડ્યે એમાંના કેટલાક રહસ્યોનો ખુલાસો કરતા આવ્યા છે. ફ્લાઇટ અને એરોનોટિક્સ વિશેની વાત થઈ રહી હોય કે પછી અણુબોમ્બની, દરેક નવી શોધ પાછળ એમની છૂપી મદદ મળતી આવી છે એવું ઇતિહાસકારોનું માનવું છે. શારીરિક ચિકિત્સા માટેના પ્રેશર પોઇન્ટ્સ અને માર્શલ આર્ટ્સના જુદા જુદા સ્વરૂપો પણ આનું જ પરિણામ છે! કોલેરા અને પ્લેગની રસીની શોધ ન થઈ હોત તો સમગ્ર માનવજાતનું નિકંદન નીકળી જતાં વાર ન લાગી હોત!

મુદ્દો એ છે કે, આધુનિક સમાજને સમ્રાટ અશોકના આ છૂપા સંગઠન વિશેની વાત આખરે મળી ક્યાંથી? શું ખરેખર આ કોઈ કપોળકલ્પિત વિચાર છે કે પછી અણીશુદ્ધ વાસ્તવિકતા? ઇતિહાસમાં આ અંગે કેટલાક ખુલાસાઓ થયા છે, જેમાં એ બાબત પૂરવાર થઈ છે કે દુનિયાના સૌથી જૂના અને ખૂફિયા ગણાતાં આ સંગઠનના અસ્તિત્વને સાવ નકારી દેવા જેવું તો નથી જ!

આકાશગંગાની અન્ય પૃથ્વીઓ પરના જીવ કે અન્ય બ્રહ્માંડો સાથે સંપર્ક સાધવા માટેના નુસખાઓ વિશે પાંચમા પુસ્તકમાં ઝીણવટપૂર્વકની માહિતી છે, આજથી બે હજાર વર્ષ પહેલા પરગ્રહવાસીઓના અસ્તિત્વ અંગે એ સમયની પ્રજાને જરાસરખી પણ શંકા નહોતી એવું અહીં સ્પષ્ટ જણાઈ આવે છે 

ગર્બર્ટ દ’ઔરલિયાકમાં દસમી સદીમાં જન્મેલા પોપ સિલ્વેસ્ટર (દ્વિતીય)નો કિસ્સો ખાસ ટાંકવા જેવો છે. ભારતના પ્રવાસે આવતાં પહેલા તેમણે થોડો સમય સ્પેનમાં ગાળ્યો હતો. તેઓ જ્યારે ભારતના પ્રવાસે આવ્યા ત્યારે અહીંની સંસ્કૃતિ અને ધર્મનો આસ્વાદ માણીને અભિભૂત થઈ ગયા. થોડા વર્ષો ભારતભૂમિ પર વ્યતિત કરીને તેઓ ફરી પોતાના દેશ પરત ફર્યા, પરંતુ ખાલી હાથે નહીં! તેમની પાસે પિત્તળની ધાતુથી બનેલી એક ખોપરી હતી, જે અત્યારના રોબોટિક-હેડ સાથે મેળ ખાતી હતી. તેને કોઈ પ્રશ્નો પૂછો ત્યારે એ ‘હા’ કે ‘ના’માં જવાબ આપતી હતી. પોપ સિલ્વેસ્ટરની ખ્યાતિ રાતોરાત વધી ગઈ. એ સમયના લોકો માટે જાદુ સમાન એ ખોપરી કોઈ અજાયબીથી કમ નહોતી. એવું માનવામાં આવે છે કે પોપ સિલ્વેસ્ટરે આ ખોપરીનું નિર્માણ સમ્રાટ અશોકના રહસ્યમય સંગઠનના સભ્યો પાસેથી જરૂરી જ્ઞાન મેળવ્યા બાદ કર્યુ હતું.

આટલેથી વાત અટકતી નથી. ભારતમાંથી પરત ફર્યાના થોડા જ સમયની અંદર પોપ સિલ્વેસ્ટરનું આકસ્મિક અને રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એવું કહેવાય છે કે તેઓ આ બોલતી ખોપરીનો રાઝ વિશ્વ સમક્ષ ખૂલ્લો મૂકવાની તૈયારીમાં હતાં. તેમને આ જ્ઞાન ક્યાંથી લાધ્યું અને ભવિષ્યમાં આગામી નવી પેઢી આવી બોલતી ખોપરીઓ કેવી રીતે બનાવી શકે એ વાતનો તેઓ ખુલાસો કરવાના હતાં. પરંતુ તેમના મૃત્યુની સાથે એમનું રહસ્ય ત્યાં જ દફન થઈ ગયું. બોલતી ખોપરીને તોડી-ફોડીને વિખેરી નાંખવામાં આવી, જેના લીધે તેનું મિકેનિઝમ સમજવાનો કોઈ અવસર ઉભો જ ન થયો!

‘કમ્પ્યુટર્સ એન્ડ ઑટોમેશન’ના ૧૯૫૪ની સાલના અંકમાં પોપ સિલ્વેસ્ટરની આ શોધનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં લખ્યું છે કે, ‘બેશક, પોપ સિલ્વેસ્ટર (દ્વિતીય) પાસે એમના સમયની સરખામણીમાં એવી અત્યાધુનિક મિકેનિકલ ચીજ હતી, જેના નિર્માણ માટે મોડર્ન-સાયન્સની આવશ્યકતા પડે એમ હતી, જે એ વખતે ઉપલબ્ધ નહોતું!’

પોપ સિલ્વેસ્ટર (દ્વિતીય) એકમાત્ર એવા વ્યક્તિ નહોતાં, જેમને પૌરાણિક સમયના ભારતનું જ્ઞાન હાંસિલ થયું હોય! કેટલીક માન્યતા મુજબ, ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે જાણીતાં નામો-વૈજ્ઞાનિકો જેવા કે, જગદીશચંદ્ર બોઝ અને વિક્રમ સારાભાઈને પણ લોકો સમ્રાટ અશોકના ખૂફિયા સંગઠનનો હિસ્સો માને છે, કારણકે ભારતમાં આધુનિક વિજ્ઞાનની નીંવ રાખનારા વૈજ્ઞાનિકોમાં તેમનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે. તદુપરાંત, ફ્રેન્ચ કેમિસ્ટ અને માઇક્રોબાયોલોજિસ્ટ લુઇસ પેસ્તરને પણ સંગઠનના કેટલાક સભ્યો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યા હોવાની વાત મળી આવી છે.

૧૯મી સદીમાં ફ્રેન્ચ લેખક જેકલ્લિયોટે એ સમયના પોતાના પુસ્તકમાં ઊર્જા, રેડિયેશન અને સાયકોલોજીકલ વૉરફેર વિશે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. એમના પર પણ સંગઠનના સભ્યોનો હાથ હોવાની ધારણા બાંધવામાં આવી હતી. સમ્રાટ અશોકના રહસ્યમય સંગઠનની આ ખૂફિયા વિગતો બહાર પાડનાર વ્યક્તિઓમાં સૌથી મહત્વનું નામ છે, તેલ્બત મુન્ડીનું! જેણે નવે-નવ પુસ્તકોની વિગતો અને સંગઠનના ઇતિહાસ વિશેની છૂપી બાબતો ખોળી કાઢવાનું કામ કર્યાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે.

તેલ્બત મુન્ડીએ પોતાના જીવનના ૨૫ વર્ષો ભારતમાં સેવા આપતી ‘બ્રિટિશ પોલીસ ફોર્સ’માં વીતાવ્યા હતાં. તેણે ભારતના ખૂણે-ખૂણામાં ભ્રમણ કરીને સંગઠન વિશે જાણકારી મેળવવાનો દાવો કર્યો હતો. પોતાના પુસ્તક ‘નાઇન અનનોન મેન’ (NINE UNKNOWN MEN)માં તેલ્બતે પોતાની શોધખોળ વિશેની સમગ્ર બાબતો પર પ્રકાશ પાડ્યો છે.

સમ્રાટ અશોકે વાસ્તવમાં આવું કોઈ સંગઠન બનાવ્યું હતું કે પછી આ કોઈના મગજે ઉપજાવી કાઢેલી વાતો છે? હજુ સુધી કોઈ નક્કર પુરાવાઓ નથી મળી શક્યા, જે સંગઠનના અસ્તિત્વને સ્વીકૃતિ આપી શકે. આમ છતાં એટલું તો નક્કી છે કે ઇતિહાસ ક્યારે ય જૂઠી વાતો ન કરે. આટલા બધા લોકોના અનુભવો અને એમની વાતો ફક્ત એક કલ્પના કેવી રીતે હોઈ શકે?

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસ્કારભારતી રાજકોટ જિલ્લાના ઉપક્રમે ભૂઅલંકરણ (રંગોળી) સ્પર્ધા યોજાશે
Next Article ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવનિર્મિત ૧૦૮૮ આવાસોનું રામનાથ કોવિંદના હસ્તે લોકાર્પણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

માસિક 3 ટકા વળતરની લાલચ આપી 6 રોકાણકારો સાથે 80 લાખની છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા
જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર
ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?