વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સમાજના તમામ વર્ગોને જોડીને ભવ્ય ઉજવણી કરાશે
શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોની તૈયારીઓને વેગ : કાર્યાલય ખાતે કાર્યકર્તાઓનો મેળાવડો, લતા-ફ્લોટ સુશોભનની નોંધણી ચાલુ
- Advertisement -
ભગવાન શ્રીકૃષ્ણના પાવન અવતરણ દિવસ તરીકે દેશભરમાં ઉજવાતી જન્માષ્ટમી ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સામાજિક એકતાનું પર્વ છે. આ પવિત્ર મહોત્સવને વધુ યથાર્થ અને સાચા અર્થમાં લોકોત્સવ
બનાવવાના હેતુથી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા વિવિધ ક્ષેત્રના આગેવાનો અને સમાજના તમામ વર્ગોને સાથે જોડવાની તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. જન્માષ્ટમીના મહાપર્વને ભગવાન શ્રીકૃષ્ણના
જીવનમૂલ્યો—ઉપદેશ, કર્તવ્ય, પ્રેમ, પરમાર્થ અને માનવકલ્યાણ—સાથે જોડીને સર્વસમાવેશક રીતે ઉજવવાના સંકલ્પ સાથે માર્ગદર્શક સમિતિ દ્વારા સર્વાનુમતે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. માર્ગદર્શક સમિતિમાં
માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઈ મકવાણા સહિતના સભ્યોનો
સમાવેશ થાય છે. સમિતિના અધ્યક્ષ તરીકે રાજાભાઈ (વાવડી), કાર્યકારી અધ્યક્ષ તરીકે તિર્થરાજસિંહ ગોહિલ તથા ઇન્ચાર્જ તરીકે પરેશભાઈ રૂપારેલીયાની જવાબદારી છે.
સંકલન સમિતિમાં રાધેશ્યામ બાપુ, લલીતભાઈ વડેરીયા (કાળુમામા), અશ્વિનભાઈ ગોસાઈ, કૃણાલભાઈ વ્યાસ, ડો. માધવ દવે, યોગેન્દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા
ટ્રસ્ટ), ગૌતમભાઈ ધમસાણીયા, ચમનભાઈ સિંધવ, રાજુભાઈ પિલ્લાઈ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઈ દેસાઈ, જયેશભાઈ સાંઘાણી, સુજીતભાઈ ઉદાણી, વસંતભાઈ લીમ્બાસીયા, રાજુભાઈ જુંજા અને રાહુલભાઈ જાની સહિતના
આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિ આગામી દિવસોમાં અલગ અલગ ક્ષેત્રના આગેવાનોનો સંપર્ક કરી જન્માષ્ટમી મહોત્સવમાં મહત્તમ લોકોની સહભાગીતા સુનિશ્ચિત કરવા માટે આયોજનબદ્ધ પ્રયાસો કરશે.
સમાજના કોઈપણ વર્ગના લોકો મહોત્સવમાં સહભાગી થવાથી વંચિત ન રહે તે માટે વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો ઉપરાંત વ્યવસાયિક સંસ્થાઓ તથા જ્ઞાતિના આગેવાનોનો સંપર્ક કરવામાં આવશે. શાળાઓ, કોલેજો,
મઠ-મંદિરો, સંતો-મહંતો, ધર્માચાર્યો, સેવા વસ્તીઓ, ધૂન મંડળો, રાસ મંડળો, ગરબી મંડળો સહિત સનાતન ધર્મ સાથે સંકળાયેલા નાના-મોટા સંગઠનોને પણ મહોત્સવ સાથે જોડવાની યોજના છે. આ અંગે સંપર્ક અભિયાનની
સમગ્ર રૂપરેખા સંકલન સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવશે તેમ માર્ગદર્શક સમિતિના શાંતુભાઈ રૂપારેલીયા અને વનરાજભાઈ ગરૈયાએ જણાવ્યું હતું.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક કાર્યકર્તાઓ સેવા અને શ્રદ્ધાભાવ સાથે શોભાયાત્રાની તૈયારીઓમાં જોડાયા છે. ઝંડીઓ બનાવવાથી લઈને સંપર્ક
અભિયાન, ફ્લોટ્સની તૈયારીઓ, મુખ્ય રથની મરામત, આગામી કાર્યક્રમોની તૈયારી, શોભાયાત્રાના સુશોભન તથા કાર્યાલયની સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં લલીતભાઈ ગોહેલ,
ધર્મેશભાઈ ગોહેલ, મૌલીકભાઈ દાવડા, જયદીપભાઈ વિસપરા, કુલદીપભાઈ બારોટ, રવીન્દ્રભાઈ બડગુજર, ધ્વનીતભાઈ સરવૈયા, ડો. રવી પાટડીયા, અલ્પેશભાઈ નાંઢા, વિપુલભાઈ પંડ્યા, પારસભાઈ શાહ, સંદીપભાઈ
આસોદરીયા, યોગેશભાઈ ચોટલીયા, નવીનભાઈ વાઘેલા, હિરેનભાઈ વ્યાસ, અલ્પેશભાઈ મોરડીયા, મૌલીકભાઈ ધોડકીયા, હિનેશભાઈ મકવાણા, દર્શીલભાઈ જોષી, યોગીભાઈ ત્રિવેદી, યોગેશભાઈ પીઠવા, દેવાંગભાઈ બામ્બા,
બિજરાજ રાઠોડ અને મનસુખ રાઠોડ સહિતના કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા છે. આ રીતે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધાર્મિક ભાવનાની સાથે સામાજિક એકતા અને સર્વસમાવેશક સહભાગિતાને કેન્દ્રમાં રાખીને
આયોજનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. સમાજના વિવિધ વર્ગો, સંસ્થાઓ અને સંગઠનોને એક મંચ પર લાવી જન્માષ્ટમીને સાચા અર્થમાં જન-જનનો મહોત્સવ બનાવવાનો પ્રયાસ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની
શકે છે.
- Advertisement -
આ વર્ષની જન્માષ્ટમી મહોત્સવની વિશેષ થીમ ટૂંક સમયમાં જાહેર કરાશે
જન્માષ્ટમી મહોત્સવને વધુ આકર્ષક અને સર્વસમાવેશક બનાવવા આગામી દિવસોમાં સર્વે મંડળોની બેઠક યોજાશે. આ ઉપરાંત તાવા પ્રસાદનું આયોજન, ગત વર્ષના લતા સુશોભન અને ફ્લોટ સુશોભનના વિજેતાઓને ઇનામ
વિતરણ, ગોપી-કિશન સ્પર્ધા, ડાયરો સહિતના વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે તેમ સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું. આ વર્ષની જન્માષ્ટમી મહોત્સવની વિશેષ થીમ પણ ટૂંક સમયમાં જાહેર
કરવામાં આવશે તેમ સહ-ઇન્ચાર્જ દીપકભાઈ ગમઢાએ જણાવ્યું હતું.




