હત્યારાને સાથે રાખી મૃતકના ઘર પાસે પંચનામું કર્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
મજેવડીના યુવકના હત્યા કેસમાં આરોપીઓને પોલીસે ગામમાં લઈ જઈને ઘટનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. જૂનાગઢ નજીકના મજેવડી ગામના રિયાઝ અલારખાભાઈ ભટ્ટી નામના યુવકની હત્યા કરનારા મજેવડીનો સદામ કાસમ, સમીર સલીમ ઉર્ફે ચકો મહમદ અને જામકંડોરણા તાલુકાના ખાટલી મનીષ ઉર્ફે ભોથીયો ખોડા પરમારને ઝડપી લઈ આરોપીઓનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાયું હતું.
જયારે તપાસનીશ તાલુકા પીઆઇ આર. પી. વણઝારા, પીએસઆઇ ડી. કે. સરવૈયા, એસ. કે. ડામોર, જે. એ. ટાંક ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામમાં લઈને પહોંચ્યા હતા અને યુવકની હત્યાને કઈ રીતે અંજામ આપ્યો તે અંગે આરોપીઓ પાસે રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. તેમજ ત્રણેય આરોપીને રૂટ પર, મૃતક યુવક રિયાઝના ઘર સુધી પગપાળા લઈ જવામાં આવ્યા હતા. પોલીસે પંચનામુ સહિતની કાર્યવાહી કરી હતી. દરમિયાન સાંજે રિમાન્ડ પુરા થતા ત્રણેય હત્યારાને કોર્ટમાં રજૂ કરી જૂનાગઢ જીલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.