કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
એક પૈરાણિક કથા છે. ગણેજીને એકવાર અનલાસુર નામનાં દૈત્ય સાથે યુધ્ધ થયુ અને ગણેશજી એને ગળી ગયા. આને કારણે એમને ખૂબ દાહ ઉત્પન્ન થયો.. કેમકે આ દાનવ ખૂબ અગ્નિ તત્વ પ્રભાવી હતો.
- Advertisement -
આ દાહ શમન કરવા ગણેશજીને ઠંડા પાણીનો અભિષેક કરવામાં આવ્યો ચંદનનો લેપ કરવામાં આવ્યો, મસ્તકે ચંદ્રમા મૂકવામાં આવ્યા. પણ ગણેશજીને થતો દાહ શાંત થયો નહિ. છેવટે એમને એકવીસ દૂર્વાના કૂણાં અંકુર
આપવામાં આવ્યા.. અને ચમત્કાર થયો. એમનો દાહ શાંત થયો. આથી, શ્રીગણેશજીની પૂજામાં દૂર્વા નામનાં ઘાસનું મહત્વ ગણાય છે.
પૌરાણિક વાર્તાઓ ચમત્કારિક હોય છે એટલે ઘણા મૂર્ખ એને મિથક કહે છે પરંતુ મિથક પાછળની સમજણને પામવાથી વંચિત રહે છે.
દુર્વા એક સામાન્ય, જાતે ઉગી નીકળતુ ઘાસ છે પણ એમ છતાં આપણે ત્યાં એને બહુ ઊંચું સ્થાન અને મહત્વ અપાયું છે.
- Advertisement -
કુશ નામનાં એક અણિયાળા પાતળા ઘાસને પણ અત્યંત પવિત્ર ગણાય છે. કુશમ લાતિ ઇતિ કુશલ.. અર્થા કુશળ એ છે કે જે કુશ (નામનાં ઘાસને) તોડી લાવે છે. કુશલ એટલે સ્કિલ્ડ. કુશ નામનાં ઘાસને તોડીને સાચવી શકે એને
ચપળ, કૌશલ્ય વાળો માણસ એટલે કે કુશળ કહેવાય.
ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનું મૂળ નામ કુશસ્થળી હતું. એટલે કે જયા કુશ નામનું ઘાસ ખૂબ ઉગે છે તે સ્થળ.
આવી કુશ અને દૂર્વા જેવી, જાતે જાતે, કોઈ પ્રયાસ વિના ઉગી નીકળતી અને વળી જીવી જાણતી વનસ્પતિને ગુજરાતીમાં બહુ ખરાબ નામ અપાયું છે : નિંદામણ !!
એટલે કે એવી વનસ્પતિ કે જે નિંદાને/નિંદવાને પાત્ર છે !!
બોલો કેવો અન્યાય !! વરસાદ આવે અને આખી ધરતી લીલી ચાદર ઓઢી લે છે તે લીલી ચાદર આવા “નીંદણ” ની તો બનેલી હોય છે…ધરતીને આટલી સુંદર લીલી ચૂંદડી ઓઢાડવા વાળી વનસ્પતિઓને તમે નીંદણ કહેશો??
હિન્દીમાં આવી વનસ્પતિઓ માટે બહુ જ સુંદર મજાનો અને અર્થસભર શબ્દ છે : ખરપતવાર.. કેટલું અર્થસભર નામ છે ! ખર એટલે ક્ષાર, પત્ત એટલે પાંદડા અને વાર એટલે વાળી.. અર્થાત્, ક્ષાર વાળા પાંદડા વાળી વનસ્પતિ.
પાલક, તાંદળજો, લુણી, પોઈ, ડોડી/ખરખોડી, મેથી બધી ભાજીઓ ખરેખર ખરપતવાર એટલે કે નીંદણ મુંબ છે.. આ ભાજીઓ કે એના છોડ, વેલાં ને ઉગાડવા નથી પડતાં.. એ જાતે ઉગી જતા.. એની ખેતી તો હવે થાય છે.
અશ્વગંધા હોય કે પુનર્નવા હોય, બેયના નામ અને -કામ બેય ભારેખમ છે . આ બેય ખરેખર અડબાઉ વનસ્પતિ છે. આયુર્વેદમાં મોટાભાગની ઔષધીય વનસ્પતિ આવી જ છે. ડોડી નામની વેલ થાય એના ફળ ને દરેક આયુર્વેદિક
ગ્રંથમાં શ્રેષ્ઠ શાક ગણવામાં આવ્યું છે.આ ડોડી ખરેખર તો ખેતર વાડીને શેઢે જાતે ઉગી નીકળતી વેલ છે.. ડોડી ખાય એને કદી આંખના રોગ કે ચશ્મા આવે નહિ તે પાકું છે. નવજાત બાળકની માતાને દૂધ ના આવતું હોય તો
ડોડી એકમાત્ર એવી વેલ છે જેનું શાક ખાવાથી દૂધ બને છે. દૂધ વધારવાની એકેય દવા નથી. ડોડી રામબાણ “સપ્લીમેન્ટ” છે. મુંબઈની એક ફાર્મસી સો વર્ષથી માત્ર ડોડી ની ટેબ્લેટ બનાવે છે. જે માતાઓમાં ધાવણ વધારે છે..
આ તો એક ડોડીનો મહિમા થયો! અશ્વગંધા, પુનર્નવા, દૂર્વા, ભાંગરો, અધેડો, હરવિ ગોખરુ, બલા, અતિ બલા, પાણ કંદ જેવી તમામ, હાજી તમામ, વનસ્પતિઓ અડબાઉ છે…છતાં એના ગુણ સર્વોચ્ચ છે.
આયુર્વેદમાં ભાગ્યે જ એવી વનસ્પતિઓ ઔષધ તરીકે છે જે ખેતી કરવામાં આવતી હોય. સ્વાર્થી માણસજાતે જંગલી વનસ્પતિ ની ખેતી કરવાનું શરૂ કર્યું પછી એનામાં સ્વાદ અને ઉત્પાદન વધારવા સતત બ્રિડિંગ કર્યું. પણ એને
કારણે આ ચીજોના ઔષધીય ગુણ નાશ થયા. જ્યારે જાતે ઉગી નીકળતી વનસ્પતિઓમાં એ ઔષધીય ગુણ અકબંધ રહ્યા. નોર્થ ઈસ્ટ ના લોકો પચાસ સાઈઠ વર્ષની ઉંમરે એકદમ યુવાન દેખાય, વાળ કાળા, પેટ અંદર અને
એકદમ સ્વસ્થ હોય એનું કારણ એમને પૂછશો તો કહેશે 17 કે ત્યાં ઉગતી અનેક અનેક ભાજીઓ ખાઈને તેઓ એવા ।। તાજામાજા રહે છે.. (નોર્થ ઈસ્ટ માં પણ અનેક શાકાહારી -ર જાતિઓ છે તે જાણ ખાતર) . આપણા પંચમહાલ
કે 21 અરવલ્લી ના આદિવાસી ભાઈ બહેનોને ક્યારેય ચશ્મા નથી આવતા. એનું કારણ છે એમના ખોરાકમાં આ વિધ વિધ નો ભાજીઓનો સમાવેશ જેને આપણે નીંદણ કે ખરપત્વાર કે વિડ ગણીને નાશ કરી નાખીએ. સૌરાષ્ટ્રમાં
બાબરિયાધાર, બરડા અને નાઘેર (મૂળ શબ્દ નાગર) પંથકમાં આજે ય અનેક પ્રકારની ભાજીઓ ખાવાનું ચલણ છે અને એ એમના દેહ સૌષ્ટવમાં દેખાય છે.હજી ત્યાં અમદાવાદ મુંબઈની જેમ ગોળીઓ ગળવાના ચલણ શરૂ થયા
નથી..
વિકસિત દેશોમાં તો આજે ફરી લોકો વીડ એટલે કે આ અડબાઉ ગણાતી વનસ્પતિઓ ને ઉગાડતા થયા છે. આ વીડ ઉપર કેટલા બધા કીટક નભતા હોય એ મૂર્ખ માણસજાતને હજી ખબર નથી. આ અડબાઉ કે નીંદણ કે
ખરપતવાર ઉપર નભતા જીવ અનેક ઉપદ્રવી કીટકો અને મચ્છર ને દુર રાખે છે.
ઘરમાં મની વેલ કે પરદેશી કેક્ટસ ઉગાડીને ઉતેજીત થતા લોકોને આ અડબાઉ કહેવાતા છોડ વેલા ની સુંદરતા બતાવવા લેખ સાથે અમુક ફોટા જોડેલા છે… સોરઠ અને નાઘેર પ્રાંતના ગામોમાં આજે ય કુશળ ખેડૂત ભાઈઓ
આવી વનસ્પતિઓની જીવંત વાડ બનાવે છે!! શૂરવીર કોમ કારડીયા રાજપુતો ના ખેતરમાં આજે પણ તમને આવી વાડ મળી જાય. બાકી આખા ગુજરાતમાં હવે ઝટકા (વિધુત શોક) લાગે એવા ફેંસિંગ કરવાનો ચીલો પડયો છે !!
ખેત ઉત્પાદન વધારવાના પ્રયાસ રૂપે આપણે ત્યાં હવે હરબિસાઈડ નામનાં ભયાનક ઝેરના ઉપયોગ શરૂ થયા છે.
વિયેતનામ યુદ્ધ વખતે અમેરિકાએ એજન્ટ ઓરેન્જ નામનાં એક રસાયણનો ઉપયોગ કરેલો એ યાદ છે? આ એજન્ટ ઑરેંજ બીજું કશું નહિ પણ હરબિસાઇડ હતું!! કેટલું ખતરનાક રસાયણ હશે કે એની અસરથી આજે પણ
વિયેતનામમાં વિકૃત શરીર ધરાવતા બાળકો જનમે છે જેને એક હાથ ના હોય, કમરથી પગ નીકળતો હોય અને એવી તો અનેક વિકૃતિઓ!! વિયેતનામ ના ગાઢ જંગલ ને બાળી ને એમાં છુપાયેલા વીયેટકોંગ નામનાં ગેરિલા
યૌદ્ધાઓને હેલિકોપ્ટર અને વિમાની હુમલાથી મારી નાખવા અમેરિકાએ એજન્ટ ઓરેંજ વાપરેલું!
આવા અનેક હરબી સાઈડ બહુ ડેન્જર છે છતાં બેરોકટોક વપરાય છે.. ધરતીને વાંઝણી કરવામાં આ ઝેરી રસાયણોનો મોટો ફાળો છે. .
વૃક્ષ વાવો કે ના વાવો, કદી આવા જાતે ઉગી નીકળતા છોડ વેલ ને તોડશો કે નિંદશો નહિ.. આ નાના નાના છોડવા તો ધરતી માતાની લીલી ચાદરના તાણાવાણા છે !!




