By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    16 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    17 hours ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    17 hours ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    17 hours ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    4 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    16 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    16 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્રના સાવજ: અમૃતલાલ શેઠ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સૌરાષ્ટ્રના સાવજ: અમૃતલાલ શેઠ
AuthorBhavy Raval

સૌરાષ્ટ્રના સાવજ: અમૃતલાલ શેઠ

Khaskhabar Editor
Last updated: 2022/03/26 at 2:49 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

કાઠિયાવાડના ‘સૌરાષ્ટ્ર’થી લઈ મુંબઈના ‘જન્મભૂમિ’ સુધી.. લેખક-પત્રકાર અમૃતલાલ શેઠ.. 

  • પત્રકારત્વના માધ્યમ વડે યુગપરિવર્તનકારી કાર્ય કરનારા પત્રકાર અમૃતલાલ દલપતરામ શેઠ
  • અમૃતલાલ શેઠના સૌ પ્રથમ 2 ઓક્ટોબર, 1921ના રોજ રાણપુરથી શરૂ થયેલા સૌરાષ્ટ્ર સાપ્તાહિકે આખા કાઠિયાવાડ રાજમાં નીડર પત્રકારત્વની નવી દિશા ઉઘાડી દીધી હતી.

    – ભવ્ય રાવલ 

આજથી એક સદી અગાઉ.. એ જમાનામાં એક આખું સમાચાર પત્ર ચલાવનાર વ્યક્તિ એક જ હોય! સૌ પ્રથમ પત્રનો મુખ્ય વ્યક્તિ પોતે જ સમાચાર શોધે, પછી પોતે જ સમાચાર લખે, પછી પોતે જ એ સમાચાર વાંચે અને પછી પોતે જ છાપે! અખબાર છપાઈ જાય એટલે પોતે જ તેને વેંચવા નીકળે અને અખબાર વહેંચાઈ જાય પછી ફરી પોતે જ ગામેગામ સમાચારની શોધમાં નીકળી પડે! આવા જ એક સમાચાર પત્રના માલિક, મુદ્રક, પ્રકાશક, તંત્રી, પત્રકાર એટલે અમૃતલાલ શેઠ. રાણપુર જેવા નાનકડા ગામમાંથી સૌરાષ્ટ્રમાં પ્રજાલક્ષી પત્રકારત્વનો પાયો નાખનાર અમૃતલાલ શેઠને ભાગ્યે જ કોઈ ઓળખતું નહીં હોય, ગુજરાતી પત્રકારત્વજગતમાં અમૃતલાલ શેઠને સૌરાષ્ટ્રના સિંહનું બિરુદ આપવામાં આવેલું છે. અમૃતલાલ શેઠે ન ફક્ત ગુજરાતી પત્રકારત્વને દિપાવ્યું છે પરંતુ ગુજરાતી પત્રકારત્વને દિપાવે તેવા પત્રકારોની એક આખી ફોજ ઘડી છે.

Contents
કાઠિયાવાડના ‘સૌરાષ્ટ્ર’થી લઈ મુંબઈના ‘જન્મભૂમિ’ સુધી.. લેખક-પત્રકાર અમૃતલાલ શેઠ.. પત્રકારત્વના માધ્યમ વડે યુગપરિવર્તનકારી કાર્ય કરનારા પત્રકાર અમૃતલાલ દલપતરામ શેઠઅમૃતલાલ શેઠના સૌ પ્રથમ 2 ઓક્ટોબર, 1921ના રોજ રાણપુરથી શરૂ થયેલા સૌરાષ્ટ્ર સાપ્તાહિકે આખા કાઠિયાવાડ રાજમાં નીડર પત્રકારત્વની નવી દિશા ઉઘાડી દીધી હતી.– ભવ્ય રાવલ અમૃતલાલ શેઠ એટલે ફક્ત શિક્ષક, મેજિસ્ટ્રેટ, રાષ્ટ્રવાદી પત્રકાર જ નહીં, સ્વાતંત્ર્ય સેનાની પણ… 

કાઠિયાવાડની ધરા પરથી પત્રકારત્વના માધ્યમ વડે યુગપરિવર્તનકારી કાર્ય અનેક પત્રકારોએ કર્યું છે, તેમાંનું એક અવ્વલ દરજ્જાનું નામ અમૃતલાલ દલપતરામ શેઠનું છે. અમૃતલાલ શેઠ અને તેમના પત્રોનું ગુજરાતી પત્રકારત્વના વિકાસ સહિત ભારતની આઝાદીમાં યોગદાન નાનુંસુનું નથી. સૌરાષ્ટ્ર, રોશની, નઈ રોશની, ફૂલછાબ, અંગ્રેજી પત્ર ધ સન અને જન્મભૂમી જેવા અખબારોના આદ્યસ્થાપક અમૃતલાલ શેઠ પ્રખર રાષ્ટ્રભક્ત અને આજન્મ લોકસેવક સાથે રાષ્ટ્રવાદી પત્રકાર તરીકે ખ્યાતિ પામ્યા છે. અમૃતલાલ શેઠે 2 ઓક્ટોબર, 1921ના રોજ રાણપુરથી સૌરાષ્ટ્ર સાપ્તાહિક શરૂ કર્યું હતું. 1931માં સૌરાષ્ટ્ર ઉપર પ્રતિબંધ મૂકાયો હતો. અમૃતલાલ શેઠ 1934માં રાણપુર છોડી મુંબઈમાં સ્થાયી થયા હતા. મુંબઈથી તેમણે જન્મભૂમિ, ધ સન, નૂતન ગુજરાત જેવા પત્રો શરૂ કર્યા હતા. અમૃતલાલ શેઠે 1935માં મરાઠી દૈનિક લોકમાન્ય ખરીદી લીધું હતું.

- Advertisement -

જો અમૃતલાલ લાલ શેઠના સૌ પ્રથમ પત્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 2 ઓક્ટોબર, 1921ના રોજ રાણપુરથી શરૂ થયેલા સૌરાષ્ટ્ર સાપ્તાહિકે આખા કાઠિયાવાડ રાજમાં નીડર પત્રકારત્વની નવી દિશા ઉઘાડી દીધી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના એ યુગમાં અમૃતલાલ શેઠના સાપ્તાહિક સૌરાષ્ટ્રની કાઠિયાવાડ સહિત આખા ગુજરાતના દેશી રાજ્યો અને અંગ્રેજોમાં એવી ધાક હતી કે કેટલાક દેશી રાજ્યોએ તો પોતાના રાજમાં સૌરાષ્ટ્રના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આમ છતાં સૌરાષ્ટ્રની નકલો દેશી રાજ્યોની પ્રજા ગમે ત્યાંથી મેળવીને વાંચતી અને વંચાવતી હતી. કારણ સ્પષ્ટ હતું, દેશી રાજ્યોમાં રૈયતને જે અત્યાચારો સહન કરવા પડતા હતા તેને સૌરાષ્ટ્ર સાપ્તાહિક વાચા આપતું હતું, આ સાથે જ અસ્સલ કાઠિયાયાવાડી મિજાજનું પ્રતિબિંબ સૌરાષ્ટ્ર પત્ર બની ગુજરાતભરમાં જાણીતું બની ગયું હતું. અમૃતલાલ શેઠનું સૌરાષ્ટ્ર 1930-31માં બંધ પડ્યું હતું, સૌરાષ્ટ્ર પર પ્રતિબંધના કારણે સૌરાષ્ટ્રનું નામ બદલાવીને રોશની રાખવામાં આવ્યું હતું. રોશની બાદ તેનું નામ બદલાવીને ફૂલછાબ રાખવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર સાપ્તાહિક કે જે હવે ફૂલછાબ દૈનિકના નામે ઓળખાય છે તેણે ગુજરાતી પત્રકારત્વમાં એક સદીની યાત્રા પૂર્ણ કરી લીધી છે.

અમૃતલાલ શેઠે સાપ્તાહિક સમાચાર પત્ર સૌરાષ્ટ્ર થકી સૌરાષ્ટ્રના પત્રકારત્વનો સુવ્યવસ્થિત પાયો નાખી વૃત્તાંતનિવેદનને નવી દિશા આપી હતી. કાઠિયાવાડમાં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ એટલે કે શોધ-સંશોધનાત્મક પત્રકારત્વની શરૂઆત કરનારા પણ અમૃતલાલ શેઠ અને તેમનું પત્ર સૌરાષ્ટ્ર હતા.

અમૃતલાલ શેઠ એટલે ફક્ત શિક્ષક, મેજિસ્ટ્રેટ, રાષ્ટ્રવાદી પત્રકાર જ નહીં, સ્વાતંત્ર્ય સેનાની પણ… 

અને તેમના આ કાર્યમાં સાથ આપનારા ઝવેરચંદ મેઘાણી, કકલભાઈ કોઠારી, ગુણવંતરાય આચાર્ય, શામળદાસ ગાંધી જેવા ભાષા, સાહિત્ય, ઈતિહાસ, રાજકારણ, કાયદા વગેરે વિષયના જાણકારો હતા. અમૃતલાલ શેઠ અને તેમના આ સાથીદારો સૌરાષ્ટ્ર સાપ્તાહિક બાદ જન્મભૂમિ દૈનિકમાં પણ જોડાયેલા રહ્યા હતા. સૌરાષ્ટ્ર અને જન્મભૂમિનો દરેક પત્રકાર પોતાનામાં એક વિશિષ્ટ વ્યક્તિત્વ અને આવડત ધરાવતો હતો. આજે પણ સૌરાષ્ટ્ર તેમજ જન્મભૂમિ પત્રોમાં શરૂઆતના સમયમાં લખાયેલા – છપાયેલા તંત્રીલેખો અને લેખો સાંપ્રત જણાય છે.

- Advertisement -

મુંબઈ જઈને અમૃતલાલ શેઠે 1934માં જન્મભૂમિની સ્થાપના કરી હતી. મૂળ તો તેમણે ત્યાંથી ધ સન નામનું અંગ્રેજી પત્ર પ્રગટ કર્યું હતું પણ તે ચાલ્યું નહીં અને આર્થિક નુકસાની આપનારું બન્યું. ધ સનની નિષ્ફળતા બાદ અમૃતલાલ શેઠે મુંબઈથી જન્મભૂમિ શરૂ કર્યું. મુંબઈમાં સવારના અખબારોમાં મુંબઈ સમાચાર અતિ પ્રખ્યાત હતું તેથી તેની હરિફાઈમાં ન ઉતરતા જન્મભૂમિ સાંધ્ય દૈનિક તરીકે શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. 9 જૂન, 1934ના રોજ મુંબઈની મેડોઝ સ્ટ્રીટથી જન્મભૂમિ અખબારની શરૂઆત થઈ હતી. માત્ર 5000 નકલથી શરૂ થયેલું જન્મભૂમિ અખબાર જોતજોતામાં લોકપ્રિય બની ગયેલું હતું. અમૃતલાલ શેઠે સૌરાષ્ટ્રની જેમ જ જન્મભૂમિને એક પ્રખર રાષ્ટ્રવાદી, નીડર અને પ્રજાભિમુખ પત્ર તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. અમૃતલાલ શેઠે કાઠિયાવાડમાં સૌરાષ્ટ્ર અને મુંબઈમાં જન્મભૂમિ જેવા પત્રો શરૂ કરી ગુજરાતી પત્રકારત્વને રાષ્ટ્રીય સ્તર પર નોંધનીય બનાવ્યું હતું.

અમૃતલાલ શેઠ મેટ્રિક થયા પછી તત્કાલીન ધરમપુર રાજ્યમાં શિક્ષક બન્યા હતા. આગળ જતા તેઓ લીંબડી-વઢવાણમાં રહીને વકીલાતનું પણ ભણ્યા અને કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી લીંબડીમાં મેજિસ્ટ્રેટ બન્યા હતા. જોકે નિયતિને કઈક બીજું જ મંજૂર હોય તેઓ અંતે પત્રકારત્વની દુનિયાના પગથિયાં ચઢ્યા અને જીવનના અંત સુધીમાં પત્રકારત્વની દુનિયામાં સફળતાના શિખરોની ટોચ પર પહોંચી ગયા હતા. મોતને મુઠ્ઠીમાં લઈને સમાચાર શોધવા નીકળતા, જીવને હથેળી પર રાખી સમાચાર લખવા બેસતા અને મરવાની પરવા કર્યા વિના પત્રો પ્રસિદ્ધ કરતા અમૃતલાલ શેઠ એક શિક્ષક અને મેજિસ્ટ્રેટ ઉપરાંત બાહોશ અખબારનવેશ હતા. અમૃતલાલ શેઠ કાયમ પોતાની સાથે રિવોલ્વર રાખતા. ઘોડા પર સવાર થઈ સમાચારની શોધમાં નીકળતા ત્યારે કમરે પીસ્તોલ બાંધેલી જ હોય, અડધી રાત્રે એકલા સમાચાર લખવા બેસતા ત્યારે પણ તેમની પાસે એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં કલમ હોય. અમૃતલાલ શેઠમાં એક લેખક – પત્રકાર સાથે નેતાના તમામ ગુણો હતા. અમૃતલાલ શેઠની લેખનશૈલીમાં સાહિત્ય અને દેશભક્તિનો જબરો સમન્વય હતો. તેઓ ભાષા-સાહિત્ય સાથે ઈતિહાસ, રાજકારણ અને કાયદા જેવા વિષયોના પણ જાણકાર હતા. પત્રકારત્વના વ્યવસાય સાથે સંબધિત અનેક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા.

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એવા ઘણા લડવૈયાઓ હતા જેમના પ્રદાન અંગે એમના પ્રદેશની બહારના લોકો બહુ જાણતા નથી હોતા. ઈતિહાસના કાળખંડમાં થોડોઘણો અન્યાય પામેલા આવા જ એક આઝાદીની લડતના લડવૈયા એટલે અમૃતલાલ દલપતરામ શેઠ, જેઓ ફક્ત શિક્ષક, મેજિસ્ટ્રેટ, રાષ્ટ્રવાદી પત્રકાર જ નહીં પરંતુ સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. ગાંધીજીની આઝાદી માટેની લડતને તેમનો પૂરો ટેકો હતો. આઝાદીની લડતના વિવિધ આંદોલનમાં ભાગ લઈ ચૂકેલા અમૃતલાલ શેઠ મુંબઈ ગયા તે પહેલા ધોલેરા મીઠા સત્યાગ્રહમાં સ્થાનિક પ્રજાને કુશળ નેતૃત્વ પૂરું પાડી ચૂક્યા હતા. તેમણે 1932ની ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. જાપાન અને બર્મામાં કરેલાં કારનામાઓ, જૂનાગઢની આરઝી હકૂમતમાં લીધેલો આગળ પડતો ભાગ, અને વિશેષ તો ગુજરાતી પત્રકારત્વમાં કરેલા સાહસોની વિસ્તૃત કથા જાણવા માટે અમૃતલાલ શેઠના જીવન – કાર્ય પર લખાયેલા પુસ્તકો વાંચવા પડે.

વધારો : આજથી એક સદી પૂર્વે અમૃતલાલ દલપતરામ શેઠે શરૂ કરેલા સમાચાર પત્રો પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટેની પાઠશાળા બની ગયેલા અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકાર બનવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટેની પાઠશાળાનું નામ શ્રી અમૃતલાલ દલપતરામ શેઠ પત્રકારત્વ ભવન છે.

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અપહરણ-2 અનદેખી કરવા જેવી નથી
Next Article દવામાં થયો કમરતોડ ભાવવધારો: પેરાસિટામોલ સહિત દવાઓ થશે મોંઘી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે
મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?