10 વર્ષથી ભાગતો ફરતો હતો નાગેન્દ્ર ઉરાંવ ઉર્ફે ડોકટર
ખુંખાર માઓવાદીની ભંવરબંધ જંગલમાંથી ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઝારખંડ પોલીસને નક્સલ મુક્ત ઝારખંડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં સતત સફળતા મળી રહી છે, લગભગ એક દાયકાથી ફરાર 20થી વધુ જવાનોની હત્યામાં સંડોવાયેલા નાગેન્દ્ર ઉરાંવ ઉર્ફે ચુલબુલ ઉર્ફે ડોક્ટર અને સીપીઆઇ માઓવાદી સંગઠનના ઝોનલ કમાન્ડરને પોલીસે ઝડપી લીધો છે.
લાતેહાર જિલ્લાના અન્ય એક સ્કવોડના સભ્ય ગોદાન કોરબાને ગરુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભવરબંધ જંગલમાંથી ગુપ્ત માહિતીના આધારે ધરપકડ કરવામાં સફળતા મળી છે. લાતેહાર જિલ્લા પોલીસ અધિક્ષક અંજની અંજને જણાવ્યું હતું કે વર્ષ 2013માં કટિયા જંગલમાં પોલીસ દળ પર થયેલા હુમલા દરમિયાન 12 પોલીસ કર્મચારીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જેમાં નક્સલવાદી નાગેન્દ્ર ઉરાંવ ઉર્ફે ડોક્ટરનો સમાવેશ થાય છે.
આ સાથે વર્ષ 2018માં ખાપરીમહુઆના જંગલમાં માઓવાદીઓની ટુકડી દ્વારા પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલામાં લગભગ અડધો ડઝન પોલીસકર્મીઓ શહીદ થયા હતા, ધરપકડ કરાયેલા માઓવાદી ઝોનલ કમાન્ડર નાગેન્દ્ર ઉરાંવને આ હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય લાતેહાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદવામાં પોલીસ પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરીને ચાર પોલીસકર્મીઓને મારવાના કેસમાં પકડાયેલા ઝોનલ કમાન્ડર નાગેન્દ્ર ઉરાંવ ઉર્ફે ડોક્ટરે પણ ભૂમિકા ભજવી છે.
- Advertisement -
20થી વધુ જવાનોની હત્યામાં પોલીસ છેલ્લા કેટલાય સમયથી તેમને પકડવાનો પ્રયાસ કરી રહી હતી. નાગેન્દ્ર ઉરાંવ દરેક વખતે પોલીસ ટીમને ચકમો આપીને ભાગી જતો હતો. જો કે, આ વખતે ગુપ્ત માહિતીના આધારે, લાતેહાર જિલ્લા પોલીસે સીપીઆઈ માઓવાદી સંગઠનના ઝોનલ કમાન્ડર નાગેન્દ્ર ઉરાંવ ઉર્ફે ડોક્ટર અને સ્કવોડના સભ્ય ગોદાન કોરબાની ગરુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભવરબંધ જંગલમાંથી ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.