By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ: આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે બે લાખ લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવર બંધ થતાં દેશવ્યાપી હડતાલ
    17 hours ago
    હવે મોરક્કોમાં ‘નેપાળવાળી’: 160 કાર ફુંકાઇ, 263 પોલીસ ઘાયલ
    2 days ago
    ચીનમાં ખુલ્યો વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ, મુસાફરીનો સમય બે કલાકથી ઘટાડીને માત્ર બે મિનિટ કર્યો
    3 days ago
    ટ્રમ્પ અને કોંગ્રેસ ફંડિંગ ડીલ સુધી પહોંચવામાં નિષ્ફળ, યુએસ સરકારમાં શટડાઉનની સ્થિતિ
    3 days ago
    ફિલિપાઈન્સમાં પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69, 100થી વધુ ઘાયલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા
    14 hours ago
    ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન
    17 hours ago
    ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત
    2 days ago
    રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
    2 days ago
    એલર્ટ: 75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
    રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર: પીએમ મોદીએ એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમની રોમાંચક જીત પર અભિનંદન આપ્યા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    7 days ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    3 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રી: માત્ર ઉત્સવ નહીં, આત્મા શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નવરાત્રી: માત્ર ઉત્સવ નહીં, આત્મા શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ
Author

નવરાત્રી: માત્ર ઉત્સવ નહીં, આત્મા શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ

Khaskhabar Editor
Last updated: 2025/09/27 at 4:20 PM
Khaskhabar Editor 7 days ago
Share
6 Min Read
SHARE

રેખા પટેલ-ડેલાવર

આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. મા દુર્ગા દુષ્ટતા પર વિજય અને સદગુણોના પ્રતિક છે. આ દિવસોમાં મન અને શરીરને શુદ્ધ કરવા માટે વ્રત, ઉપવાસ, અખંડ જ્યોત, જપ, પાઠ અને ભક્તિ કરવામાં આવે છે.

- Advertisement -

નવરાત્રીનાં આ દિવસો માત્ર ચણિયાચોળી પહેરી સજીધજીને ગરબાની રમઝટ બોલાવવા પુરતા જ મહત્વના નથી. આ માત્ર ઉત્સવ જ નથી, પરંતુ અંતરાત્માના સંસ્કારને ઉજાગર કરવાનો અવસર છે.
નવરાત્રીમાં આધ્યાત્મિક શુદ્ધિ અલગ અલગ રીતે થાય છે. દેવીના નામનું સ્મરણ નકારાત્મકતા દુર કરે છે. દેવીની સ્તુતિ અને તેના ઉચ્ચારોમાં અલગ ઉર્જા હોય છે. જેમ એક દીવો માત્ર પ્રકાશ પાથરે છે તેમ હકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. કુટુંબ ભાવના પછી સદભાવના, પ્રેમ, દાન અને બીજાઓને સહાય કરવું એ આપણા તહેવારોનું મુખ્ય હાર્દ છે.
દેવી શક્તિની આરાધનાનો પવિત્ર તહેવાર. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ આનંદ, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાય છે. નવરાત્રીના દિવસોમાં ઉપવાસ, જપ, પાઠ અને ધ્યાન દ્વારા મનુષ્ય પોતાનું શરીર, મન અને આત્મા ત્રણેને શુદ્ધ કરી શકે છે. ઉપવાસ શરીરને હલકું બનાવે છે, મંત્રજપ મનને એકાગ્ર કરે છે. દેવી ભક્તો આ દિવસોમાં આરાધના કરી આત્માને ઊંચા ચેતનાસ્થરે પહોંચાડે છે. આ નવ દિવસો માનવીને પોતાના અંદર ઝાંખી કરવાનો મોકો આપે છે – પોતાના દુર્ગુણોને ઓળખી તેને દૂર કરવાનો અને સદગુણોને જીવનમાં સ્થાપિત કરવાનો સમય છે.
દેવીના નવ સ્વરૂપોની ઉપાસનાથી મનુષ્ય પોતાના અંદરના નવ પ્રકારના શક્તિ-ગુણોને જગાડે છે – શૌર્ય, દયા, ક્ષમા, જ્ઞાન, ભક્તિ, શાંતિ, સમર્પણ, સદભાવ અને નિડરતા. આ ગુણો જીવનને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે.
અંતમાં, નવરાત્રી આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર દીવો પ્રગટાવવી કે ગરબા રમવામાં નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવા, દુર્ગુણોને દૂર કરવા અને સદગુણોને અપનાવવા માં છે. જો આપણે આ આચાર-વિચારને જીવનમાં ઉતારી લઈએ, તો નવરાત્રી ખરેખર આત્માની શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ બની શકે છે.
નવરાત્રી દરમિયાન સેવા, દાન અને સહકાર જેવા કાર્યો કરવાથી હૃદયમાં કરુણા અને પ્રેમ વધે છે. સમાજ સાથે ભક્તિપૂર્વક ગરબા અને ડાંડીયામાં જોડાવાથી એકતા અને સમરસતા અનુભવાય છે. આ એકતા અને સકારાત્મકતા આપણું આંતરિક બળ વધારે છે.
ભારતમાં તો નવરાત્રીનો ઉત્સવ સૌ કોઈને જાણીતા છે, પરંતુ પરદેશમાં રહેતાં આપણે માટે આ તહેવારનું મહત્વ અલગ જ છે. અહીં નવરાત્રી માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક તહેવાર નથી, પરંતુ પરદેશમાં રહીને દેશ સાથે જોડાઈ રહેવાનો પુલ બની જાય છે.
પરદેશમાં રહેતા લોકો રોજિંદા જીવનમાં વ્યસ્ત હોય છે. એક સાથે રોજ અલગ-અલગ ભાષા, સંસ્કૃતિ અને પરિસ્થિતિઓમાં જીવતા હોય છે. નવરાત્રી માત્ર આનંદનો ઉત્સવ નથી, તે આપણામાં એકતા, ભક્તિ અને શક્તિનો સંદેશ લાવે છે. પરદેશમાં રહેતા બધા ભારતીયો ભાષા કે પ્રાંતના ભેદ વગર એક મંચ પર ભેગા થાય છે. સૌ સાથે ભેગા મળી સમય પ્રમાણે નવ દિવસ રોજ કે વિકેન્ડ ગરબા મહોત્સવમાં જોડાઈને સંસ્કૃતિ માતાની આરાધના કરતા હોય છે. એ ક્ષણે અનુભવ થાય છે કે આપણે આપણા વતનથી દૂર હોવા છતાં પણ આપણું હૃદય ભારતીય છે.
આ તહેવારથી નવી પેઢીને સંસ્કાર મળે છે. પરદેશમાં જન્મેલા બાળકો, નવરાત્રી દ્વારા દેવી માતાની ભક્તિ, ભજન, નૃત્ય અને પરંપરા શીખે છે. તેઓ સમજે છે કે પોતાની ઓળખ અને મૂળ ક્યાં છે.
જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં બધેજ ગુજરાત બની જાય છે. ખાણીપીણી હોય કે પછી પહેરવેશ અને ફેસ્ટીવલ ની વાત હોય બધેજ ગુજરાતની છાપ અમીટ મળી રહે છે. ગરબાના સ્થળે પાપડીનો લોટ, સમોષા, ચાટ, ચાય કોફીના સ્ટોલ મુકાતા હોય છે.
વિકેન્ડ માં બધાજ કામને બાજુ ઉપર રાખીને ગરબાના શોખીન નવરાત્રીની તૈયારીઓમાં લાગી જાય છે. નવરાત્રીના મહિના પહેલા ઇન્ડીયાથી ખ્યાતનામ ગરબા ગાયકોને અહી આવી પહોચે છે. ખાસ પછી નવરાત્રીના નવ દિવસો માટે તેમનું બુકિંગ ગુજરાત ખાતે હોય છે. આના કારણે પરદેશમાં વહેલી નવરાત્રી શરુ થઇ જતી હોય છે. તેમની પ્રાચીન અર્વાચીન ગરવાની ધૂન ઉપર ખેલૈયાઓ તેમનો ગરબા શોખ પૂરો કરી લેતા હોય છે.
સંગીત ઉપર ધૂમતા ગુજરાતીઓ સાથે નોન ગુજરાતીઓ પણ એ રીતે ઝૂમતા જોવા મળે છે. ગરબાનાં શબ્દો સાથે તાલ મિલાવતા યુવાનોને જોઈ કોઈ કહી શકે નહિ કે આમાં થી કેટલાકે તો ગુજરાત કે દેશ જોયો પણ નથી. અમેરિકન બોર્ન ગુજરાતી બાળકોમાં નવરાત્રી ખુબ માનીતો તહેવાર છે. ભલે ગુજરાતી બોલતાં નથી આવડતું પણ ગરબા તો ગુજરાતી શબ્દોના તાલેજ ગાવા તેમને ગમતા હોય છે.
સાથે જ, નવરાત્રી દ્વારા આપણે ભારતની છબી દુનિયા સમક્ષ રજૂ કરીએ છીએ. નાના મોટા લગભગ દરેક શહેરોમાં ભારતીય તહેવારોની પ્રતિનિધિ સમાન નવરાત્રી ઉલ્લાસ ભેર એક બે કે ચાર દિવસ નહિ પણ નવ દિવસ સુધી ઉજવાય છે. વિદેશીઓ પણ આપણા ગરબા, ડાંડીયા અને ભક્તિપૂર્ણ ઉજવણી જોઈને ભારતની સંસ્કૃતિને અનુભવે છે પ્રશંસા કરે છે. ગરબામાં ચણીયા ચોળી પહેરી ભારતીય મિત્રો સાથે ઘૂમતા જોવા મળે છે ત્યારે છૂપો ગર્વ પણ અનુભવાય છે.
કોઈ પણ તહેવાર હોય પરંતુ એ દેશની સંસ્કૃતિનું પ્રતિભાવ આપતો હોય છે. તેનું ગૌરવ સચવાય તે રીતે તેની ઉજવણી થવી જોઈએ. આવા પવિત્ર તહેવાર દુષિત નાં થાય તે જોવાની પણ ફરજ ખરી.

You Might Also Like

શહેરમાં 9 મહિનામાં નોંધાયેલા હત્યાના 27 ગુનામાં 13 સગીરોએ લોહીથી હાથ રંગ્યા

રાવણ એક, પ્રતિભા અનેક

દેવીપૂજા: પ્રાચીન મૂળથી આધુનિક યુગ સુધીની વૈશ્ર્વિક યાત્રા

વિઝા ધારકો વિઝાની શરતોનું પાલન કરતા નથી, જેનાથી અમેરિકન સરકાર કડક વલણ અપનાવે છે

ભારતની લોકદેવીઓ અને ગ્રામ્ય દેવીઓ

TAGGED: navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આપણી ઇચ્છા મુજબ થાય તો હરિકૃપા; અને ઇચ્છા મુજબ ન થાય ત્યારે હરિઇચ્છા
Next Article જય જય જગ જનની દેવી…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મોદીએ જ્યારે નિકોલમાં સભા કરી ત્યારે જ જગદીશ વિશ્ર્વકર્મા અધ્યક્ષ બનશે તેની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી
વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ
જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ
મુંબઈથી ગાડી આવી રે..હો દરિયાલાલા ગોપી રાસોત્સવમાં બહેનોની કલા ખીલી ઉઠી
મરિન પિપાવાવ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

શહેરમાં 9 મહિનામાં નોંધાયેલા હત્યાના 27 ગુનામાં 13 સગીરોએ લોહીથી હાથ રંગ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
Hemadri Acharya Dave

રાવણ એક, પ્રતિભા અનેક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

દેવીપૂજા: પ્રાચીન મૂળથી આધુનિક યુગ સુધીની વૈશ્ર્વિક યાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?