મોદી સાહેબમાં રહેલી શક્તિનો જાણે મારામાં સંચાર થયો : તરૂણભાઈ
વડાપ્રધાન સાથેની એ 4 મિનિટનાં સમયનાં અનુભવ વર્ણવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં શિક્ષણ મૂલ્યાંકન માટેનાં કમાન્ડ એન્ડ ક્ધટ્રોલની સેન્ટરની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને આ સેન્ટરને વિદ્યા સમીક્ષા કેન્દ્ર નામ આપ્યું છે. અહીંની વડાપ્રધાનની મુલાકાત દરમિયાન તેમને બ્રીફીંગ કરવા માટે રાજ્યભરમાંથી 18 શિક્ષકોની પસંદગી કરાઇ હતી. 18 પૈકી એક શિક્ષક જૂનાગઢ ક્ધયા શાળા નંબર 4નાં એચ ટાટ આચાર્ય તરૂણભાઇ કાટબામણા હતાં. વડાપ્રધાની મુલાકાત સમયે તરૂણભાઇએ એકમ કસોટી બુક, સરલ એપ અને રીપોર્ટ કાર્ડની માહિતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આપી હતી. અહીં 4 મિનિટ સુધી વડાપ્રધાન સાથે વાર્તાલાપ કર્યો હતો. તરૂણભાઇ કાટબામણાએ વડાપ્રધાન સાથે મુલાકાતનો અનુભવ ખાસ ખબરને જણાવ્યો હતો.
સવાલ : કેટલો સમય વડાપ્રધાન સાથે વર્તાલાપ કર્યો?
તરૂણભાઇ : સેન્ટરમાં 30 મિનીટ સુધી રોકાયા હતાં. તેમા મેં અંદાજે 4 મિનિટ સુધી વાર્તાલાપ કર્યો હતો.
- Advertisement -
સવાલ :નરેન્દ્રભાઇને શું બ્રિફિંગ કર્યું ?
તરૂણભાઇ : એકમ કસોટીની વાત કરી તે મુજબ ધોર 3 થી 8નાં દરેક વિદ્યાર્થીને બૂક આપવામાં આવી છે. જેમાં સમયપત્ર મુજબ અઠવાડીક ટેસ્ટ લેવામાં આવે છે. તેમા જરૂરી નકશા, આલેખ સહિત નોંધપોથી આપવામાં આવે છે. આ કસોટીથી લેખત કૌશલ્યમાં સુધારો થયો, પરીક્ષાનો ડર દુર થયો, હાજરીમાાં નિયમીતતા વધી, એકમ કસોટી બાદ નિદાન અને ઉપચાર પછી પૂન: કસોટી લઇ દરેક અધ્યયન નિષ્પત્તિ સિધ્ધ કરવા પ્રયત્ન થાય છે. આ ઉપરાંત સરલ એપ અને રિપોર્ટ કાર્ડ અંગેની માહિતી આપી હતી.
સવાલ : તમે જે બ્રિફિંગ કરતા તે માની લેતા હતાં?
તરૂણભાઇ : મારા ભાગે જે કાર્ય હતું તેની વાત કરૂં તો મોદી સાહેબ પહેલા શાંતિથી સાંભળતાં હતાં. અમે જે કહીએ તેમાં અમને સવાલ પણ કરતા હતાં. તેમજ એપ પણ પોતે ઓપન કરી જોતા હતાં. અમારી સાથે પ્રશ્ર્નોત્તરી પણ કરી હતી.
સવાલ : વડાપ્રધાનની આ ઘટનાને અંગે તમારૂ શું માનવું છે ?
તરૂણભાઇ : શિક્ષણની બાબતમાં ઊંડાણપૂર્વકની તત્પરતા દાખવી હોય તેવી રાષ્ટ્રની પ્રથમ ઘટના છે. ગુજરાતનું શિક્ષણ મોડલ તમામ જગ્યાએ લાગુ કરવું જોઇએ.
સવાલ :વડાપ્રધાન સાથેની મુલાકાનો તમારો શું અનુભવ ?
તરૂણભાઇ : મોદી સાહેબમાં એક ફૂટનાં અંતરેથી પણ શક્તિનો તેજપૂંજ જોવા મળ્યો હતો. તેની સામે જોઇને વાત કરતી વખતે નકકી કરેલા શબ્દો પણ ફગી જાય તેવો અનુભવ થયો. તેમજ મોદી સાહેબમાં રહેલી શક્તિનો જાણે મારામાં સંચાર થયો હોય તેવું મે અનુભવ્યું હતું. તેમની સાથે આંખમાં આંખ મીલાવી વાત કરવી ખૂબ જ મુશ્કેલ છે.
સવાલ : આ મુલાકાતને તમે શું કહેશો ?
તરૂણભાઇ : મારી 24 વર્ષની શિક્ષણ તરીકેની ફરજનો આ સર્વશ્રષ્ઠ સમય હતો. તમામ પુરસ્કાર મને મળ્યાં હોય તેવું લાગ્યું છે.
સવાલ : હવે શું સ્વપ્ન છે તમારું?
તરૂણભાઇ : સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટમાં ક્ધયા શાળા નંબર 4ની પસંદગી થઇ છે. શાળામાં 1 હજાર વિદ્યાર્થીઓની સંખ્યા કરવી છે અને શાળાને રાષ્ટ્રીય ફલક સુધી પહોંચાડવી છે.


