By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    16 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    13 hours ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    14 hours ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    14 hours ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    14 hours ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રી: માત્ર ઉત્સવ નહીં, આત્મા શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નવરાત્રી: માત્ર ઉત્સવ નહીં, આત્મા શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ
Author

નવરાત્રી: માત્ર ઉત્સવ નહીં, આત્મા શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ

Khaskhabar Editor
Last updated: 2025/09/27 at 4:20 PM
Khaskhabar Editor 7 months ago
Share
6 Min Read
SHARE

રેખા પટેલ-ડેલાવર

આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. મા દુર્ગા દુષ્ટતા પર વિજય અને સદગુણોના પ્રતિક છે. આ દિવસોમાં મન અને શરીરને શુદ્ધ કરવા માટે વ્રત, ઉપવાસ, અખંડ જ્યોત, જપ, પાઠ અને ભક્તિ કરવામાં આવે છે.

- Advertisement -

નવરાત્રીનાં આ દિવસો માત્ર ચણિયાચોળી પહેરી સજીધજીને ગરબાની રમઝટ બોલાવવા પુરતા જ મહત્વના નથી. આ માત્ર ઉત્સવ જ નથી, પરંતુ અંતરાત્માના સંસ્કારને ઉજાગર કરવાનો અવસર છે.
નવરાત્રીમાં આધ્યાત્મિક શુદ્ધિ અલગ અલગ રીતે થાય છે. દેવીના નામનું સ્મરણ નકારાત્મકતા દુર કરે છે. દેવીની સ્તુતિ અને તેના ઉચ્ચારોમાં અલગ ઉર્જા હોય છે. જેમ એક દીવો માત્ર પ્રકાશ પાથરે છે તેમ હકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. કુટુંબ ભાવના પછી સદભાવના, પ્રેમ, દાન અને બીજાઓને સહાય કરવું એ આપણા તહેવારોનું મુખ્ય હાર્દ છે.
દેવી શક્તિની આરાધનાનો પવિત્ર તહેવાર. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ આનંદ, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાય છે. નવરાત્રીના દિવસોમાં ઉપવાસ, જપ, પાઠ અને ધ્યાન દ્વારા મનુષ્ય પોતાનું શરીર, મન અને આત્મા ત્રણેને શુદ્ધ કરી શકે છે. ઉપવાસ શરીરને હલકું બનાવે છે, મંત્રજપ મનને એકાગ્ર કરે છે. દેવી ભક્તો આ દિવસોમાં આરાધના કરી આત્માને ઊંચા ચેતનાસ્થરે પહોંચાડે છે. આ નવ દિવસો માનવીને પોતાના અંદર ઝાંખી કરવાનો મોકો આપે છે – પોતાના દુર્ગુણોને ઓળખી તેને દૂર કરવાનો અને સદગુણોને જીવનમાં સ્થાપિત કરવાનો સમય છે.
દેવીના નવ સ્વરૂપોની ઉપાસનાથી મનુષ્ય પોતાના અંદરના નવ પ્રકારના શક્તિ-ગુણોને જગાડે છે – શૌર્ય, દયા, ક્ષમા, જ્ઞાન, ભક્તિ, શાંતિ, સમર્પણ, સદભાવ અને નિડરતા. આ ગુણો જીવનને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે.
અંતમાં, નવરાત્રી આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર દીવો પ્રગટાવવી કે ગરબા રમવામાં નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવા, દુર્ગુણોને દૂર કરવા અને સદગુણોને અપનાવવા માં છે. જો આપણે આ આચાર-વિચારને જીવનમાં ઉતારી લઈએ, તો નવરાત્રી ખરેખર આત્માની શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ બની શકે છે.
નવરાત્રી દરમિયાન સેવા, દાન અને સહકાર જેવા કાર્યો કરવાથી હૃદયમાં કરુણા અને પ્રેમ વધે છે. સમાજ સાથે ભક્તિપૂર્વક ગરબા અને ડાંડીયામાં જોડાવાથી એકતા અને સમરસતા અનુભવાય છે. આ એકતા અને સકારાત્મકતા આપણું આંતરિક બળ વધારે છે.
ભારતમાં તો નવરાત્રીનો ઉત્સવ સૌ કોઈને જાણીતા છે, પરંતુ પરદેશમાં રહેતાં આપણે માટે આ તહેવારનું મહત્વ અલગ જ છે. અહીં નવરાત્રી માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક તહેવાર નથી, પરંતુ પરદેશમાં રહીને દેશ સાથે જોડાઈ રહેવાનો પુલ બની જાય છે.
પરદેશમાં રહેતા લોકો રોજિંદા જીવનમાં વ્યસ્ત હોય છે. એક સાથે રોજ અલગ-અલગ ભાષા, સંસ્કૃતિ અને પરિસ્થિતિઓમાં જીવતા હોય છે. નવરાત્રી માત્ર આનંદનો ઉત્સવ નથી, તે આપણામાં એકતા, ભક્તિ અને શક્તિનો સંદેશ લાવે છે. પરદેશમાં રહેતા બધા ભારતીયો ભાષા કે પ્રાંતના ભેદ વગર એક મંચ પર ભેગા થાય છે. સૌ સાથે ભેગા મળી સમય પ્રમાણે નવ દિવસ રોજ કે વિકેન્ડ ગરબા મહોત્સવમાં જોડાઈને સંસ્કૃતિ માતાની આરાધના કરતા હોય છે. એ ક્ષણે અનુભવ થાય છે કે આપણે આપણા વતનથી દૂર હોવા છતાં પણ આપણું હૃદય ભારતીય છે.
આ તહેવારથી નવી પેઢીને સંસ્કાર મળે છે. પરદેશમાં જન્મેલા બાળકો, નવરાત્રી દ્વારા દેવી માતાની ભક્તિ, ભજન, નૃત્ય અને પરંપરા શીખે છે. તેઓ સમજે છે કે પોતાની ઓળખ અને મૂળ ક્યાં છે.
જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં બધેજ ગુજરાત બની જાય છે. ખાણીપીણી હોય કે પછી પહેરવેશ અને ફેસ્ટીવલ ની વાત હોય બધેજ ગુજરાતની છાપ અમીટ મળી રહે છે. ગરબાના સ્થળે પાપડીનો લોટ, સમોષા, ચાટ, ચાય કોફીના સ્ટોલ મુકાતા હોય છે.
વિકેન્ડ માં બધાજ કામને બાજુ ઉપર રાખીને ગરબાના શોખીન નવરાત્રીની તૈયારીઓમાં લાગી જાય છે. નવરાત્રીના મહિના પહેલા ઇન્ડીયાથી ખ્યાતનામ ગરબા ગાયકોને અહી આવી પહોચે છે. ખાસ પછી નવરાત્રીના નવ દિવસો માટે તેમનું બુકિંગ ગુજરાત ખાતે હોય છે. આના કારણે પરદેશમાં વહેલી નવરાત્રી શરુ થઇ જતી હોય છે. તેમની પ્રાચીન અર્વાચીન ગરવાની ધૂન ઉપર ખેલૈયાઓ તેમનો ગરબા શોખ પૂરો કરી લેતા હોય છે.
સંગીત ઉપર ધૂમતા ગુજરાતીઓ સાથે નોન ગુજરાતીઓ પણ એ રીતે ઝૂમતા જોવા મળે છે. ગરબાનાં શબ્દો સાથે તાલ મિલાવતા યુવાનોને જોઈ કોઈ કહી શકે નહિ કે આમાં થી કેટલાકે તો ગુજરાત કે દેશ જોયો પણ નથી. અમેરિકન બોર્ન ગુજરાતી બાળકોમાં નવરાત્રી ખુબ માનીતો તહેવાર છે. ભલે ગુજરાતી બોલતાં નથી આવડતું પણ ગરબા તો ગુજરાતી શબ્દોના તાલેજ ગાવા તેમને ગમતા હોય છે.
સાથે જ, નવરાત્રી દ્વારા આપણે ભારતની છબી દુનિયા સમક્ષ રજૂ કરીએ છીએ. નાના મોટા લગભગ દરેક શહેરોમાં ભારતીય તહેવારોની પ્રતિનિધિ સમાન નવરાત્રી ઉલ્લાસ ભેર એક બે કે ચાર દિવસ નહિ પણ નવ દિવસ સુધી ઉજવાય છે. વિદેશીઓ પણ આપણા ગરબા, ડાંડીયા અને ભક્તિપૂર્ણ ઉજવણી જોઈને ભારતની સંસ્કૃતિને અનુભવે છે પ્રશંસા કરે છે. ગરબામાં ચણીયા ચોળી પહેરી ભારતીય મિત્રો સાથે ઘૂમતા જોવા મળે છે ત્યારે છૂપો ગર્વ પણ અનુભવાય છે.
કોઈ પણ તહેવાર હોય પરંતુ એ દેશની સંસ્કૃતિનું પ્રતિભાવ આપતો હોય છે. તેનું ગૌરવ સચવાય તે રીતે તેની ઉજવણી થવી જોઈએ. આવા પવિત્ર તહેવાર દુષિત નાં થાય તે જોવાની પણ ફરજ ખરી.

You Might Also Like

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે

TAGGED: navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણી ઇચ્છા મુજબ થાય તો હરિકૃપા; અને ઇચ્છા મુજબ ન થાય ત્યારે હરિઇચ્છા
Next Article જય જય જગ જનની દેવી…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

અમેરિકા હાર્યું! ખરેખર ?

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?