By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    57 minutes ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    22 minutes ago
    અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
    1 hour ago
    ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
    1 hour ago
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    23 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 hour ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    23 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સજાની મજા અને મજાની સજા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સજાની મજા અને મજાની સજા
Author

સજાની મજા અને મજાની સજા

Khaskhabar Editor
Last updated: 2024/12/07 at 4:03 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

કાર્તિક મહેતા

મહાભારતના વનપર્વમાં એક સુંદર કથા આવે છે જે યક્ષ યુધિષ્ઠિર સંવાદ તરીકે પણ જાણીતી છે. એક વાર પાંડવો એક પછી એક પાણી ભરવા જાય છે પણ તળાવનું પાણી પીને મૃત્યુ પામેં છે. છેવટે સહુથી મોટા ભાઈ યુધિષ્ઠિર જાય છે અને તે જુએ છે કે એના ભાઈઓ તો મૃત્યુ પામ્યા છે ત્યાં તળાવમાંથી એક યક્ષ પ્રગટ થાય છે અને યુધિષ્ઠિર ને કહે છે કે જો યુધિષ્ઠિર એના પ્રશ્નોના સાચા સંતોષકારક ઉત્તર આપશે તો યક્ષ બધા પાંડવોને સજીવન કરી દેશે. યુધિષ્ઠિર તૈયાર થાય છે અને યક્ષ એને લગભગ સવાસો જેટલા પ્રશ્નો પૂછે છે , યુધિષ્ઠિર તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપે છે જેનાથી પ્રસન્ન થઈને યક્ષ તમામ પાંડવોને સજીવન કરી દે છે. આ સંવાદમાં એક પ્રશ્ન યક્ષ યુધિષ્ઠિર ને પૂછે છે કે સંસારનું સહુથી મોટું અચરજ શું છે?? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે કે સંસારમાં સર્વ જીવો નાશવંત છે છતાં બધા જાણે હમેશા જીવવાના હોય એ રીતે જીવે છે તે સંસારનું સહુથી મોટું અચરજ છે. યક્ષ એનો જવાબ સાંભળીને પ્રસન્ન થાય છે. યુધિષ્ઠિરની વાત ઊંડી છે. મૃત્યુ નક્કી છે, આસપાસ સતત વિનાશલીલા ચાલતી રહે છે , રોગો દુ:ખો તકલીફો છતાં માણસો જીવનમાંથી નિરાસક્ત થતા નથી, ઉલટાનું ખુબ મજાથી જીવન જીવ્યા કરે છે જાણે એમને અહીંયા સદાકાળ રહેવાનું હોય. આવું કેમ થાય છે એની ચોખવટ યુધિષ્ઠિરે નથી કરી પણ આપણે કરીએ. માણસો જીવનના મૂળ સ્વભાવ એવા વિનાશ, દુ:ખો, તક્લીફ વગેરેને જાણતા હોવા છતાં આનંદમાં રહે છે , આસક્ત રહે છે, લગ્નો કરે છે , બાળકો પેદા કરે છે,– એનું કારણ એના શરીરમાં સ્ત્રવતા હોર્મોન્સ છે. આમ તો હોર્મોન અતિ જટિલ વિષય છે એટલે સરળ ભાષામાં સમજાવવો અઘરું કામ છે.

- Advertisement -

છતાં શક્ય એટલું સરળીકરણ કરીને સમજવા પ્રયાસ કરીએ. માણસના મનના ભાવો હોર્મોન દ્વારા ક્ધટ્રોલ થાય છે. ગુસ્સો, દુ:ખ, પ્રેમ, પીડા, ચિંતા, સેક્સ વગેરે બધું સંજોગો આધારિત ઓટોમેટિકલી સ્ત્રાવ કરતા હોર્મોનને કાર્નેર માણસ અનુભવે છે. આમાંથી આનંદ દેતો એક હોર્મોન છે ડોપામીન (અથવા ડોપામાઈન). આ હોર્મોનને હેપીનેસ હોર્મોન પણ કહેવાય છે. સેક્સ સમયે, રમત ગમતથી , કોઈ લક્ષ્યને મહેનતથી પ્રાપ્ત કરીને કે કોઈ દેવદર્શન કરીને જે આનંદનો અનુભવ થાય એની પાછળ આમ તો અનેક હોર્મોનનું સંકુલ કામ હોય છે પરંતુ ડોપામાઈન હોર્મોન એમાં ઘણો મોટોભાગ ભજવે છે. આથી ડોપામાઇનને આનંદ દાયક / હેપીનેસ હોર્મોન કહેવાય છે. માણસના શરીરની રચના એવી થયેલી છે કે માણસ જેમ પીડા, દુ:ખો, શ્રમ સહન કરે અને એના પછી એને કાંઈ સુખ કે લક્ષ્ય પ્રાપ્તિ થાય તો એને અતિ આન્સ્ડ મળે છે. આમ ડોપામાઈનનો સ્વભાવ કડક બોસ જેવો છે. તમે કામ કરો એટલો આનંદ મળે. જેટલો લાંબો સમય સેક્સ ક્રીડા ચાલે એટલી વધારે “મજા” આવે (એટલે કોન્ડોમ કંપનીઓ કોન્ડોમ અંદર એવા રસાયણો લગાડે છે જેથી સ્ખ્લનમાં ખુબ સમય લાગે અને તેઓ આ વાતની જાહેરાત પણ કરે છે, પણ પેકેટ ઉપર ઝીણા અક્ષરે લખે પણ છે કે આનો લાંબા ગાળાનો સતત ઉપયોગ હિતાવહ નથી). કોઈ ચેલેંજિંગ કામ પછી જે મજા આવે તે શબ્દોમાં વર્ણવી શકાય નહિ. કોઈએવું એવું કામ જેમાં સખ્ત મહેનત કરવી પડતી હોય જેમકે દોડવું કુદકા મારવા વ્યાયામ વગેરે કર્યા બાદ પણ આનંદ દાયક હોર્મોન સ્ત્રાવ કરે છે. ટૂંકમાં ડોપામાઈન ઝરવા માટે જરૂરી છે કે માણસ કષ્ટ સહન કરે, શ્રમ કરે.

આથી ધર્મોમાં દેહ દમન ઉપર બહુ ભાર મુકવામાં આવે છે. જેથી આત્મિક આનંદ માણસને સતત મળતો રહે. રસો વૈસ: અર્થાત તે(ઈશ્વર) રસ સ્વરૂપ છે તેવું ઉપનિષદ વાક્ય છે તે રસ એટલે આ રસ જે સતત દેહને માપસર કષ્ટ આપવાથી , એના ઉપર કાબુ કરવાથી મળતો રહે. તીખો સ્વાદ પણ ખરેખર સ્વાદ નથી એવું વિજ્ઞાન કહે છે. તીખું ખરેખર શરીરને અપાતી પીડા છે. આથી મરચાને ચામડી ઉપર મુકો તો પણ બળે છે , સાકરને ચામડી ઉપર મુકો તો ચામડીને તે ગળી લાગતી નથી. મહાત્મા તોલ્સટોય લખે છે કે એ જયારે સહુથી સુખી લોકોની ખોજમાં નીકળયા ત્યારે એમણે જોયું કે સહુથી સુખી લોકો ખેડૂતો અને કારીગરો હતા જે પોતાન પરિવાર સહીત સતત કામમાં , શ્રમમાં વ્યસ્ત રહેતા. તેઓ હમેશા સ્વસ્થ રહેતા, એમને કશી ફરિયાદ નહોતી અને તે હમેશા લાંબુ નિરોગી જીવન જીવીને અનેક બાળકો પણ સરળતાથી પેદા કરી શકતા. સહુથી દુ:ખી લોકો શ્રીમંત અને નશાખોરો હતા જેમને સતત ફરિયાદો હતી, સતત દુ:ખ અને રોગ હતા. માણસે ડોપામીન કાઢવા માટે આડા રસ્તા શોધી કાઢયા છે. દારૂ, ડ્રગ, પોર્ન, ટીવી, જુગાર, ફિલ્મો અને જન્કફૂડ વગેરે નું સેવન પણ ડોપામાઈન પેદા કરે છે, પરંતુ આ ડોપામીન ઇઝી ડોપામીન છે , એની માટે મહેનત નથી લાગતી. આથી આનું વ્યસન થઇ જાય છે, કશું કર્યા વિના બસ આનંદ આવતો રહે તો માણસને બીજું જોઈએ શું? આથી દારૂ ડ્રગ ટીવી સોશિયલ નેટવર્ક પોર્ન વગેરેના વ્યસની લોકો સમાજમાં જોવા મળે છે.. રમતોને ટીવી ઉપર જોવાથી પણ ડોપામીન ઝરે છે. પણ આદર્શ રીતે તો રમતો મેદાન ઉપર રમવી જોઈએ. રમતો જોવાની નહીં રમવાની વસ્તુ છે. જાણીતા વિચાર કાફ્કા એવા મતલબનું કહેતા કે બારીમાંથી લોકોની ચહલ પહલ જોવાની મજા માણસના જીવનની કરુણતા છે. ટીવી અને ફિલ્મો અને હવે તો યુટ્યુબ ઇન્સ્તા વગેરેએ આપણને સહુને આ “બારી-ઝાંખું” બનાવી દીધા છે. આ બેઠા બેઠા જે ડોપામાઇન ઝરે એને કારણે માણસ ધીમે ધીમે દુ:ખી =થતો જાય છે. એને હવે વધુને વધુ ડોપામાઈનની જરૂર પડે છે છેવટે ડોપામાઈન ખલાસ થઇ જાય છે અને માણસ નિરાશ હતાશ રોગી. મનોરોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યં છે અને હજી તો ઓર વધવાનું છે. શતાયુ વંદના નામની પુસ્તિકા સૃષ્ટિ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પડેલી જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના શતાયુ લોકોના ઇન્ટરવ્યૂ હતા. તમામ શતાયુ લકોમાં એક વાત સામાન્ય હતી કે સહુએ એમના જીવનમાં ખુબ હાડમારી, દુ:ખ ,કષ્ટ અને અભાવ વેઠેલા હતા. પીડા, કષ્ટ, દુ:ખ જ સુખનો દરવાજો છે. સજા એજ ખરી મજા છે અને મજા ખરેખર સજા છે.

You Might Also Like

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

TAGGED: Mahabharata story
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મની લોન્ડરિંગ વર્જ્ય છે
Next Article દુનિયાના 10 સૌથી તીખા મરચાંમાં કેરોલિના રિપેર પ્રથમ ક્રમે આવે છે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?