જૂનાગઢ નરસિંહ સરોવરની કામગીરીની મુલાકાત લેતા મનપા પદાધિકારીઓ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલિકા મેયર ગીતાબેન પરમાર તથા સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા દ્વારા નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્ટની ચાલુ કામગીરી દરમ્યાન સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું હાલ નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્ટની કામગીરી ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના આપતા મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા આપવામાં આવી હતી.
જુનાગઢ મહાનગરપાલીકાના મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર તથા સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા દ્વારા જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્ટની ચાલુ કામગીરી દરમ્યાન લગત એજન્સી મે. દેવર્ષ ક્ધસ્ટ્રક્શન કંપની-ગાંધીનગરને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરેલ,જેમાં તળાવના ફેઈઝ-1 હેઠળ ડેવલોપમેન્ટ કરવાના થતાં પ્રોજેક્ટ કોમ્પોનેન્ટ જેવા કે, આઈલેન્ડ, સલોપ્ડ એમ્બેકમેન્ટ, વોક-વે, એક્સેસ ઘાટ, વ્યૂઈંગ ડેક, ઈલેક્ટ્રીકલ લાઈટ પોલ, ઇનલેટ તથા આઉટલેટ સ્ટ્રક્ચર, ટોઇલેટ બ્લોક, ગ્રિલ વિગેરે સ્થળો પર રૂબરૂ નિરીક્ષણ કરેલ જેમાં હાલ તળાવ માં આશરે 250 જેટલા માણસો, 4 હિટાચી, 8 જે.સી.બી , 8 ટ્રેકટર તથા 8 ટ્રક હાલ કાર્યરત છે હાલ તળાવની ફેઈઝ-1 ની કામગીરી ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ હતી અને ચોમાસાની ઋતુમાં સરોવરમાં પાણી ભરાઈ તેવી તાકીદ કરી હતી જયારે છેલ્લા એક વર્ષથી નરસિંહ સરોવર ખાલી રહેતા સરોવર આસપાસના અનેક વિસ્તારોમાં પાણીના તળ ઊંડા ઉતરી જતા લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે ત્યારે હાલ જે સરોવરની કામીગીરી ચાલી રહી છે તેમાં ઝડપથી પૂર્ણ થાય અને વરસાદી પાણી ભરાઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે.