ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના આસ્થાના પ્રતિક સમા રામનાથ મહાદેવના મંદિરે આજે પણ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતાં હોય છે ત્યારે રામનાથ મહાદેવના મંદિરે સલામતી અને સુરક્ષાનો અભાવ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે તથા વર્ષોથી રામનાથ મહાદેવના નવનિર્માણ કાર્ય પણ નેવે મૂકાયું છે. હિન્દુત્વના નામે મત માગનારાઓ મંદિરની સ્થિતિ ખરાબ હોય અને સુવિધાનો અભાવ હોય ત્યારે ક્યાં ખોવાય જાય છે તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.
રાજકોટ શહેરના ગ્રામ દેવતા સ્વયંભૂ રામનાથ મહાદેવજીના મંદિરના પટાંગણમાં અનેક સુવિધાઓ તાત્કાલીક ધોરણે કરવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મનપાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધ પક્ષના નેતા પ્રવિણભાઈ મુંધવા દ્વારા મ્યુ. કમિશનરને રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી હતી તથા 15 દિવસમાં રામનાથ મહાદેવ મંદિરની જગ્યામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. રામનાથ મહાદેવની પાસે આવેલ પુલ પર જે ગ્રીલ છે તે હાલમાં વરસાદના કારણે તૂટી ગયેલ છે જેથી જાનહાનિ થવાનો ભય રહે છે, રિટનીંગ વોલને ફરીથી બનાવવી, પાર્કિંગની વ્યવસ્થા કરવા, પ્રવેશદ્વારથી લઈ નિજ મંદિર સુધી પેવિંગ બ્લોક ફીટ કરાવવા તથા ચોમાસા દરમિયાન પાણીમાં તણાઈને જે કચરો આવે છે ત્યાં જેસીબીથી સફાઈ કરાવી આપવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
મોરબી કલેક્ટર કચેરી દ્વારા કાયદા અધિકારી માટે અરજી મંગાવાઈ
મહેસુલ વિભાગ ગુજરાત સરકારના તા. 5-6-2021ના ઠરાવથી કલેકટર કચેરી, મોરબી ખાતે 11 (અગિયાર) માસની મુદત માટે કરાર આધારિત કાયદા અધિકારીની 1 (એક) જગ્યા માટે ઉમેદવાર પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ જગ્યા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન મોરબીની મેજીસ્ટ્રેરીયલ શાખા ખાતેથી નીયત નમુનામાં અરજી ફોર્મ મેળવી 29-10-2021 સુધીમાં ફોર્મ ભરી રૂબરૂ/રજી. પો.એડી.થી મોકલી આપવાની રહેશે.
- Advertisement -



