જૂનાગઢની કે.જે. હોસ્પિટલનું વધુ એક કારનામું
બિલિંગ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને અનઆવશ્યક ખર્ચનો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં તબીબી ક્ષેત્રને ઝંઝોળી નાખે એવો એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે, જેમાં દર્દીના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોકટરો પર બેદરકારી અને પૈસાની લાલચને કારણે મોત નિપજાવ્યાનો આરોપ મૂક્યો છે. ગામ કોયલી, તાલુકો વંથલીના રહેવાસી વિજય હેમંતભાઈ પુરોહિતે પોતાની માતા સ્વ. હરસુતાબેન પુરોહિતના મોત અંગે દેશના વડાપ્રધાનને લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, તા. 6 ઓક્ટોબર 2025ના રોજ હરસુતાબેન અચાનક પડી જતા તેમને જુનાગઢ શહેરની ઝાંઝરડા બાયપાસ રોડ સ્થિત કે.જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. પ્રાથમિક તપાસમાં થાપાનું હાડકું
અનુસંધાન પાના નં. 2 પર
પરિવારની મુખ્ય માંગણી
- Advertisement -
દોષિત ડોક્ટર અને હોસ્પિટલ સામે કડક કાનૂની કાર્યવાહી
સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ
આર્થિક અને માનસિક નુક્સાન માટે ન્યાય
આરોગ્ય પ્રણાલીમાં આવી બેદરકારી ફરી ન થાય તે માટે પગલાં
માતાનાં મોત બાદ પુત્રનો છેક વડાપ્રધાન સુધી ન્યાય માટે પોકાર
ઓપરેશનના ₹85,000 થશે તેમ કહી ડોકટરોએ પુત્રને સમજાવી ₹45,000 ભરાવ્યા બાકીની રકમ યોજનામાંથી મેળવી લેવા ખાતરી આપી
તૂટી ગયાનું જણાઈ આવતા ઓપરેશન જરૂરી હોવાનું ડોકટરો દ્વારા જણાવાયું હતું. પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે દર્દી પાસે સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળનું કાર્ડ હોવા છતાં હોસ્પિટલના ડોકટરે આ સારવાર તેમાં આવતી નથી કહી રૂ. 85,000ની માંગણી કરી. આર્થિક પરિસ્થિતિને કારણે પરિવારજનોએ દર્દીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી શરૂ કરી હતી. આ દરમિયાન, અરજદારના કહેવા મુજબ, હોસ્પિટલના ડોકટરો દ્વારા તેમને સમજાવીને માત્ર રૂ. 45,000 ભરવા અને બાકીની રકમ સરકારની અકસ્માત યોજના હેઠળ મેળવી લેવાની ખાતરી આપી હતી. સાથે સાથે, ખાનગી હોસ્પિટલમાં જ સારવાર ન કરાવીએ તો જોખમ વધી શકે તેવી ભયજનક વાતો પણ કરવામાં આવી હોવાનું અરજમાં ઉલ્લેખ છે.
પરિવારના કહેવા મુજબ, ઓપરેશન માટે પૂરતી તૈયારી, જરૂરી ટેસ્ટ અથવા સેક્ધડ ઓપિનિયન વગર જ ઉતાવળમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન પહેલાં દર્દીની વાસ્તવિક સ્થિતિ શું હતી તેની સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. ફરિયાદમાં નોંધાયું છે કે ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ વધુ બગડી ગઈ હતી. પરિવારજનોએ વારંવાર પૂછપરછ છતાં યોગ્ય માહિતી આપવામાં આવી નહોતી અને હોસ્પિટલ સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ મળતા નહોતા. પરિવારજનોનો દાવો છે કે તેઓ અજાણતા અને ડોકટરોની વાતોમાં આવી જઈને અંતે દર્દીને એ જ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધી. પરંતુ ત્યારબાદ થયેલી સારવાર દરમિયાન બેદરકારી દાખવવામાં આવી અને પરિણામે હરસુતાબેનનું દુ:ખદ અને કરુણ મોત નિપજ્યું. જેનાથી પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઉપરાંત પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલ દ્વારા સરકારની આરોગ્ય યોજનાઓ (જેમ કે મા કાર્ડ વગેરે)નો યોગ્ય લાભ આપવામાં આવ્યો નહોતો અને ખાનગી ખર્ચ વધારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. બિલિંગ પ્રક્રિયામાં પણ પારદર્શિતાનો અભાવ હતો અને અનાવશ્ર્યક ખર્ચ ઉમેરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં એવું પણ ઉલ્લેખ છે કે ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફે દર્દીની સ્થિતિ અંગે સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો અને પરિવાર સાથે અસંવેદનશીલ વર્તન કર્યું. કેટલાક તબક્કે દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની સલાહ પણ મોડેથી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર મામલે પીડિત પરિવાર દ્વારા જિલ્લા તબીબી અધિકારી, સિવિલ સર્જન અને અન્ય ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં સમગ્ર ઘટનાક્રમની વિગત સાથે દોષિત તબીબો સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે. જૂનાગઢના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી કચેરીએ આ ફરિયાદને ગંભીરતાથી લઈને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. સંબંધિત દસ્તાવેજો, હોસ્પિટલના રેકોર્ડ, સારવારની વિગતો અને ડોક્ટરની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. જો બેદરકારી અથવા ગેરરીતિ સાબિત થશે તો કાનૂની પગલાં લેવામાં આવશે તેવી સંભાવના છે. સમગ્ર ઘટનાને લઈને વિજય પુરોહિતે વડાપ્રધાનને પાઠવેલી અરજીમાં નિષ્પક્ષ તપાસ, જવાબદાર ડોકટરો સામે કડક કાર્યવાહી અને પોતાની માતાને ન્યાય અપાવવા વિનંતી કરી છે. આ બનાવ સામે આવતા સ્થાનિક સ્તરે તબીબી વ્યવસ્થાની કામગીરી, ખાનગી હોસ્પિટલોના વલણ અને સરકારની આરોગ્ય યોજનાઓના અમલ અંગે ગંભીર પ્રશ્ર્નો ઊભા થયા છે. હાલ આ મામલે સત્તાવાર તપાસની માંગ ઉઠી રહી છે અને પરિવારજનો ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
ન્યાય માટે ક્યાં-ક્યાં રજૂઆત?
ભારતના વડાપ્રધાનને સમગ્ર ઘટનાક્રમ રજૂ કરીને ઉચ્ચસ્તરીય તપાસ અને ન્યાયની માંગ
જિલ્લા તબીબી અધિકારી (ઈખઇંઘ), જૂનાગઢ હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધ સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવી
સિવિલ સર્જન, જૂનાગઢ સારવારમાં થયેલી બેદરકારી અંગે તપાસ કરવાની વિનંતી
હોસ્પિટલ સંચાલન (ઊં.ઉં. ઇંજ્ઞતાશફિંહ) સીધી રજૂઆત કરીને જવાબદારી નક્કી કરવા અને કાર્યવાહી કરવાની માંગ
પોલીસ તંત્ર (સ્થાનિક પોલીસ સ્ટેશન) ઘટનાની કાનૂની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી માટે રજૂઆત
અન્ય આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ ન મળ્યો અને ગેરરીતિ અંગે રજૂઆત
સારવારના નામે માત્ર પૈસા પડાવવામાં આવ્યા: પરિવારનો આક્ષેપ
પીડિત પરિવારનું કહેવું છે કે, અમે હોસ્પિટલ પર વિશ્ર્વાસ રાખીને માતાને દાખલ કરી, પરંતુ સારવારના નામે માત્ર પૈસા પડાવવામાં આવ્યા. યોગ્ય સારવાર ન મળતા અમારી માતાનું મોત થયું છે. અમને ન્યાય જોઈએ અને દોષિતોને સજા થવી જોઈએ.



