By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    14 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    14 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    14 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    14 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    16 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    16 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પશ્ર્ચિમ બંગાળમાં વિક્રમી મતદાન: પરિવર્તનના સંકેત કે સત્તા ટકાવવાની મથામણ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પશ્ર્ચિમ બંગાળમાં વિક્રમી મતદાન: પરિવર્તનના સંકેત કે સત્તા ટકાવવાની મથામણ?
ગુજરાત

પશ્ર્ચિમ બંગાળમાં વિક્રમી મતદાન: પરિવર્તનના સંકેત કે સત્તા ટકાવવાની મથામણ?

Khaskhabar Editor
Last updated: 2026/04/25 at 4:31 PM
Khaskhabar Editor 2 weeks ago
Share
10 Min Read
SHARE

ઊંચું મતદાન હંમેશા કોઈ મોટા રાજકીય પરિવર્તન તરફ ઈશારો કરે છે, હિંસા અને તણાવ વચ્ચે પણ લોકોએ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટ કરી

પશ્ચિમ બંગાળની ચૂંટણીનો પહેલો તબક્કો મહત્વપૂર્ણ સંકેતો લઈને આવ્યો છે. આશરે 90 ટકા સુધી પહોંચેલું મતદાન બતાવે છે કે મતદારો આ વખતે સામાન્ય રીતે નહીં, પરંતુ સ્પષ્ટ મનોભાવ સાથે મતદાન કરવા બહાર આવ્યા છે. આટલું ઊંચું મતદાન હંમેશા કોઈ ઊંડા કારણો તરફ ઈશારો કરે છે.
મતદારોના વર્તનમાં અનેક પરિબળો કામ કરતા દેખાય છે. એક તરફ રાજ્ય સરકાર પ્રત્યેની નારાજગી ચર્ચામાં છે. બીજી તરફ મમતા બેનર્જી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓએ પણ લોકોના મન પર અસર કરી છે. ઘણા વિસ્તારોમાં લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી જોવા મળે છે, ખાસ કરીને પોતાના હક અને ઓળખને લઈને.
ચૂંટણી દરમિયાન હિંસાની ઘટનાઓએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે.. મુર્શિદાબાદ, દિનાજપુર અને પૂર્વી મિદનાપુર જેવા વિસ્તારોમાં અથડામણ અને તણાવના સમાચાર સામે આવ્યા. કેટલીક જગ્યાએ ઊટખ અંગે શંકાઓ પણ ઉઠી. આ બધાની વચ્ચે પણ મતદારો મોટી સંખ્યામાં બહાર આવ્યા, જે દર્શાવે છે કે લોકો પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માંગે છે.
બંગાળના સંદર્ભમાં ગછઈ અને સીમાંકન જેવા મુદ્દાઓ અસરકારક બન્યા.
પશ્ચિમ બંગાળમાં ગછઈનો મુદ્દો માત્ર નીતિ તરીકે નહોતો ચર્ચાયો, પરંતુ સીધો લોકોના જીવન સાથે જોડાઈ ગયો. ખાસ કરીને સરહદી વિસ્તારો અને અલ્પસંખ્યક વિસ્તારોમાં લોકોમાં એવી ભીતિ ઉભી થઈ કે જો દસ્તાવેજો યોગ્ય ન હોય તો પોતાની નાગરિકતા પર પ્રશ્ન ઊભો થઈ શકે. આ ભયે મતદારોને નિષ્ક્રિય રહેવા દીધા નહીં. ઘણા લોકોએ મતદાનને પોતાના અસ્તિત્વ અને અધિકારની રક્ષા તરીકે જોયું, એટલે તેઓ મોટી સંખ્યામાં બહાર આવ્યા.
સીમાંકનનો મુદ્દો પણ બંગાળમાં સંવેદનશીલ રીતે સામે આવ્યો. મતવિસ્તારોની હદોમાં ફેરફાર થવાથી કયા સમુદાયનો પ્રભાવ વધશે કે ઘટશે, તેની ચર્ચા ગરમ રહી. ઘણા મતદારોમાં એવો વિચાર મજબૂત બન્યો કે જો હવે તેઓ સક્રિય નહીં રહે, તો ભવિષ્યમાં તેમનું રાજકીય પ્રતિનિધિત્વ કમજોર થઈ શકે. આ ચિંતાએ પણ મતદાનને પ્રોત્સાહન આપ્યું.
આ બંને મુદ્દાઓ સાથે એક પ્રકારની અનિશ્ચિતતા જોડાઈ ગઈ. લોકોમાં સ્પષ્ટ જવાબ કરતાં વધુ પ્રશ્નો હતા-શું થશે, કોને અસર પડશે, અને કેટલા પ્રમાણમાં થશે. આવી પરિસ્થિતિમાં મતદાન એક પ્રતિક્રિયા બની ગયું. હવે તો મત આપવો જ જોઈએ એવી માનસિકતા ઘણા વિસ્તારોમાં જોવા મળી.
રાજકીય પક્ષોએ પણ આ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પ્રચાર કર્યો. એક તરફ તેને રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યવસ્થાનો મુદ્દો તરીકે રજૂ કરવામાં આવ્યો, તો બીજી તરફ તેને સામાન્ય લોકોના અધિકારો અને ઓળખ માટેનો ખતરો ગણાવ્યો. આ વિરોધાભાસી સંદેશાઓએ મતદારોને વધુ સક્રિય બનાવ્યા. આમ, બંગાળમાં ગછઈ અને સીમાંકન માત્ર ચર્ચાના મુદ્દા ન રહ્યા, પરંતુ મતદારોની માનસિકતા પર સીધી અસર કરનાર પરિબળ બન્યા. ભય, અનિશ્ચિતતા અને પોતાના હકને બચાવવાની લાગણી-આ ત્રણે મળીને એવું વાતાવરણ ઊભું કરે છે કે જેમાં મતદાન સ્વાભાવિક રીતે વધે છે.
આ ચૂંટણી માત્ર રેલીઓ અને સભાઓથી નક્કી થવાની નથી. તેનો નિર્ણય ઘરોમાં, ખાસ કરીને રસોડામાં થતી ચર્ચાઓમાં થઈ રહ્યો છે.

- Advertisement -

રસોડામાંથી નક્કી થશે બંગાળનો ‘નાથ’: મહિલા મતદારો અને ‘લક્ષ્મી ભંડાર’ યોજનાનો જાદુ ચાલશે?

પ્રવાસી મજૂરો અને મૌન મતદારોનો ‘એક્સ-ફેક્ટર’: શું 2011 જેવો ઐતિહાસિક પરિવર્તનનો સંકેત છે?

બંગાળમાં ભાજપ અને દક્ષિણમાં TMCની પકડ: ધ્રુવીકરણના જોરે કોણ ફાવશે?

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટેની યોજનાઓ આ વખતે કેન્દ્રમાં રહી. લક્ષ્મી ભંડાર જેવી યોજનાએ મોટી સંખ્યામાં મહિલાઓને સીધી આર્થિક મદદ આપી છે. નિયમિત મળતી આ રકમ ઘરના ખર્ચમાં એક સ્થિર સહારો બની છે. રસોડાના ખર્ચથી લઈને બાળકોની જરૂરિયાતો સુધી, આ સહાયનો સીધો ઉપયોગ થાય છે.
આથી મહિલાઓમાં આ યોજનાઓ પ્રત્યે વિશ્વાસ અને જોડાણ ઊભું થયું છે. તેઓ હવે માત્ર મતદાર તરીકે નહીં, પરંતુ ઘરના આર્થિક નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવનાર તરીકે વિચારે છે. આવી સ્થિતિમાં મતદાનનો નિર્ણય પણ આ અનુભવ પર આધારિત થવો સ્વાભાવિક છે.
અલબત્ત, આ ચૂંટણીમાં સંદેશખલી અને આર. જી. કરકોલેજની ઘટનાઓને લઈને સુરક્ષાનો મુદ્દો પણ મહિલાઓ માટે એટલો જ મહત્વનો બની ગયો છે. રોજિંદા જીવનમાં નિર્ભયતા અને સન્માન સાથે જીવવાની જરૂરિયાત હવે રાજકીય ચર્ચાનો હિસ્સો બની છે. એક તરફ મહિલાઓ સુધી પહોંચતી યોજનાઓ છે, તો બીજી તરફ વ્યક્તિગત સુરક્ષાનો પ્રશ્ન છે. ઘણા પરિવારોમાં આ બંને મુદ્દાઓ વચ્ચે સંતુલન કેવી રીતે બેસે, તે મતદાનના નિર્ણયમાં મહત્વ ધરાવે છે.
હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ પણ મહત્વપૂર્ણ પરિબળ રહ્યું છે. રાજકીય ચર્ચા અને પ્રચારમાં આ મુદ્દો સતત જોવા મળે છે. ઘણી જગ્યાએ આ ધ્રુવીકરણ સીધું મતદાનના વર્તનમાં અનુવાદિત થતું જોવા મળે છે. એક તરફ કેટલાક મતદારો પોતાની ધાર્મિક અને સામાજિક ઓળખને સુરક્ષિત રાખવા માટે એક ચોક્કસ પક્ષ તરફ વળતા દેખાય છે, તો બીજી તરફ અન્ય સમુદાયો પણ પોતાની એકતા જાળવીને મતદાનમાં ભાગ લેતા હોય છે. પરિણામે, કેટલાક વિસ્તારોમાં મતદાન માત્ર વિકાસ કે સ્થાનિક મુદ્દાઓ સુધી મર્યાદિત રહેતું નથી, પરંતુ ઓળખ, સુરક્ષા અને ભવિષ્ય વિશેની ચિંતાઓ સાથે જોડાઈ જાય છે.
આ ઉપરાંત, ધ્રુવીકરણનો પ્રભાવ ઉમેદવારોની પસંદગી પર પણ પડે છે. પક્ષો એવી ઉમેદવારી આપે છે કે જે ચોક્કસ સમુદાયને સીધું સંબોધે. પ્રચાર દરમિયાન ભાષણો, સૂત્રો અને સ્થાનિક સ્તરે થતા સંવાદોમાં પણ આ વિભાજન સ્પષ્ટ રીતે જોવા મળ્યું. કેટલાક વિસ્તારોમાં આ પરિસ્થિતિએ મતદારોને વધુ સક્રિય બનાવ્યા છે, કારણ કે તેઓ માને છે કે આ ચૂંટણીમાં લેવાયેલો નિર્ણય લાંબા ગાળે તેમની સ્થિતિ નક્કી કરી શકે છે. આ રીતે ધ્રુવીકરણ માત્ર રાજકીય રણનીતિ નહીં, પરંતુ મતદારોની માનસિકતા અને ભાગીદારીને અસર કરતું કેન્દ્રિય પરિબળ બની જાય છે.
રાજકીય સ્તરે મમતા બેનર્જી સરકાર સામે અસંતોષના કેટલાક મુદ્દાઓ ચર્ચામાં છે. સરકારી ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપો અને વહીવટી પ્રશ્નોએ વિશ્વાસને અસર કરી છે. તૃણમૂલ કોંગ્રેસનું મજબૂત સંગઠન હોવા છતાં મતદારોની અંદર રહેલી નારાજગી કેટલો પ્રભાવ પાડશે, તે મહત્વનું રહેશે.
ભૌગોલિક રીતે બંગાળનું રાજકારણ બે અલગ ચિત્રો રજૂ કરે છે. ઉત્તર બંગાળમાં ભાજપની પકડ મજબૂત માનવામાં આવે છે, જ્યારે દક્ષિણ બંગાળ તૃણમૂલ કોંગ્રેસનો આધાર ક્ષેત્ર છે. છતાં, મતવિભાજન, નારાજ મતદારો અને અન્ય પરિબળો અહીં પણ પરિણામોને અસર કરી શકે છે.
આ વખતે મૌન મતદારોનો પ્રભાવ પણ નોંધપાત્ર બની શકે છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં ઘણા મતદારો ખુલ્લેઆમ પોતાના અભિપ્રાય વ્યક્ત કરતા નથી. આથી બહાર દેખાતી ભીડ અને અંદરનો વલણ વચ્ચે તફાવત હોવાની સંભાવના રહે છે.
ચૂંટણીમાં આ પરિબળ પણ અસરકારક નીવડી શકે છે કે ડાબેરી-કોંગ્રેસ ગઠબંધન અને નૌશાદ સિદ્દીકીની પાર્ટી કેટલીક બેઠકો પર અસરકારક બની શકે છે. આ ગઠબંધનનો મુખ્ય આધાર પરંપરાગત ડાબેરી મતદારો અને કોંગ્રેસના સમર્થકો છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં વિખેરાઈ ગયા હતા. હવે આ મતદારો ફરી એકઠા થાય છે કે નહીં, તે મહત્વનું બનશે. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં આ ગઠબંધનનો પ્રભાવ દ્વિધારી બની શકે છે.
નૌશાદ સિદ્દીકીની પાર્ટી ખાસ કરીને યુવા અને અસંતૃષ્ટ મતદારોમાં પ્રભાવ ઉભો કરવાની કોશિશ કરે છે. તેના કારણે પરંપરાગત મતદાન પેટર્નમાં ફેરફાર આવવાની સંભાવના છે. વધુમાં, ડાબેરી-કોંગ્રેસ ગઠબંધન કેટલાક શહેરી અને શિક્ષિત વર્ગોમાં પણ પોતાનું સ્થાન ફરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પ્રવાસી મજૂરોનો મુદ્દો પણ આ ચૂંટણીમાં નોંધપાત્ર છે. બહારના રાજ્યોમાં કામ કરતા હજારો મજૂરો મતદાન માટે પોતાના ગામ પરત આવ્યા છે. તેમની માટે આ માત્ર મતદાન નથી, પરંતુ પોતાના અનુભવ અને સમસ્યાઓ વ્યક્ત કરવાનો અવસર છે. રોજગારી, રેશન અને જીવનની મુશ્કેલીઓ તેમના નિર્ણયને અસર કરી શકે છે, જેના કારણે તેઓનો મત ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ પરિબળ બની શકે છે.
ઐતિહાસિક રીતે જોવામાં આવે તો 2011માં પણ ભારે મતદાન નોંધાયું હતું અને મોટા રાજકીય પરિવર્તન આવ્યા હતા. આ વખતે પણ ઊંચું મતદાન તેવો જ કોઈ સંકેત આપે છે કે નહીં, તે ચર્ચાનો વિષય છે.
ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ બંને પોતાની અલગ અલગ તાકાત પર આધાર રાખી રહ્યા છે. ભાજપ માટે ઉત્તર બંગાળ અને ધ્રુવીકરણ મહત્વના પરિબળ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માટે બૂથ સ્તરનું સંગઠન અને મહિલાઓ સુધી પહોંચેલી યોજનાઓ મહત્વ ધરાવે છે. ભાજપ ખાસ કરીને એવા વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં ઓળખ આધારિત રાજકારણ અને સુરક્ષાના મુદ્દાઓ પ્રભાવિત કરે છે, અને જ્યાં મતદારોમાં પરિવર્તનની ઈચ્છા વધુ દેખાય છે. ઉત્તર બંગાળમાં તેના સંગઠનાત્મક માળખા અને અગાઉના ચૂંટણી પરિણામોના આધારે તે પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ ગામડાંથી લઈને શહેરી વિસ્તારો સુધી પોતાના બૂથ સ્તરના મજબૂત નેટવર્ક પર નિર્ભર છે, જે મતદારો સાથે સીધી અને સતત જોડાણ જાળવી રાખે છે. મહિલાઓ માટેની યોજનાઓ દ્વારા ઊભું થયેલું વિશ્વાસ અને લાભાર્થી વર્ગ સાથેનો સીધો સંબંધ તેને એક મજબૂત સામાજિક આધાર આપે છે.
આ ઉપરાંત, બંને પક્ષો માટે મૌન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોનો પ્રભાવ પણ નિર્ણાયક બની શકે છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં ઘણા મતદારો ખુલ્લેઆમ પોતાના અભિપ્રાય વ્યક્ત કરતા નથી. આથી બહાર દેખાતી ભીડ અને અંદરનો વલણ વચ્ચે તફાવત હોવાની સંભાવના રહે છે. જ્યાં ભાજપ પોતાના સંદેશાઓ દ્વારા નવા મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, ત્યાં તૃણમૂલ કોંગ્રેસ પોતાના પરંપરાગત મતબેંકને જાળવી રાખવા સાથે નવી પેઢી સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આ રીતે બંને પક્ષોની રણનીતિ અલગ હોવા છતાં એકબીજાને સીધી ટક્કર આપે છે, અને અંતે કઈ રણનીતિ વધુ અસરકારક સાબિત થાય છે તે પરિણામોમાં સ્પષ્ટ થશે.

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈ-કોમર્સ અને ટેલી-શોપિંગના જમાનામાં ગ્રાહકોને ભ્રમિત કરતી જાહેરાતો સામે કાયદાકીય રક્ષણ
Next Article ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ બંધ થતા ખેડૂતોને જણસી વેંચાણ માટે 30 કિમીના ધક્કા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?