SSA દ્વારા ખાલી પડેલી કો.ઓર્ડિનેટરની જગ્યાઓ ભરવા જાહેરાત કરાઈ
છૂટા થયેલા કો.ઓર્ડિનેટર એક વર્ષ સુધી અરજી નહી કરી શકે, નવાને તક મળશે
ઘણા તાલુકાઓમાં એકના એક જ ઉમેદવારો રીપિટ થતાં હતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે સતત મોનિટરિંગ કરતાં ઈછઈ-ઇછઈ કો.ઓર્ડિનેટરની ખાલી પડેલી 850થી વધુ જગ્યાઓ ભરવા માટે સમગ્ર શિક્ષા અભિાયન (જજઅ) દ્વારા જાહેરાત આપવામાં આવી છે. જજઅ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ તા.1થી 10 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. ઉમેદવારી નોંધાવનાર શિક્ષકોની 31મી ડિસેમ્બરના રોજ પરીક્ષા લેવાનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ લાંબા સમય સુધી એક જ જગ્યા પર એક જ વ્યક્તિ અડિંગો જમાવી ન શકે એ માટે નિમણૂકના નિયમોમાં કેટલાક ફેરફાર કરાયાં છે. જેમાં નિયત સમય મર્યાદા પૂર્ણ થતા જે ઈછઈ-ઇછઈ છૂટા થાય તેઓએ ફરજિયાત એક વર્ષ સુધી સ્કૂલમાં જ ભણાવવું પડશે. એટલે કે, એક વર્ષ સુધી અરજી કરી નહીં શકાય. રાજ્યના તમામ જિલ્લાના બ્લોક કક્ષાએ બ્લોક રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (ઇછઈ) અને મહાનગરોમાં અર્બન રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (ઞછઈ)ની કુલ 263 જગ્યાઓ સામે ઓગસ્ટ મહિનાની સ્થિતિએ 238 ફરજ બજાવે છે જ્યારે 25 જગ્યા ખાલી છે. ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કો.ઓર્ડિનેટર (ઈછઈ)ની 3,240 જગ્યા સામે 2,402 ફરજ બજાવે છે અને 838 જગ્યા ખાલી પડી છે. આ જગ્યાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકેનો 5 વર્ષનો અનુભવ ધરાવતા શિક્ષકો ઉમેદવારી નોંધાવી શકે છે. જેમાં ધો.10થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિવિધ લાયકાતના નક્કી કરેલા કુલ 50 ગુણ અને લેખિત પરીક્ષાનાં 100 મળી કુલ 150 ગુણના આધારે મેરિટ તૈયાર કરાય છે.
પી.એચડીના 2 ગુણ ગણવામાં આવતા હતા એમાં હવે નેટ-સ્લેટની લાયકાત પણ ઉમેરાઈ છે. શિક્ષક તરીકેના અનુભવના 10 ગુણ હોય છે, જેમાં 1 વર્ષનો 1 ગુણ ગણવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ ઈછઈ-ઇછઈનો અનુભવ પણ ગણવામાં આવતો હતો એ હવે નહી ગણાય. આ સિવાય ઘણા ઉમેદવાર છૂટા થયા હોય અને મહિનામાં જાહેરાત આવે તો પણ ઉમેદવારી કરતાં હતા. જેથી ઘણા તાલુકાઓમાં એકના એક જ ઉમેદવારો રીપિટ થતાં હતા. જેથી આવા ઉમેદવારો રીપિટ ન થાય એ માટે છૂટા થયાને એક વર્ષ સુધી અરજી કરવા પર રોક લગાવ્યો છે.